________________
તેવો અવસર શું વારંવાર આવે ખરે કે? એટલે જેમ તેવી પીઠ અને તે અવસર આ બંને વારંવાર મળવા દુર્લભ છે, તેમ મનુષ્યપણું પણ વારંવાર મળવું (તેથી પણ) વધારે દુર્લભ છે. માટે જ સમ્યગ્દષ્ટિ મહર્તિક દે પણ આ મનુષ્યપણને ચાહે છે. આ દેવામાં કેટલાએક ભાવી તીર્થકરના પણ જેવો હોય છે. તેમને મનુષ્યપણું પામવાની તીવ્ર ઉત્કંઠા હોય છે. તેઓ એમ વિચારે છે કે કયારે અમે મનુષ્યપણું પામીશું? અને સર્વવિરતિ ચારિત્રની સાધના કરતાં કરતાં ક્ષેપક શ્રેણિમાં આરૂઢ થઈ ચારે ઘાતી કર્મો (જ્ઞાનાવરણયદર્શનાવરણીય-મેહનીય-અંતરાય) નો નાશ કરીને કેવલજ્ઞાન પામીને પિતાને ઉદ્ધાર કરવા સાથે બીજા પણ ભવ્ય જીવોને સંસાર સમુદ્રને પાર પમાડીશું ! આથી સહજ સમજાય છે કે મનુષ્યપણું દુર્લભ છે. એમાં પણ આર્ય દેશ અને ઉત્તમ કુળ મળવું દુર્લભ છે. કારણ કે અનાર્ય છે અને નીચ કુલમાં જન્મેલા જ અજ્ઞાન અને મેહને લઈને માનવ જન્મ પામ્યા છતાં પણ તેને હારી જાય છે.
૨ શ્રતિ–શ્રી જિનેશ્વર પ્રભુની દેશના સાંભળવાથી મનુષ્ય જન્મને સફળ કરવા માટે આપણે કઈ કઈ ફરજો બજાવવી જોઈએ, એ બધું સમજી શકાય છે. અને તે પ્રમાણે વતીને માનવભવ સફલ કરી શકાય છે. આ મુદ્દાથી એમ કહ્યું કે મનુષ્યપણામાં શ્રી તીર્થકર પ્રભુની દેશના સાંભળવી એ દુર્લભ છે.
૩ શ્રદ્ધા–પુણ્યના ઉદયે કેઈક જ મનુષ્યપણું પામીને શ્રી તીર્થકરની દેશના સાંભળે ખરા, પણ તે પ્રભુદેવના વચન ઉપર શ્રદ્ધા ન હોય તો તે સાંભળવું નકામું છે. એટલે જે ભવ્યજી શ્રદ્ધા પૂર્વક પ્રભુની દેશના સાંભળે, તેઓ યથાર્થ ધર્મારાધન કરીને માનવભવ સફલ કરી શકે છે. આ મુદ્દાથી એમ કહ્યું કે શ્રદ્ધા ગુણ દુર્લભ. પ્રભુ શ્રી તીર્થ કરદેવે કહેલી પદાર્થ તત્ત્વની બીના સાચી જ છે. તેમાં સંદેહ રખાય જ નહિ. કારણ કે પ્રભુદેવે અસત્યના બધાએ કારણે નાશ કર્યો છે. આવી જે ભાવના તે શ્રદ્ધા કહેવાય.
૪ સંયમ–પહેલાં ત્રણ વાનાની જે દુર્લભતા જણાવી, તે ઉપરથી એ સમજવું કે તે ત્રણે સાધને સંયમના મદદગાર છે. એટલે મનુષ્ય ભવમાં ગુરૂના સમાગમથી પવિત્ર વાણું સાંભળીને શ્રદ્ધા ગુણ પ્રકટ થાય, પણ સંયમની ખામી હોય તે મુક્તિપદ ન પામી શકાય. સંયમ ( ચારિત્ર ) ગુણ પણ હેજે પમાત નથી, પણ સમ્યગ્દર્શન ગુણને પામતી વખતે જે સાતે કર્મોની પોપમના અસંખ્યાતમા ભાગે કરી ન્યૂન એક કડાછેડી સાગરોપમની સ્થિતિ હતી, તેમાંથી જયારે બે થી નવ પલ્યોપમ પ્રમાણ સ્થિતિ ઓછી થાય, ત્યારે દેશવિરતિ ગુણ પ્રકટ થાય છે. અને તે ઉપરાંત જ્યારે સંખ્યાતા સાગરેપમ પ્રમાણ સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિ ચારિત્ર ગુણ પ્રકટ થાય. આ કારણથી ૧. તેટલી સ્થિતિવાલા કર્મલિકે.
२ सम्मतमि य लध्धे--पलियपुहुत्तेण सावओ हुज्जा ॥ . चरणोवसमखयाणं--सागरसंखंतरा हुति ॥ १॥ प्रथमपंचाशके ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org