________________
ર૪૮
[ શ્રી વિજયપધસૂક્તિ સમુદ્રમાં જેમ સ્વયંભૂરમણ સમુદ્ર મટે છે અને મંત્રમાં નમસ્કૃતિ એટલે નવકાર મંત્ર શ્રેષ્ઠ છે તેમ સર્વ ભવની અંદર મનુષ્યભવ શ્રેષ્ઠ એટલે ઉત્તમ છે, આ વાત તમે બરાબર ધ્યાનમાં રાખજે. ૩૦૦ - કઈ રીતે મનુષ્ય ભવને સફલ કરે? તે વાત દાખલ આપીને બે શ્લોકમાં સમજાવે છે – જિમ ફળે તરૂ દેહલાથી તેમ કરજે સફળ આ,
નરપણું પરક સાધન સેવન કરી ભવિજના પરલોક તે જે આવતે ભવ દાન શીલ તપ ભાવના,
સાધન પરેલેકના નિત સેવજે હે ભવિજના. ૩૦૧ અર્થ –જેમ અમુક પ્રકારનાં વૃક્ષ (ઝાડ) દેહલાથી એટલે અમુક પ્રકારની ઈચ્છાએને પૂર્ણ કરવાથી ફળદાયી થાય છે, તેવી રીતે પરલોકના સાધનની સેવા કરીને હે ભવ્ય છે ! વૃક્ષ સરખું આ મનુષ્યપણું સફળ કરજે. અહિં પરલેક તે આવતે ભવ જાણે. અને દાન, શીલ, તપ તથા ભાવના વિગેરે તે પરલેક સુધારવાના સાધનો જાણવા. તે સાધનને હે ભવ્ય જી! તમે હંમેશાં સેવ. ૩૦૧ ઝાડ જેવું નરપણું ને દેહલા સમ સાધના,
માનુષ્ય શ્રુતિ શ્રદ્ધા ચરણમાં વીર્ય ચારે મુક્તિના - પરમ અંગે તેહમાં માનુષ્ય કેરી પ્રથમતા,
- હૃદયે વિચારી વિબુધ જન પરલોક સાધન સાધતા. ૩૦૨ અર્થ:–મનુષ્યપણું તે ઝાડના જેવું જાણવું તથા દેહલા સમાન મોક્ષની ઈચ્છાવાળી સંયમ વિગેરેની સાધના જાણવી. તથા (૧) મનુષ્યપણું, (૨)શાસ્ત્રશ્રવણ, (૩) શ્રદ્ધા એટલે સમક્તિ અને (૪) ચારિત્રમાં વીર્યને એટલે આત્મશક્તિનો ઉપયોગ કરે એ ચારે મુક્તિનાં પરમ એટલે શ્રેષ્ઠ અંગે છે તે ચારમાં પણ મનુષ્યપણાની પ્રથમતા છે એટલે મનુષ્યપણું સૌથી પહેલું જણાવ્યું છે એવું હદયમાં વિચારીને વિબુધ જન એટલે પંડિત પુરૂષે પરલોકને સુધારવાના સાધનની જરૂર સાધના કરે છે, એટલે ધર્મકાર્યમાં આત્માને જોડે છે. આ બાબતમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે- -
चत्तारि परमंगाणि-दुल्लहाणि य जंतुणो ॥
माणुसत्तं सुई सद्धा-संजमम्मि य वीरियं ॥ १॥ 3०२ વિષય સેવનાના ભયંકર દુઃખે દષ્ટાંત દઈને ત્રણ લેકમાં જણાવે છે – શઠ પુરૂષના વચન જેવા વિષય ઠગતા વિશ્વને,
મેહથી શરૂઆતમાં લાગે મધુર પણ અજ્ઞને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org