________________
દેશનાચિંતામણિ ]
૨૭૧ સોબતથી તે નકામા આવતા દુર્વિચારે બલીને જણાવે, તે પણ ખાસ કારણ વિના નિ તે (એગ્ય વિચારના) પ્રમાણે વર્તન કરતા નથી. એ પ્રમાણે ડાહ્યા મનુષ્યોને ચિત્તની ચંચળતાથી કદાચિત્ દુર્વિચાર આવે ખરા, પરંતુ તે કઈને કહે નહિ, તેમ તે વિચારે પ્રમાણે અનાચારમાં પ્રવૃત્તિ કરી તે દુર્વિચારેને સફળ ન બનાવે પણ નિષ્ફળ બનાવે. તાત્પર્ય એ કે ત્રણ વેગમાંથી કદાચ તેમને મન ભેગ કાબુમાં ન રહે તે પણ વચગ અને કાયયેગને તે કાબુમાં રાખીને ખરાબ વેણ ઉચ્ચારે નહિં ને તેઓ અસદાચારમાં પ્રવૃત્તિ કરે જ નહિ. ૩૨૮ જે કરે નિહેતુ કિરિયા તે વિણસે વિબુધતા,
સ્વવિકલ્પ જલ્પા ચરણ કેરી ભાવવી નિત સફલતા; ના બુદ્ધિ પહોંચે જ્યાં તિહાં લેવી સલાહ વિબુધતણી,
કરૂણા કરી તેઓ સુધારે ભૂલ સવિ પૂછનારની. ૩૨૯ અર્થ:–જે નિહેતુ એટલે હેતુ સમજ્યા વિના ક્રિયા કરે એટલે પિતે જે ક્રિયા કરે છે તે કરવાનું શું કારણ છે તે સમજ્યા વિના જે ક્રિયા કરે છે તે પુરૂષ પોતાની વિબુધતા એટલે પંડિતાઈને અથવા જાણપણને નાશ કરે છે. માટે તત્વવેદી ( તત્વને જાણનાર) થવાની ઈચ્છાવાલા ભવ્ય જીવોએ સ્વવિકલ્પ એટલે પિતાના વિચાર અને વચન તથા આચરણ કઈ રીતે સફલ બને ? તે બાબતને દીર્ધદષ્ટિથી વિચાર કરીને પ્રવૃત્તિ કરવી. જેથી ભવિષ્યમાં દુઃખી થવાને પ્રસંગ આવે જ નહિ. અને જે બાબતમાં પિતાની બુદ્ધિ પહોંચતી ન હોય એટલે જે વાત પિતાના સમજવામાં આવતી ન હોય તે બાબતમાં પોતાથી જેઓ બુદ્ધિમાં ચઢિઆતા હોય તેવા વિબુધતણું એટલે પંડિત પુરૂષની સલાહ લેવી. કારણ કે તેઓ પૂછનારની ઉપર દયાભાવ લાવીને તેમની સર્વ ભૂલેને સુધારે છે એટલે તેઓ એમ સમજાવે છે કે –હે બંધુ ! તમારે સારા વિચાર કરવા જોઈએ, અને ઉત્તમ ભાષા બોલવી જોઈએ તથા નિર્દોષ પ્રવૃત્તિ કરવી જોઈએ. ૩ર૯
પુગલાનંદી એ પણ વિષયને છોડવા જોઈએ, વિગેરે જણાવે છે – દુર્ગતિમાં લઈ જનાર વિષય ઈમ પહેલા જન,
જાણ કરતા ત્યાગ તેને પુદગલાનંદી જને; સાચવે નિજ દેહ તસ આરોગ્ય કાજે તેમણે,
પણ ત્યાગ કરવા જોઈએ ઝટ આજ સઘલા વિષયને. ૩૩૦ અર્થ –વળી તે પહેલા નંબરના ભવ્ય છે એટલે આત્માનંદી છે આ વિષય ભેગો દુર્ગતિ એટલે નરક વગેરે ખરાબ ગતિમાં લઈ જાય છે એવું જાણીને તે વિષયેનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org