________________
૨૫૫
દેશનાચિંતામણિ ]
અર્થ–જે મનુષ્યોએ ઉત્તમ વિવેક રૂપી અમૃતને ચાખ્યું છે એટલે જે વિવેકી મનુષ્ય છે, આ સ્ત્રી તેમના તે વિવેકનું મિંઢલના દષ્ટાંતે વમન કરાવે છે એટલે વિવેકીના વિવેકનું વમન કરાવી અવિવેકી બનાવે છે. માટે સ્ત્રીને મિંઢલ સરખી કહી છે, કારણ કે મિંઢલ ફળ ખાધેલી વસ્તુને ઉલટી કરાવી બહાર કાઢી નાખે છે. વળી ઘણું કરીને સ્ત્રીમાં રહેલા નીચે લખેલા આ દેશે યાદ રાખવા. ૧ નિર્લજજતા એટલે લજજારહિતપણું, ૨ અતિલોભ એટલે ઘણે લેભ, ૩ સાહસ એટલે ગ્ય વિચાર કર્યા વિના કાર્ય કરવું, ૪ જૂઠું બોલવું, ૫ કપટ એટલે છળ પ્રપંચ કરવા, ૬ અશાચ એટલે અશુદ્ધિ અથવા સ્વ
છતા રહિતપણું અને ૭ મું નિર્દયપણું એટલે દયારહિતપણું, ૮ સ્વચ્છેદિપણું, ૯ કજીઓ વિગેરે દેશે સ્વભાવે જ પ્રાયે ઘણી સ્ત્રી જાતિમાં જણાય છે. આ બાબતને વિસ્તારથી સમજવા માટે જરૂરી દષ્ટાંતે યાદ રાખવા જેવા છે તે ટૂંકામાં આ પ્રમાણે જાણવા– * સ્ત્રી જાતિનું ક્ષટ જાણવાને માટે એક વૈષ્ણવ સ્ત્રીની બીને યાદ રાખવા જેવી છે તે ટુંકામાં આ પ્રમાણે જાણવી–
કર્ણિકાર નામના નગરમાં એક મોટા મંદિરમાં મુકુંદદેવને વિષ્ણુને) સ્થાપન કરેલા છે. જોકે તેમની પૂજા જૂદી જૂદી રીતે કરે છે, ને ચેમાસામાં જ્યારે મુકુંદદેવ શય્યામાં પોઢે છે, ત્યારે ઘણી સ્ત્રીઓ મહિના મહિનાના ઉપવાસ કરે છે, તેમાં કેટલીક સ્ત્રીઓ શુદ્ધ વ્રતવાળી હોય છે, ને કેટલીક સ્ત્રીઓ પાખંડ કરે એવી પણ હોય છે, તે પાખંડી સ્ત્રીઓ દેવની પાસે મહિનાના ઉપવાસની બાધા લે છે, પણ ભૂખી રહી શકતી નથી, તેથી દરરોજ રાત્રે રાત્રે ચૂરમું ખાય છે. એક વખતે રાત્રે તે પાખંડી સ્ત્રીઓમાંની એક સ્ત્રીને ખાતી જોઈને મુકુંદદેવે (વિષ્ણુ ભગવાને) પ્રત્યક્ષ થઈને પૂછયું કે હે સ્ત્રી! તું બહુ કપટી દેખાય (જણાય) છે, કારણ કે મહિના મહિનાના ઉપવાસનાં પચ્ચખાણ લે છે, ને દરરોજ રાતે તે તું ખાય છે. ત્યારે તે સ્ત્રી હાજરજવાબી હોવાથી તેણે તુર્ત હાજર જવાબ આપે કે હે દેવ! જેવા તમે અમારા સ્વામી કપટી છે, તેવા જ અમે તમારા સેવક છીએ. ત્યારે મુકુંદદેવે (વિષ્ણુ ભગવાને) પૂછયું કે હું કપટી કઈ રીતે છું? ત્યારે તે પાખંડી ભક્ત સ્ત્રીએ કહ્યું કે તમે બધાને તો એમ કહો છો કે ચોમાસામાં અમે પાતાલમાં સૂઈ જઈએ છીએ, તે છતાં અહિં જેમ તમે મારું ચરિત્ર જેવા આવ્યા, તેમ રાત્રે તે તમે લેકનાં ચરિત્ર જેવા નિકળી જાગરણ કરે છે, એ રીતે દિવસે પાતાલમાં સૂઈ રહીને રાત્રે ફરવા નિકળે છે, તે મઢેથી લોકને કહે છે કંઈ, ને કરે છે કંઈ, તેથી કહે ભગવાન! તમે કપટી ખરા કે નહિં? તે જ્યારે અમારા સ્વામીદેવ પોતે જ કપટી હોય તો પછી તેમના પછી તેમના ભક્ત અમે સેવક કપટી હેઈએ, એમાં નવાઈ શી? જગતમાં કહેવત છે કે
જેવા દેવ તેવા પૂજારી” આ હાજર જવાબ સાંભળીને મુકુંદદેવ પ્રસન્ન થયા અને તે સ્ત્રીને ઘણે વૈભવ આપો. (લૌકિક શાસ્ત્રની આ વાત છે) અહીં દષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી સમજવાનું છે કે સ્ત્રીઓ સ્વભાવે જ મહા કપટ દોષથી ભરેલી હોય છે. આ વાત જરૂર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org