________________
ર૭૨
[ આ વિજ્યપદ્ધકૃિતત્યાગ કરે છે. અને બીજા નંબરના તે પુદગલાનંદી જીવે છે કે જેઓ પોતાના આત્મા તરફ નહિ જોતાં શરીર તરફ વિશેષ ધ્યાન રાખનારા છે, તેઓએ (પોતે પણ) પ્રિય માનેલા શરીરનું આરોગ્ય સાચવવા માટે તો તે સઘળા ઇન્દ્રિયોના વિષયોને જદી ત્યાગ કર જોઈએ. એટલે વિષયેનો ત્યાગ કરવામાં બે રીતે લાભ થાય છે. તે આ પ્રમાણે. (૧) આત્મદષ્ટિ વાળા (આત્માનું ભલું ચાહનારા) ભવ્ય જીવો અહીં નિર્ભય સાત્વિક ધર્મારાધન કરીને સદ્ગતિના સુખને જરૂર મેળવે છે. અને (૨) પુદગલાનંદી જીવે શરીરનું આરોગ્ય જાળવી શકે છે. કામ (વિષય વાસના) એ શલ્ય(ખીલે વિગેરે)નીમાફક ભયંકર દુઃખ આપે છે માટે જ તેને ઝેરની જેવા અને આશીવિષ સર્ષની જેવા કહ્યા છે. ખેદની વાત તો એ છે કે વિષયરોગી જીવોને દુર્ગતિમાં જવાની ઈચ્છા નથી, છતાં વિષયના રાગે બાંધેલા ચીકણું કર્મના ઉદયે તેમને દુર્ગતિમાં જવું પડે છે. આ બાબત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा ॥
ધાને પ્રત્યે માળે, રૂમ નંતિ કુરા || આ ગાથાને સ્પષ્ટાથે અહીં જણાવી દીધું છે. ૩૩૦ વિષયસેવનાના બૂરાં ફલ જણાવે છે – રાજયશ્માદિક ભયંકર રોગની પીડા રળે,
વિષયરંગી જીવડા રીબાય અતિશય પલપલે, અહિતકર ઈમ જાણીને છોડ જ વિષય કષાયને,
સંસારમાં સંયોગ જેનો ધરત તેહ વિયાગને. ૩૩૧ અર્થ-આ વિષયોમાં આસક્ત થનાર જોને રાજયમાદિક એટલે ક્ષય વિગેરે ભયંકર રાજગોને જ રળે છે, એટલે પિતાના શરીરમાં ઉત્પન્ન કરે છે અને તેથી તે વિષયરંગી એટલે વિષયમાં આસક્ત થયેલા જીવો પલપલે એટલે ક્ષણે ક્ષણે ઘણું રિબાય છે એટલે દુઃખી થાય છે. આ પ્રમાણે આ વિષયે તથા કષા આત્માને તથા શરીરને પણું અહિતકર એટલે નુકસાન કરનાર છે એવું જાણીને તેમને અવશ્ય ત્યાગ કરે. વળી આ સંસારમાં જેને જેવો સંગ મળ્યો છે એટલે જેઓ ભેગાં મળ્યાં છે તેઓ તેનાથી અવશ્ય છુટાં પણ પડે છે. એટલે જે સંયોગ છે તે કાયમને માટે સંગ રૂપે રહેતો નથી પરંતુ તેને વિગ પણ થાય છે. ૩૩૧
આયુષ્યાદિની અનિત્યતા વિગેરે જણાવે છે આયુ ધન યાવન ચપલ ભવમાં જવા સ્પર્ધા કરે
ધર્મ સાધી ધમ નિજ જીવન સફલું કરે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org