________________
૨૪૦
( શ્રી વિજ્યપધરિસ્કૃતમુતer સેલિ, દિનદુના ના, ઇ . " - મારૂ ય સાદ; પણે મુદત મા || ૪૦૭ II
અર્થ–મહાવિદેહ ક્ષેત્રના સાધુઓની એક મુખવસ્ત્રિકા વડે ભરતક્ષેત્રના સાધુઓની ૧૬૦૦૦૦ (એક લાખ સાઠ હજાર) મુખવસ્ત્રિકાઓ થાય. એ રીતે મુખેવસ્ત્રિકાનું પ્રમાણ જાણવું. અહિની મુહપત્તિથી ૪૦૦ ગુણી લાંબી ને ૪૦૦ ગુણી પહોળી હોવાથી ( ૪૦૦ ૪૪૦૦=૧૦૦૦૦) એટલું પ્રમાણ સંભવિત છે.
સીમંધર જિનને જન્માદિ સમય. पुरकलवईयविजये, पुव्वविदेहम्मि पुडरिगिणीप ।
कुंथुअरहंतम्मि अ, जाओ सीमंधरो भयवं ॥ ५१७ ॥ અર્થ–પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરગિણી નામની નગરીમાં શ્રી કુંથુનાથ અને અરનાથ ભગવાનના આંતરામાં શ્રી સીમંધર ભગવંતને જન્મ થયો.
मुणिसुव्वयजिण नमिजिण अंतरे रज्जं चइनु निक्खतो ।
सिरि उदयदेवपेढाल अंतरे पावई मुक्खं ॥ ५१८ ॥ અર્થ-શ્રી મુનિસુવ્રતસ્વામી અને નમિ જિનેશ્વરના આંતરામાં એટલે ૨૦ મા ને ૨૧ મા ભગવંતના આંતરામાં રાજ્ય છોડીને દીક્ષા લીધી, અને આવતી ચોવીસીમાં થનારા સાતમા ઉદય દેવ અને આઠમા પેઢાલ નામના પ્રભુના આંતરામાં સીમંધર સ્વામી મેક્ષ પામશે.
- અહિં અવસર્પિણીના ચોથા આરાના આરંભમાં જે શુભ કાળ વર્તતો હતું અને ઉત્સર્પિણના ત્રીજા આરાના પર્યતે જે ઉત્કૃષ્ટ શુભકાળ વર્તે તે શુભકાળ મહાવિદેહમાં સદાકાળ અવસ્થિત છે, પરન્તુ ભરતાદિકની માફક ત્યાંનો હાનિ વૃદ્ધિ વાળ કાળ નથી. તેથી ત્યાંના કાળને સિદ્ધાન્તમાં નોડmળી નોવોmળી એટલે મહાવિદેહને કાળ ઉત્સર્પિણી નહિ તેમ અવસર્પિણ પણ નહિ એવો અવસ્થિત છે. અને ચોથે આરે કહેવાય છે તે પણ ભરતૈરવ્રતની અપેક્ષાએ છે, પરંતુ ત્યાંની અપેક્ષાએ તે ૬ આરામને એકે આરે નથી. - જ્ઞાન ક્રિયામાં સમ્યકત્વને કેમ ન કહ્યું? આ પ્રશ્નનો જવાબ દઈને કાચબાનું દષ્ટાંત પૂરું કરે છે – સમ્યકત્વ ગુણની જ્ઞાનમાં અન્તર્ગતિ કરી બેઉથી,
મુક્તિ કેરી સાધના ઈમ વર્ણવી સંક્ષેપથી, કર્મના દષ્ટાંતમાં આ વાત ભાખી અવસરે,
ધ્યાન રાખી બેઉને નિત સાધજે ચિત્ત ખરે. ૨૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org