________________
દેશનાચિતામણિ ]
૨૭૩ આયુ ઉત્તમ તેમનું જે ખરચતા ધન ધર્મમાં,
દ્રવ્ય સફલ તેમનું વૈવન વિતાવે ધર્મમાં. ૩૩૨ ચારે ગતિના દુઃખનું વર્ણન કરે છે – સફલી જુવાની તેમની ચારે ગતિમાં સુખ તણી,
આશા નહિ જિમ નીર સ્વાદુ જમીનમાં મરૂ દેશની, મનુજ ગતિમાં પણ બનાવે ક્ષણ ક્ષણે ઈમ નિપજતા,
- ઈષ્ટ જનના લાભમાં કંઈક જન રાજી થતા. ૩૩૩. અથ:-ચપલ એટલે સ્થિર નહિ રહેનાર આયુષ્ય,ધન અને યૌવન આ ભવની અંદર જલ્દી જવા માટે એટલે નાશ પામવા માટે એક બીજા સાથે હરિફાઈ કરે છે, જેથી આ ત્રણમાંથી કે ક્યારે પહેલું વા પછી જતું રહેશે તેની ખાત્રી નથી. તેથી આવા પ્રકારના પિતાના જીવનને જે ધર્મિષ્ઠ છે ધર્મની આરાધના કરીને સફળ કરે છે તેઓનું આયુષ્ય ઉત્તમ જાણવું. અને જેઓ પિતાનું ધન ધર્મમાં વાપરે છે એટલે આયુષ્યને કાંઈ ભરૂસે નથી એવું જાણીને ધન ક્યારે જતું રહેશે તેની પણ ખાત્રી નથી એમ વિચારીને તેને ધર્મ કાર્યમાં ઉપગ કરે છે. તેમનું ધન સફલ જાણવું. તેમજ જેઓ જુવાની ધર્મકાર્યમાં ગાળે છે, તેમની જુવાની સફળ જાણવી, કારણ કે ધર્મ સાધના કરવાને સૌથી સારામાં સારો ટાઈમ જુવાની જ છે.
વળી જેમ મારવાડ દેશની જમીનમાં સ્વાદિષ્ટ પાણીની આશા નથી, તેમ ચારે ગતિમાં ખરા સુખની આશા નથી. કારણ કે મનુષ્ય ગતિમાં પણ ક્ષણે ક્ષણે વિચિત્ર બનાવે બની રહ્યા છે. તે આ પ્રમાણે –કેટલાક મનુષ્ય ઈષ્ટ એટલે પિતાના પ્રિય મનુષ્ય વિગેરેને સંગમ–મેળાપ થતા રાજી થાય છે. આ બંને લેકેનું રહસ્ય એ છે કે–અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત ત્રિપુટી શુદ્ધ શ્રી તીર્થકર ભાષિત જિન ધર્મની નિર્મલ આરાધના કરવાથી (૧) આયુષ્ય (૨) ધન અને (૩) જુવાની આ ત્રણ સફલ બને છે. હવે ચાર ગતિના દુઃખનું વર્ણન ચાલે છે. તેમાં મનુષ્ય ગતિ એ મેક્ષના સાધનથી ભરેલી છે. એમ સમજીને ભવ્ય જી ઉપાધિ વિગેરે દુઃખના સાધને છોડે. અને પોતાની ફરજ પ્રમાણે વર્તીને આત્મહિતની સાધના કરે, આ ઈરાદાથી પહેલાં મનુષ્યગતિનું સ્વરૂપ જણાવીએ છીએ. ૩૩૨-૩૩૩
અહીંથી ૩૭૬ મા લેક સુધી મનુષ્ય ગતિમાં વિડંબના જણાવે છે – ખેદ પામે ઘડીક માંહે ટ્રેષ્ય જનને દેખતાં,
ન ધન લેશ પામી હર્ષ ધરીને કેઈ જન બહુ નાચતાં
૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org