________________
૨૧e
દેશનાચિતામણિ ] મારાં સગાંને ચંદ્ર દેખાડું વિચારી એમ એ,
અંદર જઈ કરી વાત આ ઝટ સાથે લાવી તેમને દેખાડવાને ચંદ્રમા બહુ શેધ તે છિદ્રને,
કરતાં તપાસ ઘણી છતાં નવિ દેખતાં ધરે દુઃખને. ૨૪૪ અર્થ –ચંદ્રમાના કિરણને અપૂર્વ આનંદ (મજા) જોગવીને કાચ વિચારે છે કે મારાં સગાંને પણ હું આ ચંદ્રમા દેખાડું. એવો વિચાર કરીને સરોવરની અંદર જઈને તે તેનાં સગાંને આ વાત કહીને અને સાથે લઈને ઉપર આવ્યો. પરંતુ તે દરમિઆન પવનના સપાટાંથી છૂટી પડેલી તે સેવાલ ભેગી થઈ ગઈ હતી. તેથી છિદ્ર પૂરાઈ ગયું હતું. અહીં જ્યારે કાચ તેના કુટુંબને લઈને ઉપર આવ્યો ત્યારે કુટુંબને દેખાડવાને તેણે છિદ્રની બહુ શોધ (તપાસ) કરી, પરંતુ છિદ્ર (બાકું) પૂરાઈ ગએલું હોવાથી તે જડયું નહિ ને ચંદ્રમાં દેખાયે નહિ તેથી તે ઘણે દિલગીર થયે. ૨૪૪
કાચબાનું દષ્ટાંત મનુષ્ય ભવમાં ઘટાવે છે – દષ્ટાંત ઘટના એમ કરવી જીવ કચ્છપ જાણીએ,
સંસાર રૂપ હદ તે અનાદિ કર્મ પટલ તણું ગણે; ઢંકાયેલે મિથ્યાત્વ આદિક તિમિર ત્યાં ના ભૂલીએ,
વિવિધ દુઃખરૂપ જલચરેથી તે ભરેલ માનીએ. ર૪પ અર્થ –આ કાચબાના દષ્ટાન્તની ઘટના (મનુષ્ય ભવમાં ઘટીવવાની રીત) આ પ્રમાણે જાણવી. સંસારી છે તે કાચબાની જેવા જાણવા. સરોવર કે હદ (જલાશય) ની જગ્યાએ સંસારને સમજવો. અનાદિ કાળનાં કર્મરૂપી પડ–આવરણ તે સેવાલની જગ્યાએ જાણવાં. અને પટેલેથી ઢંકાએલ સંસાર જાણ. વળી અહીં મિથ્યાત્વ રૂપી તિમિર એટલે અંધકાર રહ્યું છે એમ જાણવું. તથા સરોવરમાં જેમ અનેક જલચરે હોય છે, તેમ જુદી જુદી જાતનાં દુઃખે તે અહિં જલચરે જાણવા. તેનાથી આ સંસાર (રૂપ સરોવર) ભરેલે છે. એમ જાણવું. ૨૪૫
છિદ્ર વિગેરેની બીના સમજાવે છે – મનુષ્યભવ જેથી મળે તે કર્મ છિદ્ર વિચારીએ,
ક્ષપશમ રૂપ છિદ્ર અહિં તત્વ આ નવિ ભૂલીએ; છિદ્રમાંથી બહાર કાઢી છેક નરભવ તે અહિ,
જાણે જિનેશ્વર વચન તે શશિકિરણના સ્થાને સહી. ર૪૬ અર્થ–સેવાલમાં છિદ્ર પડવા સમાન પાપ કર્મને ક્ષયે પશમ જાણો કે જેનાથી ૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org