________________
દેશનાચિંતામણિ ] માંસ અને ચામડીનાં જ બનેલાં છે, માટે તેને જોઈને રાચવા જેવું (રાજી થવા જેવું) કંઈ નથી. ૩૧૯ લાળથી જ ભરેલ તે સુંદર જણાતા દાંત આ,
અસ્થિ કેરા ખંડ કમસર વિબુધ મનમાં માનતા; હાર્દ તમ રૂપ નાર કેરાકેશ પાસ વિચારવા,
માંસ કેરા પિંડ સ્તન દુર્ગંધમય મન માનવાં. ૩૨૦ અર્થ:–વળી સ્ત્રીના આ દાંત જે સુંદર જણાય છે અને જેને શૃંગાર શાસ્ત્રમાં મોહી જનેએ દાડમની કળીની ઉપમા આપી છે તે તે લાળથી ભરેલા હાડકાના કકડા છે અને તે અનુક્રમે હારબંધ ગઠવેલા છે, એ પ્રમાણે વિવેકવંત પંડિત પુરૂષ સ્ત્રીના દરેક અંગનો હાર્દ એટલે ભાવાર્થ વિચારે છે. વળી સ્ત્રીના કેશપાશ એટલે વાળ જેને સર્પની ઉપમા આપી છે તે વિષયી જનોના હદયના અંધકારની શ્રેણિની જેવા જાણવા. વળી વિષયી પુરૂષને અત્યંત આકર્ષણ કરનારાં જે બે સ્તન તે માંસના બે પિંડ (ગેળા ) છે અને બહુજ દુર્ગધથી ભરેલા છે એ પ્રમાણે વિચારવું. ૩૨૦ ચર્મથી ઢંકાયેલાં બે હાડકાં રૂ૫ આ ભુજા,
તેવા કરાદિક જાણ એમાં આત્મહિતની શી મઝા ; ઉદર વિષ્ટાદિક પદાર્થ ગણે ભરેલું જાણીએ,
અશુચિ સંઘરનાર શ્રેણિબિંબ નિત્ય વિચારીએ. ૩૨૧ અર્થ --આની બે ભુજા એટલે બાહુ (ખભાથી કાંડા સુધીનો ભાગ) તે પણ બે હાડકાંના લાંબા ખંડ છે અને માંસથી ભરેલા છે તથા ચામડીથી ઢંકાએલાં છે. તેવા કરાદિક એટલે હાથ (હથેલી) વગેરે તે પણ તેવાજ એટલે હાડકાં અને માંસના બનેલા જાણવા. માટે વિવેકી જીવને આવી અશુદ્ધ વસ્તુઓમાં આત્મહિતને આનંદ કયાંથી મળે? વળી સ્ત્રીનું પેટ વિષ્ટાદિકથી એટલે મળ મૂત્ર વગેરે અપવિત્ર પદાર્થોના સમૂહથી ભરેલું છે એમ વિચારવું, તથા શ્રોણિબિંબ એટલે નિતંબ અથવા કેડને પાછલે ભાગ તે અશુચિને સંઘરનાર એટલે અશુચિને ભંડાર છે એ પ્રમાણે વિવેકી જીવે હંમેશાં મેહનું જોર ઘટાડવાને માટે જરૂર વિચારવું જોઈએ. ૩૨૧ સાથળ ભરેલ વસાદિથી તે કિમ હરે મન વિબુધનાં,
પગ પાંજરાં બે સ્નાયુ આદિકનાં ગણે ઈમ સજ્જના; વચન કાલું મારનારૂં છેર જેવું નારનું,
શુક્ર શેણિત જનિત તન આ ગેહ દ્વાદશ દ્વારનું. ૩૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org