________________
ઉપર
| શ્રી વિજ્યપદ્યસૂરિકૃતઅર્થ:–આ સંસારમાં બે પ્રકારના જીવો છે તેમાં પ્રથમ આત્માનંદી જીવો જાણવા. કે જેઓ આત્માના ગુણોને વિષે નિરંતર રમણ કરનારા હોય છે. અને બીજા ભવાભિનંદી જી જાણવા કે જેઓ પરભાવ એટલે આત્માથી જુદા બીજા પુદગલાદિક ભાવો તેની સબતમાં રક્ત હોય છે. આમાંના પ્રથમ પ્રકારના એટલે આત્માનંદી જીવો એવો વિચાર કરે છે કે નરભાવ એટલે મનુષ્યપણું પામવું ઘણું દુર્લભ એટલે મુશ્કેલ છે. વળી ભાવ રત્ન એટલે આત્માના જ્ઞાનાદિક ગુણે રૂપ ભાવરત્નની પ્રાપ્તિ માટે મનુષ્યપણું રત્નની ખાણુના જેવું છે. અને પરંપરા એ મેક્ષનું કારણ છે. એટલે મનુષ્ય ભવ સિવાય બીજા કોઈ ભાવમાંથી મેક્ષ મળતો નથી. ૩૧૦
આત્માનંદી છની ઉત્તમ ભાવના બે કલેકમાં જણાવે છેમેળવ્યું આ નરપણું પુણ્ય અમે ગુરૂકટિમાં,
હમણાં ચઢયા હસે અમે તિણ વિષમ ભાવ ધનાદિમાં; પ્રતિબંધ કરવો ઉચિત ના ઈમ કરત ધાર્મિક માર્ગને,
પામે ઠગાય ન અન્ય મતિથી ના રહેજ કુધર્મને. ૩૧૧ અર્થ:–અમને આ મનુષ્યપણું પૂર્વના પુણ્યને લીધે મળ્યું છે. અને અમે હમણાં જ ગુરૂકેટિમાં એટલે ઉચ્ચ અવસ્થામાં આવ્યા છીએ. તેથી વિષમભાવ એટલે આત્માથી ઉલટા સ્વભાવવાળા અથવા પૌદ્ગલિક પરસ્વરૂપ એવા ધન વિગેરે પદાર્થોમાં હવે અમારે પ્રતિબંધ કરે એટલે આસક્તિ રાખવી તે વ્યાજબી નથી. આ પ્રમાણે કરવાથી ધાર્મિક માર્ગની પ્રાપ્તિ થાય છે. અને તેઓ અન્ય મતવાળાથી ઠગાતા નથી એટલે છેતરાતા નથી અને કુધર્મ એટલે ખરાબ ધર્મને ગ્રહણ કરતા નથી. ૩૧૧ સાધુ ધર્મની સેવના રૂપ કરત શુભ વેપારને,
ગુણ રત્ન કેરે નિચય કરતા ખેંચતા સાધમીને; સદ્દગુણોથી પૂરતા નિજ આત્મને આવું કરી,
સાધતા નિજ કાર્યને વિષયાદિ શત્રુ પરિહરી. ૩૧૨ અર્થ:–વળી એવી ભાવનાવાળા જીવો સાધુ ધર્મની આરાધના કરવા રૂપ શુભ વેપારને એટલે સારા વ્યાપારને કરે છે, અર્થાત્ આત્માને હિતકારી એવી સર્વ ઉત્તમ ક્રિયાઓ કરે છે. તેથી ગુણરત્નના એટલે જ્ઞાન, દર્શન વગેરે આત્માના ગુણો રૂપ સમૂહને એકઠો કરે છે એટલે આત્માના જ્ઞાનાદિક ગુણોમાં વધારે કરે છે અને સાધમીને એટલે સમાન ધર્મવાળા બીજા જીવોને પણ પોતાની તરફ ખેંચે છે. એટલે તેઓને ધમી બનાવે છે. અને આ પ્રમાણે કરીને પિતાના આત્માને સણોથી ભરે છે એટલે સદ્દગુણોની વૃદ્ધિ કરે છે. તેથી પિતાના જ્ઞાનાદિ ધર્મ કાર્યને સાધે છે એટલે સફળ કરે છે અને વિષય વગેરે શત્રુને એટલે રાગ દ્વેષ વિગેરે આત્માના ભાવ શત્રુઓને દૂર કરે છે. ૩૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org