________________
ર૬૪
( શ્રી વિજ્યપદ્રસૂરિકૃતમલ ભરેલું ચામડીથી શોભતું તેના વિના,
વૈરાગ્ય અતિ પ્રગટાવતું મનમાંહિ તે માહિતતણ હારું શરીર પણ તેહવું ઈમ તત્ત્વ ખુબ વિચારતા,
સંકલ્પને વિણસાવતા ભવિ જીવ મોહ હરાવતા. ૩૨૩
અર્થ:–વળી સ્ત્રીની બે સાથળે (કેડથી નીચેને ઢીંચણ સુધીને ભાગ) તે વસાદિક એટલે ચરબી તથા લેહીથી ભરેલી છે તે વિબુધ એટલે સમજુ પુરૂષનાં મનને કેવી રીતે હરણ કરે–આકર્ષે ? અર્થાત ન જ આકર્ષે. વળી સજ્જન પુરૂષ સ્ત્રીનાં બે પગને –નસો વિગેરેથી બનેલાં બે પાંજરાં જેવા માને છે. વળી સ્ત્રીનું કાલું કાલું સુંદર વચન પણ ઝેર જેવું વિચારવું. કારણ કે તે સુંદર વચનમાં ફસાઈને વિષયી જીવો મરણને શરણ થાય છે. વળી સ્ત્રીનું આ શરીર રૂપી ઘર વીર્ય અને લેહી એ બેનાં મિશ્રણથી બનેલું છે અને બે આંખ, બે કાન, નાકનાં બે છિદ્ર, મુખ, બે એનિ, બે સ્તન અને ગુદા એ ૧૨ દ્વારવાળું છે, કે જેમાંથી હંમેશાં અશુચિને પ્રવાહ વહ્યા કરે છે એટલે આ બાર દ્વારે કરીને સ્ત્રીના શરીરમાંથી હંમેશાં અશુચિ ઝર્યા કરે છે. આવું શરીર તે ઉપર વીંટાએલી ચામડીથી જ શેભાયમાન લાગે છે, પરંતુ જે આ સુંદર જણાતા શરીર ઉપરથી તે ચામડી દૂર કરવામાં આવે તે મેહિત થએલા મનુષ્યના મનમાં પણ એ શરીર ઘણા વૈરાગ્ય ભાવને ઉપજાવે છે. વળી હે જીવ! તારું પિતાનું આ શરીર કે જેની તું બહુ કાળજી રાખે છે તે પણ તેવા અશુચિ પદાર્થથી ભરેલું છે, એ પ્રમાણે દેહ તત્વને ખરો વિચાર કરનારા ભવ્ય જીવ સંકલ્પને એટલે વિષયભેગના વિચારને દૂર કરે છે અને મેહને હરાવે છે એટલે મેહ તેમને કાંઈ પણ ખરાબ અસર કરી શકતો નથી. ૩૨૨-૩૨૩
વાયુની જિમ ચલ મન નારી તણું મન વિબુધતા,
ઉપજાવતું ના રાગ લવ પણ ઈમ વિચારે તેહના; જળમાં પડેલા ચંદ્રની જિમ ચિત્ત નારીનું અરે,
પકડાય ના સુર મુક્તિ સુખ વિસાવનારી આ ખરે. ૩૨૪ અથ–પંડિત પુરૂષ એમ વિચારે છે કે સ્ત્રીનું ચિત્ત વાયુના જેવું ચપલ હોય છે. એટલે વાયુ જેમ એક ઠેકાણે સ્થિર નહિ રહેતાં ફર્યા કરે છે તેમ સ્ત્રીનું મન પણ જુદા જુદા પુરૂષ તરફ આકર્ષાય છે. તેથી તેઓના મનમાં ચપલ ચિત્તવાળી સ્ત્રી જરા પણ રાગ ઉપજાવી શકતી નથી. કારણ કે તે સમજુ પુરૂષ એવું વિચારે છે કે નારીનું ચિત્ત તો પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબના જેવું છે. તેથી જેમ તે ચંદ્રનું બિંબ પકડી શકાતું નથી તેમ સ્ત્રીના મનને વશ રાખી શકાતું નથી. તેમજ સ્ત્રીને ભાવ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org