________________
૨૫૪
( શ્રી વિજ્યપદ્વરિતસંતાપ નરકાનલ તણો એ આપનારી જાણીએ,
મોક્ષદાયક થાન શત્રુ નાર છમ ના ભૂલીએ; કાર્ય અને વિચારતી ને કપટથી કંઈ બોલતી,
અન્ય કરતી મહિના મન તે સુશીલા ભાસતી. ૩૧૫ અર્થ –વળી આ સ્ત્રી નરકાનલતણે એટલે નારક રૂપી અગ્નિના સંતાપને એટલે ઘણું તાપને આપનારી છે, કારણ કે સ્ત્રીને વિષે આસક્ત થએલો જીવ ઘણાં પાપ કર્મોને બાંધે છે તેથી અંતે નરકમાં જઈને ઘણાં દુઃખને ભોગવે છે. વળી મેક્ષ સુખને આપનાર શુભ ધ્યાન જે ધર્મધ્યાન તથા શુકલધ્યાન તેના શત્રુ સરખી સ્ત્રીને જાણવી. કારણ કે સ્ત્રીને વિષે આસક્ત થનાર શુભ ધ્યાન કરી શકતો નથી. તેમજ શુભધ્યાનમાં વતે જીવ પણ સંસર્ગથી ભ્રષ્ટ થાય છે. સ્ત્રી મનનાં કાંઈ વિચારે છે અને કપટથી કાંઈ બોલે છે. અને કાર્ય વળી તેથી પણ કંઈ જુદું કરે છે. એટલે બેસે છે તે પ્રમાણે વર્તન નહિ કરતાં જુદું વર્તન કરે છે. તે પણ મેહી એટલે તેના ઉપર મેહ રાખનાર જીવને સુશીલા એટલે સવર્તનવાલી જણાય છે. ૩૧૫ એન્દ્રજાલિકની પરે તે ઢાંકનારી દષ્ટિને,
વળેિલક લાખને જિમ તેમ નરના ચિત્તને, વિદ્રાવનારી સર્વ સાથે વૈમનસ્ય કરાવતી,
સંસાર ચક ભ્રમણ હેતુ ઈમ કહે શાસ્ત્રો અતિ. ૩૧૬ અર્થ:–જેમ ઈન્દ્રજાલિક વિદ્યાવાળે માણસ નજરબંધી કરીને મનુષ્યની દષ્ટિને ઢાંકી નાખે છે અને જૂદી જ વસ્તુઓ દેખાડે છે તેવી રીતે સ્ત્રી પણ તેના પ્રત્યે આસક્ત થએલા પુરૂષની દષ્ટિને ઢાંકી નાખે છે એટલે તે મનુષ્ય સ્ત્રીને કહ્યા પ્રમાણે વર્તનારે થાય છે અને વિવેકગુણને ભૂલાવી અવિવેકી બનાવે છે. વળી વહિગોલક એટલે અગ્નિને ગળે જેમ લાખને ઓગાળી નાખે છે તેમ આ સ્ત્રી પણ મનુષ્યના ચિત્તને વિદ્રાવનારી એટલે ઓગાળનારી છે. વળી સ્ત્રી સર્વ સગાં વગેરેની સાથે વૈમનસ્ય એટલે ઉંચાં મન કરાવનારી થાય છે. તથા સંસારચક્રમાં રખડાવવામાં નિમિત્ત કારણ સ્ત્રી છે એમ શાસ્ત્રો વારંવાર જણાવે છે. ૩૧૬ ચાખેલ શ્રેષ્ઠ વિવેક અમૃત જે જનોએ તે ખરે,
સેવેલ નારી તાસ વમન કરાવતી મિંઢલ પરે; નિર્લજજતા અતિ લોભ સાહસ જઠ કપટ અશિચ એ,
નિર્દયપણું એ સાત દોષ નારના સંભારીએ. ૩૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org