________________
અનાચિતામણિ . - આદર કર્યો રજ ના અરેરે સુકૃતમાં લહી સમયને,
ફેતર ખાંડયા અમે હણ્યું ગગન મારી મૂઠીને. ર૯૮ અર્થ --આ દુનિયાની બરબાદી કરનાર એટલે દુનીયાને દુઃખી બનાવનારા એવા આ વિષયોને તથા કષાયોને સેવનારા જીવો મરવાને સમય આવી પહોંચે ત્યારે આ પ્રમાણે પશ્ચાતાપ કરે છે કે અરેરે ! અમે સમય મેળવીને લગાર પણ સુકૃતને એટલે પુણ્યને આદર કર્યો નહિ. તેથી અમે ફોતરાં ખાંડ્યા છે. એટલે મનુષ્ય ભવ ફગટ ગુમાવ્યો છે. તથા મૂઠી મારીને અમે આકાશને હણ્યું છે. એટલે ઉતરા ખાંડવા તથા મુઠીથી આકાશને હણવું જેમ ફેગટ છે તેમ પાપાચરણવાળો મનુષ્યભવ પણ ફેગટ છે. આ બાબતમાં કહ્યું છે કે-- - हतं मुष्टिभिराकाशं-तुषाणां खण्डनं कृतम् ॥
यन्मया प्राप्य मानुष्यं-सदर्थे नादरः कृतः ॥१॥ કઈ ચિંતા રત્નને રહીને પ્રમાદે હાથથી,
જેમ હારે હિમ અમે હારી ગયા ભવ મેહથી પ્રભુજી કહે રતિ પાપની તમને અનાદિ કાળથી,
- પાપ કરવું દોહિલું ના દેહિલ ભવ નિયમથી. ૨૯૯ અર્થ:–જેમ રત્નને નહિ સમજનાર કેઈક મૂર્ખ માણસ પ્રમાદ કરીને એટલે ભૂલથી અથવા અનાદરથી પિતાના હાથમાં રહેલા ચિંતામણિ રત્નને ફેગટ ગુમાવી દે, તેની પેઠે અમે પણ હે પ્રભુદેવ! મેહને લીધે આ મનુષ્યભવ હારી ગયા છીએ, આ પ્રમાણે પ્રભુ શ્રીષભદેવ ભગવંત ભવ્ય જીવોને આવો પશ્ચાત્તાપ સાંભળીને ભવ્ય જીને આ પ્રમાણે ઉપદેશ આપે છે–હે ભવ્ય ! તમારામાં અનાદિ કાળથી પાપની રતિ એટલે રમણતા રહેલી છે, કારણ કે તમે ભભવથી પાપના કાર્ય કરી રહેલા છે, તેથી તમને પાપ કરવું દેહિલું-દુર્લભ નથી પણ હેલું છે. પરંતુ આત્માને નિયમથી એટલે વ્રત વગેરે વડે પાપના બંધથી રેક તે જ દુર્લભ છે. એમ જરૂર યાદ રાખજે. ૨૯૯
મનુષ્ય ભવની ઉત્તમતા દષ્ટાંત દઈને સમજાવે છે– પર્વતેમાં મેરૂ મેટ, ચક્રવતી ભૂપમાં,
યંત્ર નવપદનું પ્રવર જિમ સુખદ સઘળા યંત્રમાં જિમ સ્વયંભૂરમણ સાગરમાં નમસ્કૃતિ મંત્રમાં,
| સર્વ ભવમાં શ્રેષ્ઠ નરભવ તેમ રાખો ધ્યાનમાં. ૩૦૦ અર્થ –વળી પર્વતમાં જેમ મેરૂ પર્વત સૌથી મટે છે, તથા સર્વ રાજાઓમાં ચક્રવતી રાજા સૌથી મટે છે. તથા સુખને આપનાર સર્વ યંત્રમાં જેમ નવપદનું યંત્ર પ્રવર એટલે સૌથી શ્રેષ્ઠ છે. એટલે નવપદનું સેવન ઉત્તમ સુખને આપનાર છે. તથા સર્વ
}
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org