SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત આ બનાવથી ઘણા લેાકેા એકઠા થઈ ગયા, અને તેમણે ગુરૂને એ રીતે અગ્નિમાં તપાવવાનું કારણુ શિષ્યને પૂછ્યું, ત્યારે ગંગાના કિનારે અગ્નિમાં વાંકી લાકડીએ તપાવી ધીમે ધીમે સીધી કર્યાની નજરા નજર જોયેલી વાત કહી સંભળાવી, તે સાંભળી સર્વ લેાક શિષ્યની મૂર્ખાઇને ધિક્કારવા લાગ્યા, તેઓએ તેને ઘણા ફિટકાર આપ્યા. આથી શિષ્ય બહુ ઝંખવાણા પડી ગયા. અને લેાકમાં હાંસી પાત્ર થયા. એ પ્રમાણે ક્રિયાના મુદ્દો કઇ પણ સમજ્યા વિના જેએ એક ખીજાની દેખાદેખી ધર્મ ક્રિયા કરે છે, તે પણુ ઉપર કહેલા મૂર્ખ શિષ્યના જેવા જાણુવા. માટે એવી દેખાદેખી ન કરતાં ક્રિયાનું રહસ્ય સમજીને ધર્મક્રિયા કરવી એ જ આ વાતના સાર છે. ૪ તધેતુ અનુષ્ઠાન--ક્રિયાનું રહસ્ય અથવા તેના ઉદ્દેશ સમજીને જે ધર્મ ક્રિયા કરવી તે તધેતુ અનુષ્ઠાન કહેવાય. અહિં તત્ એટલે તે ધર્મક્રિયાના જે હેતુ-મૂળ હેતુ એટલે મૂળ કાણુ જાણીને જે અનુષ્ઠાન-ધર્મક્રિયા કરવી તે તધેતુ અનુષ્ઠાન કહેવાય. પ્રભુ શ્રીમહાવીર દેવના આનંદ શ્રાવક વિગેરે દશ શ્રાવકે આવું અનુષ્ઠાન કરતા હતા. તેમનું પવિત્ર આદર્શ જીવન આ ગ્રંથના જ ૨૮ મા પાને જણાવ્યું છે. ૫ અમૃતાનુષ્ઠાન ફક્ત મેાક્ષ ફળ મેળવવાના અભિપ્રાયથી ક્ષણે ક્ષણે ચઢતા ભાવે શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે ક્રિયા કરવી તે અમૃત અનુષ્ઠાન કહેવાય. આ અનુષ્ઠાનમાં હૃષ્ટાંત તરીકે અર્જુનમાળી વિગેરે લઈ શકાય. તેમાં અર્જુનમાળીનું દષ્ટાંત આ પ્રમાણે— રાજગૃહી નગરીમાં અર્જુન નામે માળીને અત્યન્ત સુન્દર સ્વરૂપવાળી બન્ધુમતી નામની સ્ત્રી હતી, પેાતાની સ્ત્રી સહિત તે માળી નગરની ખંહારના ભાગમાં આવેલા પેાતાના બાગની પાસે રહેલા એક યક્ષના દેવળમાં જાર પલના લેાઢાનામેાગર હાથમાં ધરીને ઉભેલા એવા મેાગરપાણી નામના પ્રસિદ્ધ યક્ષની પૂજા હ ંમેશાં કરતા હતા. એક વાર કોઇ મહાત્સવના દિવસે કેાઈ છ પુરૂષા યક્ષના મદિરમાં આવીને બેઠા છે, તે વખતે સ્ત્રી સહિત પૂજા કરવા આવેલ અર્જુન માળીની સ્વરૂપવત સ્રીને જોઇને તેના પ્રત્યે કુદૃષ્ટિ થવાથી તે છ જણાએ અર્જુન માળીને બહાર નિકળતી વખતે બાંધીને તેની સમક્ષ છએ જણાએ તે સ્ત્રીને ભાગવી. તે જોઇને અર્જુન માળી બહુ ક્રોધે ભરાઇને યક્ષના પણુ બહુ તિરસ્કાર કરવા લાગ્યા કે હે યક્ષ ! મેં આટલા દિવસે સુધી હારી અત્યંત ભક્તિ કરી તેનું શું આ ફળ ? આ વખતે અતિ ક્રોધ પામેલા યક્ષે પેાતાના ભક્ત અર્જુન માળીના અત્યંત પરાભવ થયેલા જાણી અર્જુનના શરીરમાં પ્રવેશ કરી તે લેાખંડના મેાગરથી તે છએ જણને અને સ્ત્રીને મારો નાખ્યા, અને એ ક્રોધના પરિણામે દરરાજ એક સ્ત્રી અને છ પુરૂષને હણે નહિ ત્યાં સુધી યક્ષના ક્રોધ શાન્ત થાય નહિ. આ પ્રમાણે નિરન્તર સાત સાત જણને હણવાથી શ્રેણિક રાજાએ જાહેર કર્યું કે અર્જુનમાળી જ્યાં સુધી સાતને ન હણે ત્યાં સુધી કોઈ પણ નગરજને એ રસ્તે જવું નહિ, Jain Education International For Personal & Private Use Only: www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy