________________
૨૧૨
[ શ્રી વિજ્યપદ્ધકૃિતએકસેને આઠ દાવ વડે વચમાં એક પણ દાવ હાર્યા વિના લાગ લાગટ જીતવી એટલે એકસે ને આઠ દાવમાં લાગેટ જીતે તે એક હાંસ જીતે. એવી રીતે એકસો આઠ વાર જીતે એટલે જ્યારે લાગ લાગટ ૧૧૬૬૪ દાવ છતાય ત્યારે એક આખો થાંભલો જીતે. ૨૨૯-૨૩૦. છત ઇમ સર્વ થંભે દાવ ખાલી ઇગ નહિં,
જાય ને જો જાય તે દાવો બધા નિષ્ફળ સહી; તિમ બને જે તે ફરીને પૂર્વની માફક કરે,
જીતવો જનકને જેમ દુર્લભ તેમ નરપણું બુધ સ્મરે. ર૩૧ અર્થ –એવી રીતે સઘળા એટલે ૧૦૮ થાંભલાને જીતવા જઈએ. એમ એક દાવ પણ ખાલી જ જોઈએ નહિ ને જે તેમાં એક દાવ પણ ખાલી જાય એટલે એક દાવમાં પણ જે હાર થાય તો પ્રથમના જીતેલા બધા દાવ નિષ્ફળ (નકામા; ફોગ) જાણવા, અને એ પ્રમાણે કદાચ એક દાવ ખાલી જાય તે પ્રથમની જેમ ફરીથી શરૂઆત કરવી જોઈએ. એટલે પ્રથમ થાંભલાની પહેલી હાંસથી રમત શરૂ કરવી જોઈએ. આ રીતે જુગારમાં પિતાને જીતવો જેમ દુર્લભ છે તેમ આ મનુષ્યપણું ફરીથી મેળવવું, તે પણ દુર્લભ જાણવું. એવી રીતે જુગારનું ચોથું દષ્ટાન્ત ટૂંકામાં જણાવ્યું. ૨૩૧
પાંચમું રત્નનું દષ્ટાંત ત્રણ લોકમાં જણાવે છે – શેઠ પાસે કોડ કીમતનાં ઘણાં રત્નો છતાં,
કેટિ વજના ચિન્હધ્વજને મહેલ પર ના બાંધતા કૃણતાથી વાત આ જાણી તનય દીલગીર થતા,
બાપ પરદેશ જતાં સિા રત્ન વેચી નાંખતા. ર૩ર અર્થ --હવે પાંચમું રત્નનું દષ્ટાન્ત આવી રીતે જાણવું --એક શેઠની પાસે ક્રોડ ફોડ રૂપીઆની કિંમતવાળાં ઘણું કિંમતી રત્ન હતાં, તે છતાં પણ તે શેઠ કંજુસાઈને લીધે કેરિધ્વજની નિશાની રૂપ વજને એટલે ધજાને પિતાના મહેલ ઉપર બાંધતે નહોતે. પ્રાચીન કાળમાં એ રિવાજ હતું કે આ કોડપતિ છે એમ જણાવવાને તેના ઉપર ધજા હમેશાં રાજા તરફથી બાંધવામાં આવતી હતી. આ શેઠ તે રત્નોમાંથી એક પણ રત્ન વેચતા નહોતા. ને ધજા પણ બંધાવતા નહિ. આવી રીતે શેઠની કંજુસાઈ જાણીને તેમના પુત્રો ઘણુ દીલગીર થતા. એક વાર બાપ કંઇ જરૂરી કામને અંગે વ્હાર ગામ (પરદેશમાં) ગયા ત્યારે પુત્રોએ તે બધાં રત્નો કેટલાક પરદેશી વેપારીઓને વેચી નાખ્યાં. (વેચાતાં દઈ દીધા ) ૨૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org