________________
૨૩૬
. [ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતપૂછનાર ઘે દષ્ટાંત અહિંયા રેતીના કણિયા તણું,
રેતી તણા જિમ કણ થકી ના બિન્દુ નીકળે તેલનું સમુદાયમાં રેતી તણા તિમ વચન મારૂં ન્યાયનું,
ન ઉત્તર સ્વરૂપે હું અહિં ચાહું વચન પ્રભુ આપનું. ર૮ર અર્થ --આ બાબતમાં પૂછનાર રેતીના કણિયાનું દષ્ટાન્ત આપે છે. તે આ પ્રમાણે જાણવું:--જે રેતીના એક એક કણિયામાંથી તેલનું બિન્દુ એટલે ટીંપુ નીકળતું નથી તે પછી રેતીના ઘણા કણિયા ભેગા થાય તે પણ તેમાંથી તેલ નીકળતું નથી. તેવી રીતે જ્ઞાનમાં અને ક્રિયામાં પણ સમજવું. આ મારી શંકા ન્યાયની છે તો હે પ્રભુજી ! હું આ બાબતમાં આપનું ઉત્તર વચન ( જવાબ ) સાંભળવા ઈચ્છું છું. તે આપ કૃપા કરીને જણાવે. ૨૮૨
પ્રભુજી વાદીને ત્રણ લેકમાં ઉત્તર આપે છે – જેમ શકટ ચલાવવાની શક્તિ દેશે ચક્રમાં,
સર્વ શક્તિ બેઉમાં ઈમ જ્ઞાન કિરિયા ઉભયમાં મુક્તિ નગરે લઈ જવામાં ભવ્ય જનને દેશથી.
છે શક્તિ જ્ઞાને ઈમ ક્રિયામાં જાણજો સ્યાદ્વાદથી, ૨૮૩ " અથ–એ પ્રમાણે પૂછનારને પ્રશ્ન સાંભળીને પ્રભુ તેને ઉત્તર આ પ્રમાણે આપે છે. જેમ શકટ એટલે ગાડું ચલાવવાને માટે બે પૈડાની જરૂર પડે છે, પરંતુ જેમ એક પિડાથી ગાડું ચાલી શકતું નથી, કારણ કે એક પડામાં ગાડું ચલાવવાની શક્તિ દેશથી એટલે અમુક અંશે છે, પરંતુ સંપૂર્ણ શક્તિ નથી. બંને પૈડાં હોય ત્યારે દેશ શક્તિવાળા તે બંનેના સંગથી ગાડું ચાલી શકે છે. તેવી રીતે જ્ઞાન અને ક્રિયા એ દરેકમાં ભવ્ય જીવને મોક્ષ નગરે લઈ જવાની સંપૂર્ણ શકિત નથી, પરંતુ દેશથી એટલે અંશથી શક્તિ રહેલી છે, માટે જ્યારે તે બંને ભેગાં થાય છે ત્યારે ગાડાંનાં બે પૈડાની પેઠે તેમનામાં મેક્ષે લઈ જવાની સંપૂર્ણ શક્તિ પ્રાપ્ત થાય છે, તેથી તે બને મળીને ભવ્ય જીવને મોક્ષ નગરમાં પહોંચાડે છે. એ પ્રમાણે સ્યાદ્વાદથી એટલે જૈન મતથી તમારે જાણવું. ૨૮૩ આ શુભ ક્રિયાની સાધનામાં માર્ગદર્શક જ્ઞાનને,
જાણો બચાવે દોષથી તેમાં ટકાવે જીવને; આત્મ વિલાસ વર્ધક એહ ઈમ ના ભૂલીએ,
- શ્રેષ્ઠ આલંબન ક્રિયાનું કોઈ દિન ના છોડીએ. ૨૮૪ અર્થ:--શાન સારી ફિયાની સાધના કરવામાં માર્ગ દેખાડનાર છે એમ જાણવું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org