SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર [ શ્રી વિજયપધસૂરિકૃત છે, વળી જેઓ જ્ઞાનથી મુક્તિ એટલે મોક્ષ સિદ્ધિ માને છે, તે પણ સાચું નથી કારણ કે તે મુક્તિ પદ પણ છેવટે કેવલ જ્ઞાન અને યથાખ્યાત ચારિત્ર એ બેના સાગથી જ (આલંબનથી જ) થાય છે. માટે તેમાં પણ એકલું જ્ઞાન અથવા એકલું ચારિત્ર કારણ નથી, પરંતુ તે બંનેને સંગ જ કારણ રૂપ છે. ર૭૩ જ્ઞાન કિરિયા ઉભયથી સહુ કાર્ય સિદ્ધિ વિમાસીએ, તદવિના ભાવિત્વ હેતુ સાધનારે બેઉને, હેતુ અસિદ્ધ તથા અકાતિક ગણુએ બે નયે, ભેજનાદિ ક્રિયા વિષે પણ જ્ઞાનસત્તા માનીએ. ર૭૪ અર્થ:–એ પ્રમાણે તમામ કાર્યની સિદ્ધિ જ્ઞાનથી અને ક્રિયાથી એ બન્નેથી છે એમ વિચારવું. (જાણવું) કારણ કે ક્રિયાવાદીએ ક્રિયાને સાબીત કરવા માટે જણાવેલો તદવિનાભાવિત્વ રૂપ હેતુ જેમ સર્વ પુરૂષાર્થની સિદ્ધિમાં ક્રિયાને જ અનન્તર કારણ તરીકે સાબીત કરે છે, તેમ તેજ તદવિનાભાવિત્વ હેતુ પુરૂષાર્થ સિદ્ધિમાં જ્ઞાનને પણ અનન્તર કારણ તરીકે સાબીત કરે છે, એ પ્રમાણે તદવિનાભાવિત્વ હેતુ ફક્ત ક્રિયાને જ સિદ્ધ કરતો નથી પરંતુ ક્રિયાને અને જ્ઞાનને પણ સિદ્ધ કરે છે, તેથી એટલે પુરૂષાર્થસિદ્ધિમાં તદવિનાભાવિત્વ હેતુ જ્ઞાનને અને ક્રિયાને બન્નેને સાબીત કરનારે હોવાથી એ હેતુ એટલે ક્રિયાને સાબીત કરવા માટે આપેલે તદવિનાભાવિત્વ હેતુ અસિદ્ધ છે એટલે ક્રિયાથી જ પુરૂષાર્થ સિદ્ધિ છે એમ સાબીત કરી શકતા નથી. વળી એ હેતુ અસિદ્ધ છે એટલું જ નહિં પરંતુ બને નયને માટે એ હેતુ અનેકનિક દેષવાળે છે, કારણ કે જે હેતુ જે લક્ષ્ય માટે અપાય છે તે હેતુ તે લક્ષ્ય સિવાય અન્ય લક્ષ્યને એટલે જ્ઞાનને પણ સાબીત કરવાના ઉપગમાં આવે છે અને અવિનાભાવિત્વ હેતુ તો તેજ કહેવાય કે “જેના વિના જ ન હોય તેના વિના તે ન હોય” જેથી ક્રિયા માટે અપાયેલ અવિનાભાવિત્વ હેતુ જ્ઞાનને નહિં પણ ફક્ત ક્રિયાને જ સાબીત કરતો હોત તો એ હેતુ અનેકનિક દેષ વિનાને ગણત અને ક્રિયાથી જ પુરૂષાર્થ સિદ્ધિ સાબીત થાત, પરન્તુ પ્રથમ કહ્યા પ્રમાણે એ હેતુ અનેકાન્તિક દોષવાળ હોવાથી ક્રિયાની સાબીતી કરવા ઉપરાંત જ્ઞાનની પણ સાબીતી કરે છે માટે ફકત ક્રિયાથી જ પુરૂષાર્થ સિદ્ધિ સિદ્ધ થતી નથી, પરંતુ જ્ઞાન અને ક્રિયા એ બેથીજ પુરૂષાર્થ સિદ્ધિ થાય છે. પહેલાં કહ્યા પ્રમાણે ભેજનાદિ ક્રિયામાં પણ જેમ ફક્ત ક્રિયા જ નથી પરંતુ જ્ઞાનની હયાતી પણ છે જ. તેમ મુક્તિ વગેરે સર્વ પુરૂષાર્થની સિદ્ધિ પણ જ્ઞાન અને ક્રિયા એ બન્નેની સમુદિત (એકઠી ) સાધના કરવાથી જ થાય છે. એ પ્રમાણે સ્યાદ્વાદ શૈલીને માનવાથી દરેક પદાર્થને નિર્ણય થઈ શકે છે. ૨૭૪ મુક્તિને પામવાના નજીકના ટાઈમે જ્ઞાન અને ક્રિયાની હયાતી બે લેકમાં જણાવે છે – જ્ઞાનથી તેવી પ્રવૃત્તિ થાય તે વિણ તે નહિં, શૈલેશભાવે સર્વસંવર કેવલ દ્વય છે સહી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy