________________
દેશનાચિંતામણિ ]
૨૦૦
તથા (૧૦) પરમાણુનું દાન. એ પ્રમાણે દશ દષ્ટાન્તથી આ મનુષ્ય ભવ પામ દુર્લભ છે. હવે આ દશ દષ્ટાન્તની ભાવના આ પ્રમાણે (આગળ કહેવાય છે તે પ્રમાણે) તમે જાણે. જાને હંમેશાં યાદ રાખીને આત્મહિત એટલે પિતાના આત્માના ભલા માટે સાવચેતી એટલે સાવધાની રાખજે. એટલે હે ભવ્ય જીવો તમે આત્મહિત સાધવામાં તત્પર થજે. ૨૨૨
બે લેકમાં પહેલું ભોજનનું ઉદાહરણ જણાવે છે – બ્રાહ્મણ ઉપર રાજી થઈ વર માગવા ચકી કહે,
અહિંથી લઈ ભરતે લહુ ભજન ક્રમે બ્રાહ્મણ કહે; વરદાન આપ્યું પ્રથમ જમતે ચક્રવર્તિના ગૃહે,
એ ક્રમે સંપૂર્ણ ભરતે વિવિધ ભેજનને લહે. રર૩
જાયે સ્વભાવે નજર ભળે તેહ વ્હાલું વિપ્રને,
ઘર ઘણાં ને જીવન થોડું વિપ્રનું તે ભેજ્યને, ચક્રિ કેરા પામવું દુર્લભ યથા નર ભાવને,
ફરી પામવો તિમ દેહિલો જાણો પ્રથમ દષ્ટાતને. ર૨૪ અર્થ:--એક વખત એક બ્રાહ્મણ ઉપર ચક્રવર્તી ખુશી થયા અને તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તે બ્રાહ્મણે માગણી કરી કે તમારા ઘેર પ્રથમ ભજન કરીને આપે જીતેલા આખા ભરત ક્ષેત્રમાં જ એક એક ઘેર અનુક્રમે ભજન મને મળવું જોઈએ. ચક્રવર્તીએ તે વાત કબુલ રાખી. ત્યાર પછી તે પહેલ વહેલો ચક્રવતના ઘરે જન્મે. ત્યાં તેને જીંદગીમાં ન ખાધું હોય તેવું ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન મળ્યું. ત્યાર પછી તે ભરત ક્ષેત્રમાં ઘેર ઘેર વિવિધ પ્રકારનાં ભેજન મેળવે છે, પરંતુ તેને કઈ ઠેકાણે પ્રથમ દિવસે ચક્રવર્તીને ત્યાં જેવી રસાઈ જન્મ્યા હતા તેવી ઉત્તમ રસાઈ મળતી નથી. બ્રાહ્મણની સ્વભાવથી જ ભેજ્ય એટલે ખાવાની વસ્તુઓ ઉપર નજર જાય છે, કારણ કે બ્રાહ્મણને ભજન સૌથી વહાલું હોય છે. બ્રાહ્મણ વિચાર કરે છે કે મારું આયુષ્ય તો થોડું છે અને ભરતક્ષેત્રમાં ઘર તે ઘણાં છે, ચક્રવર્તીના ભેજનને સ્વાદ લીધેલ હોવાથી તે ભેજન ફરીથી કયારે મળે ? તેમ તે વિચારે છે. પરંતુ તે બ્રાહ્મણને ફરીથી ચક્રવર્તીના ઘરની રસોઈ દુર્લભ હતી, કારણ કે ફરીથી વારો આવે ત્યાં સુધી તેનું આયુષ્ય પહેચે તેમ નહોતું. તેથી આ બ્રાહ્મણને ફરીથી ચક્રવતીના ઘરનું ભેજ્ય (ભજન) જેમ મુશ્કેલ હતું તેમ પ્રમાદી જોને આ ઉત્તમ મનુષ્ય ભવ ફરીથી મેળવે તે પણ દુર્લભ છે એમ જાણવું એ પ્રમાણે પહેલું (ચક્રવત્તિના ઘરના) ભજનનું દષ્ટાન્ત કહ્યું. ૨૨૩-૨૪
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org