________________
એ
સનાચિતામણિ ] રાત અંધારી બળદીયા શ્યામ નાર કુભારજા,
હાય સાળા ગામમાં ત્યાં હોય શું શાતિ મઝા નિજ રૂ૫ ઉત્તમ ના છતાં, હું મદન જે ઈમ ગણે;
શકને પરિવાર જાણે ઈમ ગણે નિજ સ્વજનને. ૩૪૪ અર્થ –જેમ અંધારી રાત હોય અને નાશી ગએલા બળદીઆ કાળા રંગના હોય તેને શોધવામાં ઘણું મુશીબત પડે છે. તેમાં કેટલાક માણસોની સ્ત્રી કુંભારજા એટલે ફુવડ જેવી હોય તેમને પણ શાન્તિને આનંદ કયાંથી હોય? અથવા તેમને પણ શાંતિ ભાગ્યે જ મળે છે. આ બાબતમાં દષ્ટાન્ત નીચે પ્રમાણે –
એક ગામમાં એક વિષ્ણુને ભગત રહેતો હતો. તેની સ્ત્રી કુભારજા કજીઆર અને ફુવડ હતી એટલે ધણી ધણીઆણીને વારંવાર તકરાર થતી. તે ભગત તેની સ્ત્રીને મારે ત્યારે તે સ્ત્રી તેના ભાઈઓ જે ગામમાં રહેતા હતા તેમને ભંભેરણી કરતી. એટલે તે ભગતના સાળાઓ પણ તેની સાથે તકરાર કરવા આવતા હતા. જેથી તે ઘણો કંટાળે હતે. અને જરા પણ શાંતિ મળતી નહોતી. આ પ્રમાણે જેને કુભાર્યા સ્ત્રી હોય અને ગામમાં જ સાળાઓ રહેતા હોય તેને કદાપિ શાંતિ મળતી નથી. વળી કેટલાક મનુષ્ય પિતાનું રૂપ ઉત્તમ અથવા સુંદર ન હોય તે છતાં પણ હું મદન જેવો એટલે કામદેવ જે રૂપાળો છું એવું અભિમાન રાખે છે. તથા પિતાના થડા કુટુંબીઓને પણ જાણે ઈન્દ્રને પરિવાર હોય તે માને છે. ૩૪૪ ધન બસે કે ચારસો અથવા સહસના લાભને,
કેટીશના જે ગણું ચાલે ધરી અભિમાનને, ધાન્ય કેરા દ્રોણ પામી ધનપદ ઋદ્ધિ માનતે,
કુટુંબ પોષણ રાજ્ય પોષણ જેહવું અવધારતે ૩૪૫ અર્થ—અભિમાની પુરૂષ સે, ચારસે કે હજારને લાભ જે મળ્યું હોય તે પિતે જાણે કરેડાધિપતિ બની ગયો હોય તેવો અભિમાન એટલે અહંકાર રાખીને ચાલે છે. વળી એક દ્રોણ (માપ વિશેષ) જેટલું ધાન્ય મળે એટલે અ૫ અનાજ મળે તે પણ જાણે ધનદ એટલે કુબેરના જેટલી ત્રાદ્ધિ પિતાને મળી છે એવું માને છે. અને પોતાના કુટુંબનું પિષણ કરે તેમાં પણ જાણે કે રાજ્યનું પિષણ કરતો હોય તેવું માને છે. ૩૪પ પેટ પૂરણ તિમ મહોત્સવ જેહવું જ વિચાર,
ભીક્ષા મળે જીવિત મળ્યું એવું વિચારી ખૂશ થત; શબ્દાદિ ભેગવતા અપરને દેખતાં ઇમ ભાષાંતે,
પુણ્યશાલી આ અપરની સાહિબી ઈમ ચાહત. ૩૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org