________________
૨૫૬
[ શ્રી વિજ્યપધસૂરિકૃતિલક્ષ્યમાં રાખીને વિવેકી ધર્મ જીએ તેવી સ્ત્રીઓના પરિચયથી અલગ રહેવું, અને સદાચાર–સંતેષમય ધાર્મિક જીવન ગુજારીને માનવભવ સફલ કરે જોઈએ. વળી આ સ્ત્રીની કપટજાલ કેવી વિચિત્ર હોય છે ? ભલભલા સમજુ માન ને પણ કઈ રીતે ફસાવે છે? આ બાબતમાં એક વેશ્યાની બીના પણ જાણવા જેવી છે. તે ટુંકામાં આ પ્રમાણે જાણવી--
કુંકુમપુર નામના નગરમાં હીરક નામના શેઠ રહેતા હતા. તેમને મકરંદ નામે તીવ્ર બુદ્ધિશાલી દીકરો હતો. તે વેશ્યાને ત્યાં કપટ વિદ્યા શીખવાને માટે રહ્યો હતો. ત્યાં તે વિદ્યા વિગેરે શીખી રહ્યો, ત્યારે કુટ્ટિનીએ (વૃદ્ધ વેશ્યાએ તેના બાપ હરક શેઠને તે પુત્ર પી દીધું. અને કપટ વિદ્યા વિગેરે શિખવવા નિમિતે હીરક શેઠ તેને લક્ષ (લાખ પિયા અથવા સોના હાર) પ્રમાણ દ્રવ્ય આપ્યું. અને તે કઢિનીએ શેઠની આગળ જણાવ્યું કે-હે શેઠ ! આ તમારો દીકરો અહીં કે દેશાન્તરમાં (પરદેશમાં) કેઈનાથી જે ઠગાય, તે મારો દંડ કરજો. આ હકીકત થયા બાદ પિતાની આજ્ઞા લઈ બીજે દિવસે મકરંદ અમરપુર નામના નગરમાં ગયો. ત્યાં રાજાને તેને પરિચય થતાં તેણે રાજી થઈને મકરંદને રહેવા માટે એક મહેલ આપે. ત્યાં રહીને કર્યો વિકય (માલની લેવડ દેવડ) કરે છે, અને સુખેથી રહે છે. અહીં ચોસઠ કળામાં કુશલ એવી એક મદિરા નામે વેશ્યા રહે છે. તે મદિરા નામની વેશ્યાને તેની વૃદ્ધાએ (ઘરડી વેશ્યાએ) કહ્યું કે- આ જુવાન માણસ (મકરંદ) પૈસાદાર જણાય છે. તેથી તેને તું રાજી કર, કે જેથી આપણે ઘણી લક્ષ્મી પામીશું” વૃદ્ધ વેશ્યાના આ વચન સાંભળીને અભિમાનથી મદિરાએ કહ્યું કેમારી આગળ મોટા મોટા કઠિન મનવાળા ભેગીઓ પણ ચલિત થઈ જાય, તે આ કોમળ. મનવાળ વાણિયે તે શા હિસાબમાં ? હમણાં આ કામ સાધું છું. એમ જણાવીને તે મદિરાએ મકરંદને બોલાવવા એક દાસીને તેની પાસે મોકલી. તે આવીને વિનયથી કહેવા લાગી કે હે શેઠ! અહીં મદિરા નામે મારી સ્વામિની (શેઠાણી) છે. જ્યારે તેણે આપને જોયા ત્યારથી તે આપની ઉપર તીવ્ર અનુરાગ ધારણ કરે છે. તેથી તેની સ્થિતિ હાલ કેવી થઈ છે, તે તમે સાંભળો –ઘડીકમાં તે સુવે છે, ઘડીકમાં બેસે છે, અને ક્ષણ વારમાં તેને તમ્મર (ચકી) પણ આવે છે. વળી ઘડીકમાં બેભાનપણે બોલ બેલ કરે છે.. ઘડીકમાં પ્લાન વદનવાળી થાય છે. તથા આસપાસ જોયા કરે છે. અને ભમ્યા કરે છે. તેમજ પથારીમાં આળોટત્યા કરે છે. મુંઝાયા કરે છે, મૂછ પામે છે અને બધાની ઉપર ક્રોધ કર્યા કરે છે.” આ પ્રમાણે વિસ્તારથી વાત કહીને કસ્તુરી વિગેરે ઉત્તમ વસ્તુઓથી સુગંધિત કરેલું પાનનું બીડું તેણે તેને આપ્યું, અને આવવાનું વચન માગ્યું, મકરંદે કાંઈપણ દાક્ષિણ્યતા રાખ્યા વગર દાસીને સ્પષ્ટ કહ્યું કે –“આવી તેની જે સ્થિતિ તું વર્ણવે છે તેને મુદો હું જાણું છું. માટે આવી તારી વાણીની યુક્તિને ઉપયોગ બીજે સ્થળે કરજે. ” તે સાંભળીને દૂતી શ્યામ મુખવાળી થઈ ગઈ, અને તેણીએ વેશ્યાની પાસે જઈ નમીને તેને બધી હકીકત કહી. તે ગણિકા તે સાંભળીને ફાળ ચુકેલી વાંદરીની જેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org