________________
દેશનાચિંતામણિ ]
જ્ઞાન નય ઇમ ઉચ્ચરે જાણ્યા પછી જ પત્તાને,
યત્ન કરવા ઈમ અહિં જાણેા સરલ ભાવાને, ૨૫૩
અ:—પરલેાકના હિતની ષ્ટિએ (૧) દર્શનાર્દિક એટલે સમકિત, જ્ઞાન, ચારિત્ર, વગેરે પદાર્થો ગ્રહણ કરવા ચેાગ્ય છે, કારણ કે તે આત્માને હિતકારી છે. તથા (૨) મિઅાત્વ વગેરે જે આત્માને નુકસાનકારી છે તે અગ્રાહ્ય એટલે નહિ ગ્રહણ કરવા ચાગ્ય અથવા ત્યાગ કરવા ચેાગ્ય પદાર્થ જાણવા તથા (૩) દેવતાનાં સુખા વગેરે ઉપેક્ષા કરવા ચેાગ્ય પદાર્થો જાણવાં. હવે અહિં જ્ઞાન નયવાદી એમ કહે છે કે પદાર્થીના સ્વરૂપને જાણ્યા પછી જ યત્ન એટલે ઉદ્યમ કરવા જોઇએ, પરંતુ વસ્તુ સ્વરૂપ સમજ્યા સિવાય એકલેા ઉદ્યમ કરવા તે ફોગટ છે. આ જ્ઞાનનયના વચનના સરળ એટલે સહેલાઇથી સમજાય તેવા ભાવાર્થ ૨૫૪ થી ૨૬૧ સુધીના હ્યેાકમાં જણાવ્યા મુજબ સમજવા. ૨૫૩
ત્રણ પ્રકારના પદાર્થોમાં વિવેક જણાવે છે:
ગ્રહણ કરવા ગ્રાહ્યને અગ્રાહ્યને નહિં સેવવા,
જે ઉપેક્ષા ચેાગ્ય તેહ ઉપેક્ષણીય ઉપેક્ષવા; ઉપદેશ આવા જ્ઞાન નયના જ્ઞાનના પ્રાધાન્યને,
જ્ઞાન નય અતલાવતા ઈમ જાણો વિસ્તારને. ૨૫૪
૨૧
અઃ—જે પદાર્થો ગ્રાહ્ય છે તે ગ્રહણ કરવા, તથા જે પદાર્થો અગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યાગ્ય નથી તેનુ સેવન કરવું નહિ એટલે તે પદાર્થ આદરવા નહિ. તેમજ જે ઉપેક્ષા કરવા ચાગ્ય છે એવા ઉપેક્ષણીય પદાર્થોની ઉપેક્ષા કરવી એટલે તે તરફ દુર્લક્ષ્ય કરવું આવે! જ્ઞાનનયના ઉપદેશ છે. કારણ કે જ્ઞાનનય જ્ઞાનની પ્રાધાન્યતા એટલે મુખ્યતા જણાવે છે. હું સભ્ય થવા ! તમે તે જ્ઞાનનયના વિચારને વિસ્તારથી આ પ્રમાણે જાણજો. ૨૫૪
જ્ઞાનનય પાતાના એકાન્તિક અભિપ્રાય જણાવે છે:આ લોકનાં પરલોકનાં ફળ પામવાને ચાહતા,
ખરૂ સ્વરૂપ જાણ્યા પછી જ પ્રવર્તીતાફળ પામતા; અન્યથા કરનાર જીવા ફળવિસંવાદી થતા,
Jain Education International
પૂજ્ય દશવૈકાલિક ગુરૂ જ્ઞાન પહેલું ભાષતા. ૨૫૫
અર્થ:——જ્ઞાનનય વાદી કહે છે કે જેઓ આ લેક સંબંધી અથવા પરલેાક સંબધી ફળ મેળવવાની ઇચ્છા કરતા હાય તેએ જાણવા લાયક પદાર્થોનું ખરૂં સ્વરૂપ એટલે સાચું સ્વરૂપ જાણ્યા પછી જ પ્રવૃત્તિ કરે, એટલે તે મેળવવાને ઉદ્યમ કરે તેાજ તેએ ફળને
For Personal & Private Use Only
www.jainelibrary.org