SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ 1 ૨૫ તે બેઉમાં પણ તુલ્ય વૃત્તિ તુજ થશે જે સમયમાં, પાણીના બુબુદ સમા સંસારના સવિ અર્થમાં અશ્લીલ ચિત્ત કમળ થશે તિમ અંગ સુંદર ધારતી, નારને જોયા છતાં પણ વૃત્તિ મલિન નહિં થતી. ૩૦૮ અર્થ –એ પ્રમાણે કેઈ સુખડ ઘસીને તેને લેપ કરે અથવા કોઈ વાંસલાથી છોલે તે છતાં પણ જ્યારે તે બંને તરફ તારી તુલ્ય વૃત્તિ એટલે તારા સમાન પરિણામ થશે, અને પાણીના બદબુદ એટલે પરપોટાના જેવા (નાશવંત) આ સંસારના સર્વ પદાર્થોને વિષે તારૂં ચિત્ત અશ્લિલ એટલે જુગુપ્સાવાળું થશે. એટલે એ પદાર્થો તરફ તને કંટાળે ને તીરસ્કાર આવશે. વળી એવું સમભાવી રિત થશે કે સુંદર મેહક અંગને ધારણ કરનારી સ્ત્રીને જોયા છતાં પણ તારા પરિણામ મલીન થશે નહિ. એટલે તારૂં ચિત્ત તે સ્ત્રી પ્રત્યે મોહ પામશે નહિ. ૩૦૮ અર્થ કામ થકી વિમુખ તિમ ધર્મમાં રત મન બને, રજતમે હીન હૃદય નિષ્કલેલસ્તિમિત ઉદધિ બને, મૈત્રી પ્રમોદ કારૂણ્યને માધ્યચ્યવાસિત પણ બને, પરમ સુખ મલશે જ ત્યારે તે સમયમાં જીવ! તને. ૩૦૯ 4 અર્થ –વળી હે જીવ ! તારૂં મન જ્યારે અર્થ એટલે સંસારના પદાર્થો તથા કામ એટલે વિષયોની અભિલાષાઓ તે બનેથી વિમુખ (અવળું) થઈને ધર્મમાં પ્રીતિવાળું થશે. વળી રોગુણ અને તમે ગુણથી રહિત એવું તારું હૃદય આશાના કલેલ(તરંગો)થી રહિત તિમિત એટલે શાંત મહાસાગર જેવું બનશે. તેમજ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓથી વાસિત એવું પણ તારૂં મન જ્યારે થશે. તે વખતે જરૂર તને પરમ સુખ જે મોક્ષ, તેની પ્રાપ્તિ થશે. ૩૦૯ બંને પ્રકારના એ વિષયને ત્યાગ કરવો જ જોઈએ, વિગેરે જણાવે છે – બે ભેદ જ ભાસતા ત્યાં પ્રથમ આત્માનંદિને, જાણો અપર પર ભાવ સંગે રત ભવાભિનંદિને; પ્રથમ છ ઈમ વિચારે દુલ્લાહો નરભાવને, ખાણ ભાવયણ તણું નિવણ સુખ કારણ અને ૩૧૦ ૧ સર્વ જીવો મારા મિત્ર છે. કેઈ મારા શત્રુ નથી એવી ભાવના તે મૈત્રી ભાવના (૧) ગણમાં પિતાથી ચઢિઆતા જીવોને જોઈને આનંદ પામે તે પ્રમદ ભાવના (૨) દુઃખી તથા પાપી જેને જોઈને તેમના તરફ દયાના પરિણામ તે કારૂણ્ય ભાવના (૩) નિર્દય તથા પાપી છને પા૫ કાર્યથી રેકતાં છતાં તેમાંથી પાછા ન ફરે ત્યારે તેમની ઉપેક્ષા કરવી તે (૪) માધ્યસ્થ ભાવના કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy