________________
દેશનાચિ'તામણિ ]
૨૫૭૪
વિલક્ષ વદનવાળી થઈ ગઈ; તથાપિ ખેદ પામ્યા વગર વારંવાર ખુશામતના શબ્દોથી ભરેલા કામદેવના અસ્રરૂપી પત્રા તેણે માકલ્યા. તે પણ મેરૂની જેવા નિશ્ચળ મકરંદ જરાપણુ ચળાયમાન થયા નહિ.
એક દિવસે મદિરા ગણિકાએ પાતાની ખાસ દાસીની મારફ્ત કહેવરાવ્યું કે- તમે તેા પત્થરની જેવા કઠણ છે, પરંતુ તમારા ઉપરના રાગને લીધે અત્યંત મૃદુ સ્વભાવવાળી થઇ જવાથી હું તમારા વિના જીવી શકીશ નહિ. તમને જાણ્યા! તમારૂ કલ્યાણ થાએ. પુનર્ભવમાં દન આપજો, હું હવે મૃત્યુ પામીશ.' મકરંદ તે સાંભળીને કાંઇ પણ જવાખ દીધા વગર દાસીની પાસેથી ઉડીને ચાલ્યા ગયા. દાસીએ તે બધું તેની મદિરા વેશ્યાને જણાવ્યું. પછી તે ગણિકાએ પાતાના આસ (જાણીતા) પુરૂષોની પાસે નગરથી દૂર બહારના ભાગમાં પેાતાને ઘેર આવી શકાય તેવી રીતે ભયમાં એક સુરંગ ખેાદાવી, અને બહારના ભાગમાં ભૂમિ ઉપર જમીનના એક પડ જેટલું ઢાંકણુ કરાવ્યું. તે દ્વારને સ્થળે તેની ઉપર, લાકડાં એવી રીતે ગોઠવ્યાં કે દ્વારની ખબર પડે નહિ. તે પ્રમાણે તૈયાર થયુ ત્યારે સ્નાન કરીને, દાન દઈને, મેાટા પુરૂષા સાથે અશ્વ ઉપર બેસીને ચિતામાં મળી મરવાના દેખાવ કરીને તે તરફ ચાલી. આ બીના સાંભળીને ‘આ સાચુ છે કે જૂઠ્ઠું' તે પેાતાની નજરે જોવા માટે વેષ બદલીને જ્યાં મેળેા મળ્યા હતા, તે જગ્યાએ મકરંદ પણ ગયા. તે ચિતાની પાસે જ ઉભા રહ્યો. તે ચકેાર જેવી યુવાન વેશ્યા પણ ઘેાડા ઉપરથી ઉતરી કાંઈક ઉંચી થઇને મેલી:–“ હે પરમેશ્વર ! હે લેાકપાલ ! હું મકરંદ નામના નિષ્ઠુર વણિકપુત્ર તરફ મદનને જીતે તેવા તેના રૂપ તથા ગુણુથી આકર્ષાઈ હતી, મે તેની પ્રાર્થના પણ કરી હતી; તે મકરદે ‘ગણિકા માત્ર માયાવી હાય છે ’ તેમ કહીને મારી વિનંતિ ગણકારી નહિ.. તેથી નિરાશા, વિષાદ તથા ખેદથી ગભરાયેલા અને મુંઝાયેલા મારા આત્માને હું તજી દઉં... છું. હું મહાજને!! તમે જુએ! ” આ પ્રમાણે મેલીને તેણે તરત જ ચિતામાં પ્રવેશ કર્યો. ઘેાડીવાર પછી તેના જાણીતા પુરૂષાએ અગ્નિ સળગાવ્યેા. લાત મારીને ભૂમિપટ ખાલી નાંખીને વેશ્યા સુખેથી ઘેર આવી, અને માયાકપટમાં કુશળ એવી તે ગણિકા સુખેથી છાની રીતે ઘરમાં રહેવા લાગી. મકરંદ તે તે ગણિકાની આ સ્થિતિ જોઇને આ બધું સાચુ માનતા “ અરે હું બહુ નિષ્ઠુર, પાપી, જડબુદ્ધિ વાળા છું, ” તે પ્રમાણે પાતાને નિદ્યતે સ્વગૃહે આવ્યા. મહાજનના લાકે પણ જુદી જુદી વિચિત્ર વાતા કરતા સ્વસ્થાને ગયા. અહીં મકરંદ ખાતા નહાતા, સુતા નહેાતા, ખેલતા નહેાતા, વિલેપન કરાવતા નહાતા, સ્નાન પણ કરતા નહાતા, માત્ર તેના દુ:ખથી દુ:ખી થઈને મૃત્યુ પામેલાની જેમ કાંઈ પણ કાર્ય કર્યા વગર બેસી રહેતા હતા. આંતરે આંતરે મદિરાને ઘેર જતા હતા. તેને ઘેર મદિરાના સંબધીએ તે મકરંદના દેખતાં ઔધ્વદૈહિક કૃત્યાદિ ( મરણ પાછળની ક્રિયા ) કરતા હતા, દાનાદિ આપતા હતા, તેના પરિજન વિલાપ કરતા હતા અને હૃદયમાં હણાયેલી હાય તેવી રીતે તેની મઝા બહુ શાક વડે ગાઢ સ્વરે ચંદન કરતી હતી. આ પ્રમાણે કેટલાક દિવસ
३३
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org