SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ દેશનાચિંતામણિ ] નાણ કેવલ વિણ ન હોવે શ્રેષ્ઠ શિલેશ સ્થિતિ. ઈમ ક્રિયા ને એકલી તે કાર્યસિદ્ધિ કિમ થતી? ર૭૫ અર્થ –કારણ કે જ્ઞાનથી તેવા પ્રકારનાં ભેજન વિગેરેની પ્રવૃત્તિ થાય છે, કારણ કે રસોઈ વિગેરેના જ્ઞાન વિના તે ભેજન વિગેરે થઈ શકે નહિ. એમ જ્ઞાન વિના શલેશે ભાવા રૂપ સર્વ સંવર પણ થતો નથી. માટે શેલેશ અવસ્થામાં સર્વસંવર તથા કેવલજ્ઞાન બંને છે. કહેવાનું તાહર્ય એ છે કે કેવલજ્ઞાન વિના ઉત્તમ શૈલેશી અવસ્થા થતી નથી, તેથી જે તે શેલેશી અવસ્થામાં સર્વ સંવર રૂપ એકલી ક્રિયા હોય અને જ્ઞાન ન હોય તો મુકિતરૂપ કાર્યસિદ્ધિ કેવી રીતે થાય ? એટલે એકલી ક્રિયાથી કાર્યની સિદ્ધિ ન જ થાય. ર૭૫ . તદવિના ભાવિત્વ જિમ મુત્યાદિ પુરૂષાર્થે સહી, કિરિયા તણું હેતુત્વ સાથે જ્ઞાનનું પણ તિમ અહિં, તે વિના પણ તે ન હોવે ઈમ અનૈકાતિકપણું, | મુત્યાદિ સિદ્ધિ બેઉથી ઈમ વિસ્તરી ભાખ્યું ઘણું. ર૭૬ અર્થ–આ પ્રમાણે વિસ્તારથી જણાવેલી બીનાનું યાદ રાખવા જેવું ખરું રહસ્ય એ છે કે-જેવી રીતે (ક્રિયાને) તદવિના ભાવિત્વ હેતુ મુક્તિ આદિ પુરૂષાર્થની સિદ્ધિમાં ક્રિયાને અનન્તર કારણ તરીકે સાબીત કરે છે તેમ (સર્વ પુરૂષાર્થ સિદ્ધિમાં) જ્ઞાનને પણ અનન્તર કારણ તરીકે સાબીત કરે છે. એટલે જેમ ક્રિયા વિના પુરૂષાર્થ સિદ્ધિ નથી તેમ જ્ઞાન વિના પણ પુરૂષાર્થ સિદ્ધિ નથી જેથી જેની હયાતી વિના જે ન થાય, તે તેનો અવિનાભાવી (કાર્યની ઉત્પત્તિમાં સાથે જ રહેનાર ) કહેવાય, આવા સ્વરૂપવાળે જે તદવિના ભાવિત્વ રૂપ હેતુ કેવળ ક્રિયાને જ સાબીત કરતું નથી પરંતુ જ્ઞાનને પણ સાબીત કરે છે તેથી અહિં વાદીએ કહેલ તદવિના ભાવિત્વ એ હેતુ (જ્ઞાનને અને ક્રિયાને બન્નેને સાબીત કરનાર હોવાથી એ બન્નેને માટે એકાતિક નહિં પણું ) અનેકાન્તિક દેષવાળે છે, તે કારણથી મુક્તિ આદિ પુરૂષાર્થોની સિદ્ધિ જ્ઞાનથી અને ક્રિયાથી એમ બેથી જ છે. એ પ્રમાણે સ્યાદ્વાદ શૈલીથી જ્ઞાન ક્રિયાની બીના જણાવી. આ બાબતને વિસ્તાર શ્રીવિશેષાવશ્યક તથા શ્રીઅનુયોગદ્વાર ટીકાદિ ગ્રંથમાંથી જોઈ લેવા. ૨૭૬ ચાલુ પ્રસંગે દાખલા દઈને બંનેની જરૂરિયાત ચાર લોકમાં જણાવે છે – કિરિયા વિનાનું જ્ઞાન તેના વિણ ક્રિયા શા કામની? - પંગુ દાઝયો દેખતે દવ તે સ્થિતિ પણ અંધની; સંગથી સવિ કાર્ય સિદ્ધિ રથગતિ બે ચક્રથી, અંધ પંગુ બે મળ્યા તે ઝટ બચ્ચા દાવાગ્નિથી. ર૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy