SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ [ શ્રી વિજયપધસૂરિકૃતઅર્થ –અજ્ઞાનથી એટલે અણસમજથી જે જે પાપ તમે પહેલાં કરેલાં હોય તેને પશ્ચાત્તાપ કરજો. બહુ લાભની મસમ છે, એમ જાણીને પોતે જે જે ભૂલ કરી હોય તેની ગર્હ એટલે ગુરૂ સાક્ષીએ નિંદા કરજે. પાપ કરવું બહુ સહેલું છે કારણ કે પાપ કરવાની ટેવ તે ઘણું વખતથી (અનાદિ કાળથી) પડેલી છે. પરંતુ તે પાપ આલેચવું એટલે ગુરૂ પાસે પ્રગટ કરી તેનું મિથ્યા દુષ્કત આપવું ઘણું મુશ્કેલ છે એ પ્રમાણે શ્રીનિશીથ સૂત્રની ચર્ણિમાં કહ્યું છે. ૨૧૩ નિંદા કેની કરવી? વિગેરે જણાવે છે – ભવચક્ર કેરા વાસની ધરી અરૂચિ કરજે નિંદના, સત્ય યુવતી જે જિનાજ્ઞા તાસ કરજે સેવના કરજે વિવિધ શિક્ષા સ્વરૂપ લલના તણું શુભ સેવના એ પ્રમાણે વર્તશે તે પામશો સુખ મુક્તિના. ૨૧૪ અર્થ—આ સંસાર ચક્રમાં રહેવાની અપ્રીતિ ધારણ કરીને તે(સંસારચક્ર)ની નિંદા કરજે. તથા જિજ્ઞાસા રૂપી જે સાચી સ્ત્રી તેની સેવા કરજે. એટલે જિજ્ઞાસાને અંગીકાર કરજે, વળી શ્રતને અભ્યાસ કરવા રૂપ ગ્રહણ શિક્ષા અને બીજી આચારને શિખવા રૂપ આસેવના શિક્ષા એમ બે પ્રકારની શિક્ષા રૂપ લલના એટલે સ્ત્રીની સારી રીતે સેવના અથવા સેવા કરજો. એ પ્રમાણે વર્તન કરવાથી હે ભવ્ય જીવ ! તમે સર્વથા રાગાદિને તજીને મેક્ષનાં સુખ જરૂર મેળવશે. ૨૧૪ અજ્ઞાન રૂપી વાદળાં ખસવાથી શા લાભ થાય? તે જણાવે છે – પુદગલ રમણતા દુખ દીએ સુખ આત્મગુણની રમણતા, આત્મચન્દ્ર હર્ષ પ્રગટે વિમનિ વાદળ દૂર થતાં સચ્ચિદાનંદી બનેલા ભવ્ય જન રાજી થતા, સત્ય સ્થિતિને પારખીને વચન આવાં બોલતા. ૨૧૫ અર્થ–પુદગલ રમણતા એટલે આત્માથી જુદા એવા પૈસો, ઘરબાર, સ્ત્રી વગેરે પરિવાર તેમના સંબંધી જે વિચારણું તે દુઃખ આપે છે. કારણ કે તે સંબંધી વિચારણા જીવને આર્ત અને રૌદ્ર ધ્યાન કરાવે છે, જેથી તે દુઃખની જ પ્રાપ્તિ થાય છે. તેથી ઉલટું આત્મગુણની રમણતા એટલે આત્માને જે જ્ઞાનાદિક ગુણે તેમાં રમણતા કરવાથી સાચા અને સ્થિર સુખની પ્રાપ્તિ થાય છે. વળી વિમતિ એટલે ઉલટી બુદ્ધિ અથવા અજ્ઞાન રૂપી વાદળ જ્યારે દૂર થાય એટલે વિખરી જાય, ત્યારે આત્મા રૂપી ચન્દ્રને વિષે ઘણે આનંદ પ્રગટ થાય છે. સચ્ચિદાનંદી એટલે જ્ઞાન દર્શનાદિ પિતાને ગુણેને વિષે આનંદી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy