________________
૫
ફ્લા પાતાને જ લાગવવાના છે અને પરભવમાં સાથે આવનાર પરમ કલ્યાણકારી ધર્માંની આરાધના કરવામાં લગાર પણ પ્રયત્ન કરતા નથી. કારણ કે મેહરાજાએ તેમને આંધળા બનાવ્યા છે. આ વાતને બરાબર યાદ રાખીને પવિત્ર સયમ સાધી જન્મ જરા મરણાદિની ઉપાધિ દૂર કરી પરમપદના સુખા મેળવવા એમાંજ મનુષ્યભવની સફલતા છે. આવા પ્રેમ અને શાંતિ ભરેલા ચારિત્ર મહારાજાના વચને સાંભળતાં જ તે જીવો યથાર્થ સ્વરૂપ સમજે છે, અને ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાને દેખતા થવાના ઉપાય પૂછે છે કે અમારે અધાપા દૂર કરવા માટે એટલે મેહ રાજાને હરાવવા સામેા યે મંત્ર જપવો ? જેથી માહરાજા ભાગી જાય અને અમે દેખતા બનીને આત્મકલ્યાણ કરવામાં સાવધાન થઇએ. ત્યારે ચારિત્ર (ધાર ગુરૂ) મહારાજાએ કહ્યું કે પૂર્વે કહેલેા જે ચાર અક્ષરાને મેાના મંત્ર છે તેમાં અતૢ (હું) ની પુર્વે અને મમ (મારૂ) ના પૂર્વ નકાર જોડવા. એટલે નાદંન મમ એમ માહુને જીતનારા પાંચ અક્ષરના મંત્ર બનશે. તેનેા અર્થ એ છે કે હું નથી અને મારૂં નથી. એનુ પણુ તાત્પર્ય એ છે કે હે ભવ્ય જીવા! દુનિયાના દેખાતા આ તમામ ધન આદિ પદાર્થો મેાડા વ્હેલા અચાનક આયુષ્યના અંત આવતાં તમારે છેાડવાનાં જ છે. અથવા તમારા દેખતાં જ એ ચાલ્યા જશે માટે તે પદાર્થના હું માલિક છું. અથવા તે પદાર્થો મારા છે, એમ માનવું તદ્ન ગેરવ્યાજખી છે, જેથી એમ વિચારે કે નાદું એટલે હું તે પદાર્થના માલિક નથી અને મમ એટલે તે વ્હેલાં કહેલા સાંસારિક પદાર્થો પણ મારા નથી. હું એકલા જ છુ, આ દુનિયામાં મારૂ કાઇ નથી. અથવા કાઇ કાઇનુ ( સગું) નથી. સર્વે સ્વાના જ સગાં છે. સ્વાર્થ સર્યા પછી શત્રુના જેવું વન રાખે છે. સંસારી જીવા એકલા જ જન્મે છે અને એકલા જ મરે છે. કાઇ કાઇની સાથે જતું જ નથી. સાથે તે પુણ્ય પાપ જ જાય છે, મારા આત્મા શાશ્વત છે. તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાદિ અપૂર્વ ગુણાના ભંડાર છે અને તેજ રૂડા દર્શનાદિ પદાર્થ મારી વસ્તુ છે. તે ગુણુાને ધારણ કરવાથી મારા આત્માનું જરૂર કલ્યાણ થશે. અત્યાર સુધીમાં મે સંચાગ (મારાપણાના સંબંધ) ને લઈને જ ઘણાં દુ:ખા ભાગન્યા છે. હવે તેવા સંયેાગના ત્યાગ કરૂ છું. અને હવે હું ચારિત્રની આરાધના કરવાને ઉજમાલ થઉં છું, આ મેહરાજાને જીતવાના પરમ મંત્રનું રહસ્ય જેમ જેમ વધારે વિચારીએ તેમ તેમ મેાહની ઉપર અરૂચિ અને ચારિત્ર ધર્મની ઉપર પ્રેમ વધતા જ જશે. તથા અધ્યાત્મ માર્ગના પવિત્ર આદર્શ જગતના જીવાની આગળ રજુ કરનારા અને પરમ ત્યાગ મૂર્ત્તિ તેજ પવિત્ર શ્રી તીર્થંકર દેવ ચારિત્રના મહિમા આ પ્રમાણે ભવ્ય જીવાને સમજાવે છે—આત્માની અનંત શક્તિએ વિચિત્ર માહનીયાદિ કર્મોના જુદી જુદી જાતના ઉદય રૂપી વાદલાએથી ઢંકાઇ છે. તેને પ્રકટ કરી અપૂર્વ શાંતિ ના અને સ્વાભાવિક રમણતાને અનુભવ કરાવવાને એક ચારિત્ર જ સમર્થ છે. હિંસાદિ પાંચે આશ્રવાના મૂલથી જે ત્યાગ કરવા, અને પાંચે ઇંદ્રિયાને વશ રાખવી, તથા ચારે ક્જાયાને જીતવા અને મનદડ વિગેરે ત્રણે દડના ત્યાગ કરવા તે સંયમ ચારિત્ર અથવા દીક્ષા કહેવાય. ટુંકામાં કહીએ તે એમ પણ કહી શકાય કે-મૈત્રી આદિ ચારે ભાવના ભાવવા પૂર્વક આઠે પ્રવચન માતાની અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુ ધર્મની સેવના કરવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org