________________
૨૦૦.
[ શ્રી વિજયપધસૂરિકૃતભક્તિ અપ્રતિપાતિની છે એમ જાણી તેહમાં,
આસક્તિ ધરજો ફલવિરોધ ન હોય વૈયાવચમાં. ર૦૯ અર્થ–હવે તમારે ઠગાઈ કોની સાથે કરવી તે જણાવીએ છીએઃ-કરણ એટલે પાંચ ઈન્દ્રિયે તે રૂપી વૃતારા સાથે તમે ઠગાઈ કરે એટલે એ ઈન્દ્રિયે તમને જે ઠેકાણે દેરી (લઈ જવા માગે તે તરફ તમે જશે નહિ. તથા તપની સાધનામાં, દાન આપવામાં, અને અભ્યાસ કરવામાં ઘણે લેભ રાખજે. એટલે મારે વધારે વધારે તપ કરે, વધારે વધારે દાન આપવું, તથા અધિક અધિક ભણવાનો પ્રયાસ કરવો જોઈએ એવી ભાવના હંમેશાં આનંદમાં રહીને રાખજે. ભક્તિ અપ્રતિપાતિની છે એટલે અવશ્ય ફળ આપનારી છે. એમ જાણીને તેમાં આસક્તિ રાખજે એટલે ભક્તિ કરવામાં કચાશ રાખશે નહિ. તથા સાધુ, સાધનિકની વૈયાવચ્ચ એટલે સેવા-માવજત કરવામાં પણ આસક્તિ રાખજો, કારણ કે તેથી ફલવિરોધ નથી એટલે તેનું ફળ અવશ્ય મળે છે જ. ૨૦૯
કઈ બાબતમાં હંમેશાં તૈયાર રહેવું? વિગેરે જણાવે છે – સન્મુખ થજે શુભ ધ્યાન યોગે તેમ તરસ્યા નિત રહો,
પર તણું ઉપકાર કરવામાં નતૃપ્તિ જરી હો; પાંચ આઠ પ્રમાદ ચેરે આત્મધનને લુંટતા,
વૈરાગ્ય ખર્શે તેહને હણજે નિરન્તર ચેતતા. ૨૧૦ અર્થ – હે ભવ્ય જીવો ! શુભ ધ્યાન એટલે ધર્મધ્યાન તથા શુક્લધ્યાન એ બે ધ્યાનને સાધવામાં તમે હંમેશાં તૈયાર રહેજે. એટલે શુભ ધ્યાનની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ તે માટે અધિક અધિક પ્રયત્ન કરજે. વળી પારકાના એટલે દુઃખી છની ઉપર ઉપકાર કરવામાં તમે તૃપ્તિ એટલે સંતેષ જરા પણ રાખશે નહિ. પરંતુ અધિક અધિક પોપકાર કરવાની ઈચ્છા રાખજો. તથા પાંચ પ્રમાદ અને આઠ પ્રસાદ રૂપી ચારે તમારું આત્મ ધન ચરી રહ્યા છે. તેમને હંમેશાં ચેતતા રહીને વૈરાગ્ય રૂપી તરવાર વડે હણજે. એટલે તે પ્રમાદ રૂપી ચેરને નાશ કરજે. અહિં પાંચ પ્રમાદ તે મઘ વિષય કષાય નિદ્રા ને વિકથા એ પ્રસિદ્ધ છે, અને અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મને અનાદર, અને દુપ્રણિધાન (સદગ) એ આઠ પ્રકારને પણુ પ્રમાદ છે.
ભય જુગુપ્સા કયાં કરવા? તે જણાવે છે – ભવ ભ્રમણ જેથી વધે તે પાપને ભય રાખજે,
મુશ્કેલ વિરતિ પાપની ના પાપ કરવું માનજે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org