________________
વસરણ કઈ રીતે બનાવે? બંનેમાં તફાવત છે? (૧૭) કઈ વિધિએ પ્રભુદેવ સમવસરણમાં વિરાજે છે? (૧૮) તીર્થ શબ્દના ત્રણ અર્થ કયા કયા? (૧૯) પ્રભુદેવ દેશના આપે તેનું શું કારણ? (૨૦) પ્રભુદેવને વચનતિશય કેવા પ્રકાર હોય છે? એટલે પ્રભુદેવ એક વચનથી ઘણાં જનના સંશોને કઈ રીતે દૂર કરે છે? આ બાબતમાં ગવાળનું અને ભિલ્લનું દષ્ટાંત દઈને સ્પષ્ટ ખુલાસો કર્યો છે. (૨૧), પ્રભુદેવના ચેત્રીસ અતિશયો અને વાણુના પાંત્રીશ ગુણો ક્યા કયા? (૨૨) શ્રી ગણધર ભગવંતે ક્યા ક્રમે કયી રીતે શા નિમિત્તે કેવા સૂત્રની રચના કરે છે? (૨૩) પ્રભુદેવના વચનથી અભવ્ય જીને પ્રતિબોધ થતું નથી, તેનું શું કારણ? આ વાત દાખલ દઈને સમજાવી છે. (૨૪) પ્રસંગે વિદ્યમાન શ્રી આચારાંગાદિમાં શી શી બીના વર્ણવી છે? તે પણ ટૂંકમાં જણાવી છે. (૨૫) કેટલા વર્ષના દીક્ષા પર્યાય વાળા શ્રમણને કર્યું સૂત્ર ભણાવી શકાય? (૨૬) સૂત્રને પ્રભાવ છે? (૨૭) પ્રભુનું અલૌકિક સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે? (૨૮) પ્રભુની ભક્તિ કરવાથી શા શા લાભ થાય? (૨૯) સમવસરણમાં કયા ક્રમે કઈ વિધિએ બારે પર્ષદા બેસે છે? (૩૦) કર્મની ૧૫૮ પ્રકૃતિમાં જ્યારે તીર્થકર નામકર્મ લીધું, તે પછી ગણધર નામકર્મ ચકવતિ નામકર્મ વિગેરેને નહિ લેવાનું શું કારણ? (૩૧) શ્રી ગણધરાદિ નામકર્મને અંતર્ભાવ કઈ પ્રકૃતિમાં કયા કારણથી થઈ શકે? (૩૨) છદ્મસ્થ ગણધરની પાછળ શ્રી કેવલી ભગવંતે બેસે એનું શું કારણ? (૩૩) કેવલી સમવસરણમાં આવે, ત્યારે શ્રી તીર્થકરને ન વાંદે, તેનું શું કારણ? (૩૪) પ્રભુદેવ કઈ મુદ્રાએ કયા આસને સમવસરણમાં દેશના આપે? (૩૫) યોગમુદ્રા એટલે શું? (૩૬) પ્રભુ શ્રી તીર્થકર અને શ્રી કેવલી મહારાજ તીર્થ શબ્દથી કેને નમસ્કાર કરે છે? (૩૭) દેવ પ્રભુના નિમિત્ત સમવસરણ બનાવે, એ નિર્દોષ કઈ રીતે કહેવાય ? (૩૮) તેવા સમવસરણમાં પ્રભુદેવ બેસે, એમાં અનુચિતપણું ખરું કે નહિ? (૩૯) આ બાબતમાં સ્પષ્ટ નિર્ણય શો સમજવો ? (૪૦) પ્રભુદેવ દેશના દેવાના ટાઈમે સંસારને અગ્નિના જેવો કહે છે તે કઈ રીતે ઘટે? (૪૧) પ્રમાદના ભેદે કયા કયા? (૪૨) સર્ષથી પણ વધારે દુઃખ પ્રમાદી જીવોને ભોગવવું પડે, એ કઈ રીતે? (૪૩) પ્રસંગે સર્પદંશમાં સાધ્ય–અસાધ્ય વિચાર શો સમજ? આ બીના પણ જણાવી છે. (૪૪) વજ. રૂષભનારા સંઘયણનું સ્વરૂપ શું? (૪૫) ચાર ગતિરૂપ સંસાર કસાઈખાના જેવ, રાક્ષસના જેવો છે, એ કયી રીતે ઘટે? પ્રસંગે સુખમય સ્થિતિને પામવાને ઉપાય અને અવસરચિત શીખામણ આપી છે. (૪૬) શ્રી જિન ધર્મની સાધના તંબુરાના ત્રણ તારના દષ્ટાંતે એકાગ્રતાથી કરવી જોઈએ, તેમાં તંબુરાનું દષ્ટાંત કઈ રીતે ઘટે? (૪૭) કામદેવ લૂંટારે કયા છના ધર્મ (રૂપી) ધનને લૂંટતો નથી? (૪૮) આરાનસિદ્ધિક ભવ્ય જીવોની સાચી આત્મસ્થિતિ કેવી હોય છે? (૪૯) સંસારમાં ચારિત્ર રાજાનું અને મેહ રાજાનું કેવું યુદ્ધ ચાલે છે? (૫૦) ચારિત્ર રાજા ભવ્ય જીવોને કેવી હિતશિક્ષા આપે છે? (૫૧) તેમાં પ્રસંગે મેહરાજા કેવા કેવા જુલમ ગુજારે છે? તે પણ સમજાવ્યું છે. (૫૨) મેહના જેરથી કેવા કેવા ર વિક થાય છે? (૫૩) પ્રસંગે શેખચલ્લીના કેવા વિચારો હોય છે? (૫૪) સર્વ કર્મોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org