________________
૨૧૪
| શ્રી વિપરિતધર્મશાળામાં રાત્રે એક ભિક્ષુક તથા એક રાજાને કુંવર બંને સૂતા હતા, તે બન્નેને અમે સંપૂર્ણ સુંદર ચંદ્રમાનું પાન કર્યું એવું સ્વપ્ન આવ્યું. તેમાં ભિક્ષુકે તે બીજા ભિક્ષુકને પિતાને આવેલા સ્વપ્નને સાર જણાવ્યું. તે ભિક્ષુકે તેને જણાવ્યું કે તને આ સ્વપ્નના પ્રભાવથી આજે ભિક્ષામાં ઘી અને ખાંડ સહિત પૂરી મળશે, અને એ પ્રમાણે જ ભિક્ષામાં એને એ ત્રણે ખાવાના પદાર્થો મળ્યા. જેથી સ્વનિનું ફળ એટલું જ તેને મળ્યું. ૨૩૫ ફલ ફલાદિક વિનયથી નૃપ પુત્ર પાઠકને કહે,
આઠમે દિન રાજ્ય” તેના વચનથી તે ફલ લહે; સુણી વાત આવી તે ભિખારી પામવા તે સ્વપ્નને,
સૂતો સુપનની જેમ દુર્લભ પામવું નર ભાવને. ૨૩૬ ' અર્થહવે રાજપુત્રે સ્વપ્ન કહેવાની વિધિને યાદ કરીને ફૂલ, ફળ વગેરે લઈને અને સ્વપ્ન પાઠકની પાસે જઈને વિનય પૂર્વક સ્વપ્નનું ફળ પૂછયું. ત્યારે સ્વપ્ન પાઠકે કહ્યું કે આજથી આઠમે દિવસે તને રાજ્ય મળશે. અને એ વચન પ્રમાણે આઠમે દિવસે તેને રાજ્ય મળ્યું. તે વખતે પેલો ભીખારી એજ સ્વપ્નથી કુંવરને રાજ્ય મળ્યું, એવું સાંભળીને તેવું જ સ્વપ્ન મને ફરીથી આવે આવા ઈરાદાથી ત્યાં દરરોજ સૂએ છે પરંતુ જેમ ફરીથી તે સ્વપન પામવું ઘણું દુર્લભ છે તેમ ફરીથી મનુષ્ય ભવ પામે પણ દુર્લભ છે. ૨૩૬
સાતમું રાધાવેધનું દષ્ટાંત પાંચ લેકમાં જણાવે છે – નૃપપુત્ર બાવીસ આળસે શીખે લગારે ના કળા,
મંત્રિની પુત્રી તણો નૃપ કુંવર શીખે સવિ કળા; તેવીસમા એ કુંવર કેરી ખબર કંઈ નૃપને નથી,
રાજ્ય કોને આપવું? ઈમ ચિંતવે તે શાંતિથી. ર૩૭ : ક અર્થ –એક રાજાને બાવીસ રાણીઓ હતી અને તે દરેકને એકેક પુત્ર હોવાથી તેને બાવીસ પુત્ર હતા, પરંતુ તે બધા કુંવરે આળસુ હતા તેથી જરા પણ કળાને અભ્યાસ કરતા નહોતા, આ રાજાએ તેવીસમી મંત્રીની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. આ તેવીસમી રાણુની સાથે એક દિવસના પરિચય સિવાય રાજાએ કઈ પણ દિવસ તેની સામું પણ જોયું નહોતું. અવસરે તે મંત્રીની પુત્રીને એક પુત્ર થયો. તે મંત્રીને ત્યાં જ રહે છે. તેથી રાજાને તે પુત્ર થયાની ખબર નહોતી. હવે રાજા એકવાર રાજ્ય તંત્ર સંબંધિ ભવિષ્યને વિચાર કરતાં પોતાના બાવીસે પુત્રો કળા હીન હોવાથી રાજ્યને લાયક કોઈ કુંવર નથી માટે રાજ્ય કેને આપવું ? આ બાબતમાં શાંતિથી વિચારણા કરતે હતે. ૨૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org