SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સાધે છે, એ અપેક્ષાએ જ મનુષ્ય ગતિ ઉત્તમ કહી શકાય છે. એથી એમ સમજાય છે કે તમે પવિત્ર મનુષ્ય જીંદગી સંયમ સાધવાને માટે જ પામ્યા છે, નહિ કે પાપ કરવા માટે પામ્યા છે, નરકાદિ ગતિઓમાં મિથ્યાવાદિના પ્રતાપે નિકાચિત અવસ્થા સુધીના બાંધેલા કર્મો અહીં (મનુષ્ય ગતિમાં) નહિ ખપાવે તે બીજી કઈગતિમાં ખપાવશે? દેવો વિષયાસક્ત છે, અને નારકીઓ દુખેથી ગભરાયેલા છે, તથા તિયે વિવેક વિનાના છે. માટે કર્મોને ખપાવવાના સાધને અહીં મનુષ્ય ગતિમાં જ છે. એમ સમજીને જેવી રીતે શ્રી જંબૂ સ્વામી વિગેરે પુણ્યશાલી જીએ વિષ્ટા અને મૂત્રાદિ અશુચિ પદાર્થોથી ભરેલી ચામડાની કથળી જેવી સ્ત્રી અને ધન વિગેરેને મોહ છોડીને સંયમ પાલી કેવલી થઈને શિવલક્ષ્મી આદિ સંપદાઓ મેળવી, અને ધન્યકુમાર તથા શાલિભદ્દે સંયમના જ પ્રતાપે અનુત્તર વિમાનના સુખો મેળવ્યા, તથા અવતી સુકુમાલે નલિની ગુલ્મ વિમાનની ત્રાદ્ધિ મેળવી. તેવી રીતે તમારે જે જન્મ જરા અને મરણના દુઃખ ટાળીને મુક્તિના અક્ષય સુખ પામવાની ઈચ્છા હોય તે પવિત્ર સંયમને સાધી લે. જો કે અત્યાર સુધી મેહના પંઝામાં તમે સપડાયા, તેથી તમારી ઘણું પાયમાલી થઈ છે. છતાં હજુ બાજી હાથમાં છે. અમારા કહ્યા પ્રમાણે હાલ પણ ચેતશે અને સંયમને સાધશે, તો જરૂર તમારું કલ્યાણ થશે. આવા પ્રકારની ચારિત્ર મહારાજાની દેશના સાંભળીને મહારાજાના પંઝામાં સપડાયેલા ઘણા જી ચારિત્ર (ધારીગુરૂ) મહારાજાની છાયામાં આવી નિર્મલ ધર્મારાધન કરવા લાગ્યા. હવે મેહરાજા વિચારે છે કે જે હું સાવધાન થઈને કંઈ પણ ઉપાય નહિ કરું, તે મારૂં તમામ સૈન્ય ચારિત્ર રાજાની પાસે જશે અને હું નિરાધાર બનીશ. હાલ પણ ધીમે ધીમે ચારિત્ર રાજાની પાસે મારૂં ઘણું સૈન્ય ચાલ્યું ગયું. એમ વિચારી ચારિત્ર રાજાના પક્ષમાં ગયેલા તમામ ને વશ કરવા માટે “શસ્ત્રપ્રયાગ કરતાં ઘણે ટાઈમ લાગે, અને ઘણું જીવો ભાગી પણ જાય.” તેથી તે મહારાજાએ મંત્રપ્રયાગ કરવાનો નિર્ણય કરી “મહું અને મન ” આ ચાર અક્ષરેને મંત્ર જાપ કર્યો, જેથી તેની અસર જે જીવન ઉપર થઈ, તે બધા જ મુંઝાયા અને પિતાનું ખરૂં સ્વરૂપ ભૂલી ગયા. હું અને મારૂં એવા વિચારોથી મોહને વશ થઈને તેઓ અનેક આરંભ સમારંભ કરવા માંડયા. મંત્રને સાર એ છે કે મોહિત આત્માએને કઈ પૂછે કે આ ગામને અથવા નગરને શેઠિયે કેણ છે? ત્યારે તે કહેશે કે હું આ ગામને અથવા નગરને શેઠિો છું. વળી કઈ માણસ મેહિત જીવોને પૂછે છે કે આ લક્ષ્મી સ્ત્રી-કુટુંબ-ઘર-દુકાન વિગેરે કેના છે? ત્યારે તે મૂઢ આત્માઓ કહેશે કે એ બધું મારું છે. એમ હું અને મારું એવા મોહગર્ભિત વિચારથી મેહ રાજાના ગુલામ બનેલા છે તે સ્ત્રી કુટુંબ વિગેરે કે જે જન્મતા સાથે લાવ્યા (આવ્યા) નથી, અને સાથે લઈ જવાના (આવનાર) નથી, મૂકીને પરભવમાં ગયા પછી યાદ પણ આવવાના નથી, કારણ કે પાછલા ભની અંદર ઘણાંએ ઘર-દુકાન-લક્ષમી પુત્ર-સ્ત્રી આદિ છોડયા હશે, પણ તેમાંનું કંઈ પણ યાદ આવતું નથી કે ગયા ભવના સ્ત્રી આદિનું શું થતું હશે. છતાં તે (ધન, સ્ત્રી વિગેરે) ને માટે એવા અનેક પાપકર્મો કરે છે, કે જે કર્મોના ૧. આ નામનું વિમાન સૌધર્મ દેવલોકમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy