________________
૨૦૬
. ( શ્રી વિજ્યપધસૂરિકૃતમનમાં પરાધીન શર્મની વાંછા કુમતિ કરીને રમે,
લીન બને સ્વાધીન સુખમાં બુધ જને તેને નમે. ૨૧૯ અર્થ – નિર્વિષય એટલે વિષય વાસના રહિત, અવિનાશી એટલે નાશ ન પામે તેવું જે સુખ આત્માને સ્વાધીન છે તેજ સ્વાધીન સુખ નિર્ભય એટલે ભયરહિત જાણવું કે જે સુખ મેક્ષમાં જ હોય છે, પરંતુ આ સંસારનાં સુખ તે પરાધીન એટલે પરવશ છે, કારણ કે તે બીજી વસ્તુઓની પ્રાપ્તિ ઉપર આધાર રાખે છે. વળી આ સંસારીક સુખ ભયનિબંધન એટલે ભયનું કારણ છે. કારણ કે તેની “કયારે પણ જતું રહેશે” એવી ચિંતા રહ્યા કરે છે. તથા એ સંસારનું સુખ વિષય વાસના વડે મલિન છે એમ જાણવું, જેથી આવા પરાધીન સુખની મનમાં અભિલાષા કરીને આનંદ પામનારા છો તે કુમતિ એટલે વિપરીત બુદ્ધિવાળા છે તેવાં સુખમાં આનંદ માને છે. અને આવા સાંસારીક સુખને છોડીને જે જી સ્વાધીન આત્મ રમણતાનું જે સુખ તેમાં તલ્લીન થનારા છે તે ભવ્ય જીને પંડિત પુરૂષે પણ નમસ્કાર કરે છે. ૨૧૯
સંસાર એ સમુદ્ર જેવો પણ છે એમ જણાવે છે – સાગર સમા આ ભવ વિષે જન્માદિ પાણી જાણીએ,
ઈચ્છા તરંગો વિવિધ દુખો તેહ જળચર માનીએ, આવર્ત વિવિધ કષાય વડવાનલ મદન નિત સળગતે,.
પાષાણ પડતા વિષયગિરિથી ઈણ ભયાનક લાગતો. ર૨૦ અર્થ:–વળી આ સંસાર તે સાગર જેવો એટલે સમુદ્ર જે સમજ. કારણ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલ હોય છે તેમ આ ભવ રૂપી સમુદ્ર જન્મ જરા મરણ વગેરે પાણીથી ભરેલો છે. તેમાં અભિલાષા રૂપી તુરંગ એટલે મેજા જાણવાં. સમુદ્રમાં જેમ માછલા વગેરે અનેક જલચારી જ હોય છે તેમ સંસારરૂપ સમુદ્રમાં જુદા જુદા પ્રકારનાં આધિ, વ્યાધિ, ઉપાધિના દુઃખ તે જળચર જીવોની જેવા જાણવાં. જેમ સમુદ્રમાં આવતી (પાની મેટી ઘુમરીઓ) હોય છે તેમ સંસારમાં ક્રોધ, માન વગેરે કષા રૂપી આવર્ત જાણવા. તથા જેમ સમુદ્રમાં વડવાનલ (પાણીને શેષવી નાખનાર અગ્નિ) હેાય છે તેમ આ સંસાર રૂપી સમુદ્રમાં હંમેશાં સળગી રહેલ મદન એટલે કામ રૂપી અગ્નિ છે કે જે આત્માને શાષવી રહ્યો છે. વળી ઈન્દ્રિયોના વિષય રૂપી પર્વતમાંથી ભાગ રૂપી મોટા પત્થર આ સમુદ્રમાં પડે છે તેથી આ સંસાર સમુદ્ર ઘણે ભયંકર લાગે છે. ૨૨૦
સંસાર સમુદ્રમાં કઈ વસ્તુ પામવી દુર્લભ છે? તે જણાવે છેજેમ મોટું રત્ન દુર્લભ સાગરે ફરનારને,
તેમ ભવ સાગર વિષે ભૂરિ ભમતા જીવને ૧ પાણી જે ગેળાકાર ભમે, તે આવર્ત કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org