SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ | શ્રી વિજયપધસૂરિકૃતઅર્થ –વળી કેટલાએક મનુષ્ય ખાવા પીવા વિગેરે ખર્ચના સાધન વિના રખડયા કરે છે. તથા કેટલાક મનુષ્ય પુત્રાદિની એટલે પુત્ર, પુત્રી વગેરે કુટુંબી જન સંબંધી અનેક પ્રકારની પીડા અથવા ઉપાધિઓને સહન કરે છે, વળી કેટલાક પુરૂષો પિતાની સ્ત્રીના અનેક પ્રકારના દુર્વચનને સહન કરે છે. અને કેટલાક માણસોની સ્થિતિ ઘણું જ ' આકરી એટલે દુ:ખવાળી–કફેડી હોય છે, કારણ કે કમાણુ ઓછી હોય અને પરિવાર ઘણો વધારે હોય તેથી પરાણે આજીવિકા ચાલતાં હોય, તેમાં કઈ માંદુ પડે, કેઈ મરણ પામે એમ અનેક પ્રકારનાં દુઃખો ભેગવ્યા કરે છે. વળી મનુષ્યને જન્મતા પહેલાં ગર્ભાવસ્થામાં લગભગ નવ મહિના સુધી ગર્ભવાસનાં આકરાં દુઃખો ભેગવવાં પડે છે. અને મરણ વખતે મરણનાં દુઃખ પણ ભેગવવાં પડે છે, કારણ કે કેટલાએક મનુષ્ય મરતાં પહેલાં અનેક પ્રકારનાં રોગવાળા બને છે, તેથી તેઓ મરતી વખતે પણ રેગનાં ઘણાં દુઃખને પામે છે. તેમજ મરતી વખતે પોતાનું કુટુંબ અને સાહિબીઓને વિગ થાય છે તેને અપાર શોક થવા રૂપ ઘણું દુઃખ પામે છે. આવાં તે અનેક પ્રકારનાં દુઃખ મનુષ્ય ગતિમાં મનુષ્યને ભેગવવાં પડે છે કે જે સાંભળવાથી પણ મનમાં ઘણી કંપારી આવે. ૩૩૮ રાજ્ય ઋદ્ધિમાં પણ ખરું સુખ નથી વિગેરે ત્રણ લેકમાં જણાવે છે – - કેઈ પામે રાજ્ય પણ ન નિરાંત તેને સમયની, - 85 ચિંતા િસળગે હાલ ની સ્થિતિ પૂર્ણ મુજ ભંડારની - આણ અંતેઉર ગણે ના માહરી ભય શત્રના, ' છે. દેશ કેમ વધારવા એવા મનોરથ ભૂપન. ૩૩૯ અર્થ-કેટલાક મનુષ્ય રાજ્ય મેળવે છે, પરંતુ તેમને એક સમયની પણ નિરાંત– - ફુરસદ હોતી નથી. એટલે તેમને ઉપાધિઓનો પાર રહેતો નથી. તેઓ હારથી બીજા - લેકેની દષ્ટિએ તે ઘણા સુખી હોય તેવા જણાય છે. પરંતુ તેમના હૈયામાં તે ચિંતા રૂપી અગ્નિની હોળી સળગતી હોય છે. કારણ કે રાજાના મનમાં એવા વિચાર આવે છે કે હાલમાં મારા ભંડાર સંપૂર્ણ ભરેલા નથી માટે લેક પાસેથી કેવા કેવા ઉપાય વડે પૈસા કઢાવીને ભંડાર ભરપૂર રાખ. વળી અંતેઉર એટલે સ્ત્રી વર્ગ મારી આજ્ઞા માનતે નથી એટલે હું કહું તેમ વર્તતું નથી. અને મારે હારના શત્રુને ભય છે એટલે કઈ તરફથી દુશ્મન મારા ઉપર હમલો કરશે એવો ભય રાજાના મનમાં હોય છે. વળી કેટલાક રાજાઓને બીજા રાજાના મુલક (દેશ) જીતીને પિતાને દેશ કેવી રીતે વધારવો તેની પણ ચિંતા થયા કરે છે૭૩૯ :- = ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy