SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ [ શ્રી વિજયપદ્રસુરિતમેળવે છે. પરંતુ તેથી અન્યથા એટલે ઉલટી રીતે કરનારા એટલે જાણ્યા કે સમજ્યા વગર ઉદ્યમ કરનારા પુરૂષે ફળવિસંવાદી થાય છે એટલે ફળ મેળવવામાં વિસંવાદવાળા થાય છે, એટલે ક્રિયાનું ફળ પામે અગર ન પણ પામે એવા થાય છે. આજ મુદ્દાથી શ્રીદશવૈકાલિક સૂત્રની અંદર પૂજ્ય ગુરૂ મહારાજ શ્રીશભવસૂરિજીએ જ્ઞાન પહેલું કહ્યું છે. તે સાક્ષી પાઠ આ પ્રમાણે જાણો– “પદ ના તો થા, ” પર્વ વિદુર નવરંકg I अण्णाणी किं काही-किं वा नाहीइ छेयपावगं ॥ १ ॥ ૨૫૫ આ બાબતમાં આગમન પૂરાવા આપે છે – જેહ કોડાકોડી વર્ષે અબુધ કર્મ ખપાવતા, તેહ કર્મો વિબુધ શ્વાસોશ્વાસમાં વિસાવતા, કુશલ કાર્ય પ્રવૃત્તિ પાપ નિવૃત્તિ વિનય સુસેવના, જ્ઞાનથી જ પમાય જાણે વચન આવા જ્ઞાનના. ર૫૬ અર્થ–પુનઃ જ્ઞાનનય જ્ઞાનનું જ સમર્થન કરવાને માટે જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં કેટલો મોટો તફાવત છે? તે આ પ્રમાણે જણાવે છે – અબુધ એટલે અજ્ઞાની જીવો કડાકેડી વર્ષ સુધીની તપસ્યાથી જેટલાં કર્મો ખપાવે છે, તેટલાં જ કર્મો વિબુધ એટલે જ્ઞાની પુરૂષ એક શ્વાસોશ્વાસમાં ખપાવે છે, કારણ કે અજ્ઞાન કષ્ટ કરનાર જીવોની નિર્મલ પરિણામની ધારા ઘણી મંદ હોય છે તેથી તે ઘણું વખતે થોડી જ કર્મ (ની) નિર્જરા કરી શકે છે, અને જ્ઞાની પુરૂષની અધ્યવસાયની વિશુદ્ધિ અજ્ઞાન કષ્ટ કરનારા જીવોની વિશુદ્ધિ કરતાં અનંતગુણ વધતી હોય છે તેથી તેવી વિશુદ્ધિ વડે તેઓ (જ્ઞાનવંત પુરૂષ) થોડા વખતમાં જ ઘણી કર્મ(ની) નિર્ભર કરે છે. વળી જ્ઞાન વડે જ કુશલ એટલે હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ કરાય છે. તેમજ પાપથી પાછા ફરવારૂપ પાપનિવૃત્તિ પણ જ્ઞાન વડે જ કરાય છે. તથા વિનય પૂર્વક સારી સેવના એટલે દેવ ગુરૂ ધર્મની આરાધના તે પણ જ્ઞાનથી જ થાય છે. આ જ્ઞાનીના કર્મક્ષયની બાબતમાં અને જ્ઞાનના ત્રણ પ્રકારના ફલની બાબતમાં કેત્તર આગમના સાક્ષિપાઠ ક્રમસર આ પ્રમાણે જાણવા जं अण्णाणी कम्म-खवेइ बहुयाहि वासकोडीहिं ॥ तं नाणी तिहिं गुत्तो-खवेइ ऊसासमित्तेणं ॥१॥ क्षपयेन्नारकः कर्म-बह्वीभिर्वर्षकोटिभिः॥ यत्तदुच्छवासमात्रेण-ज्ञानयुक्तस्त्रिगुप्तिमान् ॥ २ ॥ અર્થ –અજ્ઞાની જીવ જેટલું કર્મ ઘણા ક્રોડ વર્ષે ખપાવે છે એટલે (કર્મ) ક્ષય કરે છે તેટલા કર્મને ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત એટલે મન, વચન કાયાને સાવદ્ય માર્ગે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy