________________
૨૭૭
દેશના ચિંતામણિ ] શું ગળે ઉતર્યું તેની પણ ખબર ના ભૂપને,
રાજ્યની ખટપટ ધણ સાધી શકે ના ધર્મને, આત્મદષ્ટિ ઘણું કરીને દૂર રહે એ ભૂપને,
લોભથી કરતા શિકાર વિશેષ ધરી આનંદને. ૩૪૦ અર્થ-એ પ્રમાણે ચિંતાગ્નિથી નિરન્તર બળતા આ રાજાને પિતાના ગળે શું ઉતર્યું ? એટલે પોતે શું ખાધું તેની પણ ખાતી વખતે ખબર હોતી નથી, એટલે તેને ખાવાની પણ નિરાંત હોતી નથી. વળી રાજ્યમાં પણ અનેક પ્રકારની ખટપટોને કાવાદાવાઓ હોય છે. એટલે પ્રજા સુખી ન હોય તો તેના તરફથી અથવા પ્રધાન મંડળ પ્રપંચી હોય તે તેના તરફથી અનેક જાતની ખટપટો ચાલે છે. આથી કરીને તે રાજા ધર્મની સાધના કરી શકતો નથી. આવા રાજાને ઘણું કરીને આત્મદષ્ટિ એટલે હું કરું છું, મને રાજ્ય શાથી મળ્યું ? પિતાના આત્માનું કલ્યાણ કેવી રીતે થાય ? આવા પ્રકારના વિચાર તેનાથી દૂર રહે છે, એટલે એને પોતાના આત્માનું હિત કેમ સાધવું તેની વિચારણું પણ હેતી નથી આથીજ “રાજેશ્વરી તે નરકેશ્વરી” અથવા “રાજ્યને અને નરક” એવી કહેવત પડી છે. વળી લોભથી એટલે માંસની લાલચથી બહુ રાજી થઈને એટલે પોતે જે નિરપરાધી પ્રાણીને હણે છે તેથી તેને કેવું દુઃખ થાય છે તેની જરા પણ દરકાર રાખ્યા સિવાય આવા રાજાઓ રાજ્યધર્મ ગણીને શિકાર કરે છે. ૩૪૦ યુદ્ધમાં પણ હોય ભય નિજ મરણને વળી અન્યને,
. સંહાર હાય વિકલ્પ વિજયે અંત નવિ આશા તણે કાન ભંભેરે ઘણા નિત્ય ચાડીયા તેથી ડરે,
ક્લેશમય જીવન ગુજારે સાહિબીથી શું વળે? ૩૪૧ અર્થ—લડાઈની અંદર પિતાના મરણને ભય રહે છે, કારણ કે લડાઈમાં જઈને રાજા જે લડે નહિ તો કાયર ગણાય અને દેશ વિગેરે મીત હારી જાય. અને લડે તે સામે બળવાન હોય તો પિતાનું મરણ પણ થાય અથવા ઘાયલ થાય. વળી યુદ્ધમાં પિતાના હાથે બીજાને સંહાર એટલે નાશ થાય છે. અને લડાઈ કરવા છતાં વિજય વિકલ્પિક-અનિશ્ચિત છે એટલે પિતાની જીત જ થાય એવું:નક્કી નથી, પરંતુ હાર થવાને પણ સંભવ છે. આ પ્રમાણે તે રાજાના જીવની આશાને પાર નથી. વળી ચાડી ખાનારા માણસો અનેક રીતે તેના ( રાજાના) કાનની ભંભેરણી કરે છે એટલે ખોટી રીતે તેને ભરમાવ્યા કરે છે તેથી તે રાજા મનમાં ડર એટલે ભય રાખ્યા કરે છે કે મારી શી દશા થશે. એ પ્રમાણે કલેશમય એટલે દુઃખી જીવન ગુજારે છે, તે માટે સાહિબીથી એટલે મેંટી રાજ્યની હિમાં સુખ શું છે ? અર્થાત્ મટી ગાદ્ધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org