________________
દેશનાચિંતામણિ ]
૨૬૫ નવરી અને અણઘટતા વિચારો આવે તેમાં સ્ત્રીને જ કેવળ દેષ કેમ ગણાય? માટે તમારી વહુ હવે મનને વશ રાખી શકતી નથી, તો તેને ગ્ય ઉપાય એ છે કે એને રાત દિવસ ઘરના કામમાં એવી ગુંથે (જેડી દ) કે જેથી તેને (વહુને) ઘડીની પણ ફુરસદ ન મળે અને કુવિચારે ન કરે. આ પ્રમાણે ડોસીએ કહેલી સર્વ વિગત ધ્યાનમાં લઈને શેઠે ઘેર આવી તુર્ત જ સર્વ પરીવારને શેઠાણુને અને વહુને રૂબરૂમાં બોલાવી કૃત્રિમ ક્રોધ કરીને શેઠાણને કહ્યું કે ઘરમાં સમજણ વહુ આવ્યા છતાં તે ઘરનાં વૈતરાં જ્યાં સધી કરીશ ? અને ઘરના કામકાજમાં વડને કેમ સમજ પાડતી નથી ? કેમ ત્યારે એકલીને જ બધા ઘરની માલકી ભોગવવી છે ને? અને ઘરમાં વહનું કંઈ ચાલે નહિ ? માટે હવે તારે તેવું માલકીપણું છેડી દેવું પડશે અને ઘરનો સર્વ કારભાર વહુને સેંપી દે, પૈસા ટકા જેને જે જોઈએ તે વહુને પૂછી પૂછીને લેવા અને કંઈ પણ લાવવું કે મેકલવું હોય તે વહુને પૂછીને જ કરવું, તારી કુંચીઓ વહુને સેંપી દે અને ત્યારે પણ ઘણા કામમાં વહુને પૂછવું, સર્વ પરિવારને પણ હુકમ કરી દીધું કે આજથી તમારે કંઈ પણ કાર્ય હોય તે વહુને પૂછીને જ કરવું, અને શેઠે સર્વની સમક્ષ જ શેઠાણીએ રાખેલી ઘરની કુંચીએ વહુને સંપાવી દીધી. ઘરના કારભારને આ એકાએક પલ્ટો થયે જાણી સર્વના મનમાં આશ્ચર્ય થયું. અને વહુને આશ્ચર્ય સાથે હરખને પાર રહ્યો નહી. એટલે તે રાજી થઈ ગઈ. અને હવે ઘરની માલિક પિતે બની તેથી તે (પુત્રવધૂ) ઘરના કાર્યમાં એટલી બધી ગુંથાઈ ગઈ કે કેઈની સાથે તેને નિરાંતે વાત કરવાની પણ ફુરસદ મળતી નથી તે અણઘટતા વિચારો ઉપજવાની તે વાત જ શી ? આ પ્રમાણે કેટલાક દિવસ વીત્યા બાદ શેઠે ડેસીને વહુના (વર્તમાન–હાલના) વિચારો જાણી લેવા કહ્યું. ત્યારે ડોસીએ એક દિવસ વહુને બોલાવીને એકાન્તમાં પૂછયું કે તે મને પહેલાં જે વાત કરી હતી તે બાબતને ઉપાય મેં ગોઠવી રાખે છે માટે જે તું કહે તો આજે જ તે ઉપાય કરીએ. ત્યારે વહુએ કહ્યું કે હે ડોસીમા! હવે તે તે બાબતની વાત જ શી ? હારે માથે ઘરને બધો કારભાર આવી પડે છે તેથી હવે તે મને પલક (ક્ષણ) વારની પણ ફુરસદ નથી ને તેથી તેવા કુવિચાર પણ પ્રગટતા નથી, એ વિચારો તે હું પહેલાં નવરી નકામી બેસી રહેતી તેથી જ આવતા હતા. અને હવે મને જરા પણ નવરાશ મળતી નથી. એ પ્રમાણે કામકાજમાં ગુંથાવાથી આ સ્ત્રીના ખરાબ વિચારો અટકી ગયા અને શેઠને પણ ડેસીએ વહુના વિચાર જણાવવાથી નિરાંત થઈ. અહીં દ્રષ્ટાંત પૂરું થાય છે.
આમાંથી હિતશિક્ષા એ મલે છે કે કામકાજ વિનાના નવરા માણસને જ દુષ્ટ વિચારે આવ્યા કરે છે. માટે સાધુ પુરૂ પણ પોતાના જ્ઞાન ધ્યાનની ક્રિયાઓમાં રાત દિવસ ગુંથાયેલા રહે તે તેમને સાધુપણાથી ભ્રષ્ટ થવાને પ્રસંગ ન આવે તેમ ગૃહસ્થમાં પણ પુરૂષ કે સ્ત્રીઓ પિત પિતાના કામમાં ગુંથાયેલા રહે તે પારકી નિંદા કુથલી કરે નહિં, વિષયવાસનાઓમાં મન જાય નહિં અને દુષ્ટ કાર્યો થતાં અટકે. માટે સર્વ વાતને સાર એ કે ભવિષ્યમાં દુઃખદાયી વિપરીત દેને અટકાવવા માટે પિતાપિતાના કાર્યમાં ગુંથાઈ
૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org