________________
|શ ન સમીછવાવિવર | ॥ णमो विसयबंभचेरधारग-सुग्गहियणामधिज्ज-तित्थुद्धारग-छत्तीसगुणपरिकलिय-पंचपत्थाणमय सूरिमंतसमाराहग-परमगुरु-परमेावयारि-परमपुज्ज-पुज्जचरणारविंदायरिय.
पुरंदर-सिरिविजयणेमिसूरीणं ॥
છે પ્રસ્તાવના ! આવૃત્તિ બીજી છે
રાત્રુિત્તમ્ |
ठियप्पणं पोयं भवजलहिमज्ञ समिवरं । सयायाराहारं सयइसयसंपुण्णनिलयं ॥ पमाएणं हीणं दिणयरनिहं तित्थगयणे। णमेमो णेमीसं भविहिययरं सूरिपवरं ॥ १ ॥
લોકોત્તર કલ્પવૃક્ષ સમાન શ્રી જૈનેન્દ્રશાસન રસિક ધર્મવીર બંધુઓ ! માનવજીવન રૂપી અમૃતફલ એ એવો ઉત્તમમાં ઉત્તમ પદાર્થ છે કે જેની મીઠાશની આગળ બીજા તમામ મિષ્ટ પદાર્થોની મીઠાશ ઉતરતી કેટીની જ ભાસે છે. પરંતુ તેને યથાર્થ અને પૂરેપૂરો સ્વાદ લેનારા પુણ્યશાલી જીવો જગતમાં વિરલા જ હોય છે. જે ભવ્ય જીવો કર્મબંધના કારણોને ધ્યાનમાં રાખીને નિરંતર પરમ ઉલ્લાસથી સંવર ભાવની સાધના કરે છે, તેઓ જ માનવજીવન રૂપી અમૃતફલને સંપૂર્ણ સ્વાદ લઈ શકે છે. આવા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જેમાં સૌથી પહેલા નંબરના પ્રભુ શ્રી તીર્થકર દેવ ગણી શકાય. કારણ કે એ દેવાધિદેવ ભગવંત મુક્તિના જે ચાર પરમ અંગ ( કારણો છે તેની સંપૂર્ણ સાધના કરીને પોતાને ઉદ્ધાર કરે છે, અને નિ:સ્પૃહભાવે દેશના દઈને સંસાર રૂપી સમુદ્રમાં બુડતા બીજા ભવ્ય જીને પણ તારે છે. મુક્તિપદને દેનારા ચાર મોટા કારણોની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી–
૧ મનુષ્યપણું-ચાર ગતિમય સંસારની અંદર ઇંદ્રપણું, ચક્રવર્તિ પર્ણ વિગેરે ઘણી વાર પામી શકાય છે, પણ મનુષ્યપણું વારંવાર પામી શકાતું નથી. આપણે વ્યવહારમાં પણ નજરે નજર જોઈએ છીએ કે, રૂ કાપડ વિગેરે પદાર્થોને વ્યાપારની પીઠ (મેસમ) વારંવાર આવતી નથી, અને સારા વખતમાં જે દાન ધર્માદિની સાધના થઈ ગઈ હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org