SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩. સંયમ ગુણ પામ દુર્લભ કહ્યા છે. જેનાથી બાંધેલા કર્મો ખાલી કરી શકાય તે ચારિત્ર કહેવાય. શાસ્ત્રકાર ભગવંતે આ ચારિત્રના મુખ્ય બે ભેદ વર્ણવ્યા છે. ૧. સર્વવિરતિ ૨. દેશવિરતિ, આ બે ભેદમાં સર્વવિરતિને પ્રથમ કહેવાનું કારણ એ કે મુક્તિનું અનન્તર કારણ સર્વવિરતિ જ છે, દેશવિરતિ નથી. સર્વવિરતિને ગ્રહણ કરવાને અસમર્થ જીવો સર્વવિરતિના પ્રથમ પગથિયા (અભ્યાસ) રૂપ દેશવિરતિને અંગીકાર કરે છે. આજ કારણથી પ્રભુદેવ દેશનામાં પણ પહેલા સર્વવિરતિ સંયમને જ ઉપદેશ આપે, તે સાંભળીને જે ગૃહસ્થ સંસારી જી એમ જણાવે છે કે હું આપે જણાવેલ સર્વવિરતિ કે જેમાં આકરા પંચ મહાવ્રતો પાલવાના છેતેને ગ્રહણ કરવાને સમર્થ નથી, જેથી મારા ઉદ્ધારને માટે બીજે ઉપાય બતાવો. ત્યારે મુનિ મહાત્માઓ સંસારી જીવોને કહે કે હે ભવ્ય જ ! આ પંચ મહાવ્રતની આરાધના અપૂર્વ શાંતિને દેનારી અને આત્માના અપૂર્વ ગુણે પ્રકટાવી અલ્પ કાલમાં મુક્તિપદ પમાડનારી છે. તમારે ખરે શત્રુ મેહ છે. શાસ્ત્રકારે તેને મદિરાની વ્યાજબી ઉપમા આપી છે. તથા તે બલિષ્ઠ લૂટારે છે. કારણ કે સમ્યગ્દર્શનાદિ વાસ્તવિક આત્મિક ધનને ચોરનાર છે. અને તે મેહ ચારિત્ર (સર્વવિરતિ) મહારાજાને પરમ શત્રુ અને ઈર્ષાળુ છે, જ્યારે ચારિત્ર મહારાજા દુનિયાના જીવોને સમજાવે છે કેહે ભવ્ય જીવો ! જેમ માંખી બળખામાં ચૂંટે તેમ તમે શા માટે ભોગ (રૂપી બળખા) માં ચેટી (વળગી) રહો છે. યાદ રાખજે કે મારું કહેવું નહિ માને તો છેવટે પસ્તાઈને દુર્ગતિના દુઃખો અનેક સાગરોપમ જેવા ઘણું લાંબા કાલ સુધી ભોગવવા પડશે. તમારા ભલાને માટે હું કહું છું કે તમે જે આવી મેહગર્ભિત પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેથી તમને દુઃખજ (નફે) મલશે, પરંતુ સુખ તે કદી મલશે જ નહિ. શું કુદરતી નિયમ પણ તમે ભૂલી ગયા ? તે એ છે કે જેવું કારણ હોય, તેવું કાર્ય થાય. જેમ લીંબડાનું બી વાવીએ તે શેલડીને સાંઠે ઊગે જ નહિ. પણ નબળી જ ઊગે તેમ. જે શબ્દાદિ ભેગે દુઃખના જ સાધને છે તેવા સાધનેને સેવવાથી સુખ મેલે જ નહિ. જરૂર સમજજો કે તમે ક્ષણિક અને અજ્ઞાનથી (સુખરૂપ) માની લીધેલા સુખને માટે ભેગોને સેવે છે, પણ તેમ કરવાથી તે જરૂરી તમારા શરીરમાં ક્ષય ભગંદર આદિ ભયંકર અસાધ્ય રોગો થશે. આ રોગોની પીડા રીબાઈ રીબાઈને ભોગવવી પડશે, અને અસમાધિ મરણ પામી તીવ્ર દુ:ખોથી ભરેલી દુર્ગતિમાં જવું પડશે. માટે હજુ પણ સમજીને એ રસ્તો છોડી દેવો જ વ્યાજબી છે. તમે અનંત શક્તિઓના માલીક છે, છતાં તમને ભેગ તૃષ્ણ જ કાયર બનાવે છે. ખરેખર આશાની ગુલામી જ્યાં સુધી હોય છે, ત્યાં સુધી જ સર્વેના ગુલામ થઈને રહેવું પડે છે. જેમણે આશાને ગુલામડી જેવી બનાવી દીધી છે, તેઓની આગળ આખા જગતના જીવો દાસ જેવા થઈને નમસ્કાર કરે છે, આ બાબતમાં “ચલના હૈ રેણુ નહિ હૈ ” આવું બોલનારી બેગમનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. સંસાર એ વિવિધ દુઃખોથી જ ભરેલે છે, તેમાં જન્મ જરા અને મરણના તીવ્ર દુઃખ રહ્યા છે. નરકાદિ ચારે ગતિને જ્ઞાન દષ્ટિથી વિચાર કરશે તે માલુમ પડશે કે એકે ગતિમાં લાંબા કાલ સુધી ટકે એવું ખરું સુખ છે જ નહિ. છતાં ચેતીને ચાલનારા છ મનુષ્ય ગતિમાં જ મુક્તિના સાધન ભૂત પવિત્ર સંયમને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy