________________
( શ્રી વિજયપરિફ ધન તણો મદ બહુ ધરીને ખર્ચ ભૂરિ વધારતા
સાહિબીનાં સાધનને સેવવા રાગી થતા. ૩૩૪ અર્થ:–અને તેજ મનુષ્ય શ્રેષ્ય જન એટલે પિતાને જેના ઉપર દ્વેષ અથવા વૈરભાવ હોય તેને જોઈને ઘડીકમાં ખેદ પામે છે એટલે દિલગીર થાય છે, વળી કેટલાક માણસ થોડું ધન મળતાં ઘણે હર્ષ પામીને નાચવા માંડે છે. એટલે મનમાં ઘણુ ફૂલાઈ જાય છે અને ધનના અભિમાનમાં જાણે કે પૈસા કાયમ રહેવાના છે એવું માનીને ખરચ ઘણેજ વધારી દે છે. અને જેમ જેમ વધારે ધન મળે તેમ તેમ સાહિબીમાં એટલે મેજશેખનાં સાધનેને સેવવા એટલે ઘણે મોજશોખ અને એશઆરામ કરવા રાગવાળા થાય છે. એટલે મોજશેખ, રમત ગમત, નાટક સીનેમા વગેરેમાં ઘણું આસક્ત થાય છે. અને તેથી આત્મહિત સાધવાનું તદ્દન ભૂલી જઈને ધર્મકાર્યમાં ઘણું બેદરકાર બને છે. ૩૩૪
ધન ક્ષયાદિનું દુખ જણાવે છે – વિકટ વ્યાપાર કરતાં જાય ધન તે સમયમાં,
ખર્ચને પહોંચી શકે ના ધન વિના તિણ હૃદયમાં સંતાપ અતિશય ધારતા વળી તનય સુંદર જન્મતા,
આનંદ પામે રૂદન કરતા ઈષ્ટનું મૃત્યુ થતાં. ૩૩૫ અર્થ:–આવા જેવો વિકટ વ્યાપાર એટલે રૂ વિગેરેના સટ્ટા, શેરના સટ્ટા, જુગાર રેસ વગેરે જોખમકારક ધંધા કરે છે અને તેમ કરતાં જ્યારે મોટું નુકસાન આવે છે ત્યારે ભેગું કરેલું ધન જતું રહે છે, પરંતુ પહેલાં જે ખરચા વધારી દીધા હોય છે તે ઓછા કરી શકાતા નથી. ત્યારે તેવા વખતે ધન ન હોવાથી બીજાનું દેવું કરવું પડે છે એમ દેવું કરતાં જ્યારે કે પૈસા આપતું નથી, ત્યારે હૃદયમાં ઘણે શોક કરે છે. તથા કેટલાએક સંસારી છે જ્યારે તેમને ત્યાં સુંદર પુત્ર વિગેરે સંતતિને જન્મ થાય છે ત્યારે ઘણે આનંદ પામે છે. અને જ્યારે પિતાના કેઈ પ્રિય જનનું મરણ થાય છે ત્યારે વિલાપ કરે છે. એ પ્રમાણે મનુષ્ય ગતિમાં ક્ષણે ક્ષણે (પલક પલકમાં) સુખ દુઃખના વિવિધ નાટારંગ થયા કરે છે. ૩૩૫
લડાઈ વિગેરેના દુઃખ જણાવે છે – મરણ દાયક યુદ્ધમાં આજીવિકાના કારણે,
સુભટ થઈ લડવા જતા વળી દેખતા નિજ મિત્રને; કાઢતા હર્ષાશ્રને કેઈક જનો દુર્ભાગ્યથી,
દારિદ્રય વ્યાધિ તણું કર્થન ભેગવે બહુ કાળથી. ૩૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org