________________
દેશના ચિંતામણિ ]
૨૪ અર્થ–મેક્ષ સિદ્ધિ તે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણના એકત્રપણાથી છે, તે આ ઠેકાણે જ્ઞાન કિયા બેથી જ મોક્ષસિદ્ધિ કેમ કહો છો ? આ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે જાણવું સમ્યગ્દર્શન (સમક્તિ) સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર વડે મોક્ષ પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે તે છતાં અહીં સમ્યક્ત્વ ગુણની એટલે દર્શનની જ્ઞાનમાં અન્તર્ગતિ કરી છે એટલે જ્ઞાનમાં દર્શનનો સમાવેશ કરે છે, એમ ટુંકામાં અહીં જ્ઞાન અને ચારિત્ર (ક્રિયા) એ બે વડે મોક્ષની સાધના કહી છે. એ પ્રમાણે જ્ઞાનય અને ક્રિયાયની હકીકત મનુષ્યભવ પામવાના દશ દષ્ટાન્તની અંદર કૂર્મ એટલે કાચબાના દષ્ટાન્તને કહેવાના અવસરે પ્રસંગે જણાવી દીધી. કારણ કે મનુષ્ય ભવ એનાથી સકળ કરાય છે. આ વાત ધ્યાનમાં રાખીને હે ભવ્ય છો! ખરા ભાવથી જ્ઞાન ક્રિયા બંનેની ભેગી સાધના કરજે. અહીં કાચબાનું દષ્ટાન્ત અને તે સાથે જ્ઞાન ક્રિયા નયને સંવાદ પૂરો થાય છે. ૨૮૬
નવમુ દૂસરીનું દ્રષ્ટાંત જણાવે છે – સુર સ્વયંભૂ રમણની પૂરવ દિશામાં ધૂસરી,
નાંખે અને પશ્ચિમ વિષે સાંબેલ જલમાં રહી તરી; વિણ પ્રવેગે ધુંસરીના છિદ્રમાં તસ પેસવું,
જેમ દુર્લભ નરપણું ફરી પામવું તિમ જાણવું. ૨૮ જે અર્થ –તે સ્વયંભૂરમણ સમુદ્ર કે જેની એક કિનારાથી બીજા કિનારા સુધીની પહોળાઈ અસંખ્ય કેડી જન પ્રમાણે છે, અને એક પર્યન્ત કિનારાથી બીજા પર્યન્ત કિનારા સુધી પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ પહોળાઈ એક રાજલોક (અસંખ્યાતા કેડાકેડી પેજને એક રાજ થાય છે.) પ્રમાણ છે તે સ્વયંભૂરમણ સમુદ્રમાં કઈક પૂર્વ દિશામાં ધૂંસરીને નાખે અને પશ્ચિમ દિશામાં સાંબેલ એટલે ધૂંસરીની ખીલી નાખે, એ પ્રમાણે ધૂંસરી અને ખીલી બને સમુદ્રમાં તરી રહી છે. કેઈની સહાય વિના સ્વાભાવિક રીતે તરતી તરતી ધુંસરીની સાથે મળીને જેમ તે ખીલીનું ધૂંસરીના છિદ્રમાં પેસવું દુર્લભ (અશક્ય) છે, તેવી જ રીતે પ્રમાદી જોને ફરીથી મનુષ્ય ભવ પામે પણ દુર્લભ
જાણે. ૨૮૭
દશમું પરમાનું દષ્ટાંત જણાવે છે – ‘દેવ મોટા થંભને ચરે બહુ ઝીં કરી,
આ લેઈનળિમાં મેરૂ પર જઈ ચાર દિશિમાં ફરી ફરી; કંકી તેને તેના અણુ સર્વ બાજુ ઉડાડતે,
તેજ અણુથી દેવ પણ શું થંભ તેહ બતાવતા. ૨૮ ૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org