________________
૧૮
સમજાશે, કે જેથી તેની નિર્દોષ આરાધના કરી શકાય, આ ગ્રંથનું ફલ સમજવું. (૪) આ ગ્રંથને તેના અર્થની સાથે વાચ વાચકભાવ સંબંધ છે, એટલે ગ્રંથ વાચક કહેવાય, અને અર્થ વા કહેવાય. તથા ગ્રંથ નિર્વિક્તપણે પૂરો થાય, આ મુદ્દાથી મંગલની જરૂરિયાત છે તેથી તે પણ કર્યું છે.
હવે આ ગ્રંથના પરિચયને અંગે કંઈ જણાવવું જોઈએ. તે આ પ્રમાણે–આ શ્રી દેશનાચિંતામણિ ગ્રંથના પહેલા ભાગમાં વર્તમાન ચોવીશીના પહેલા તીર્થંકર પ્રભુ શ્રી ઋષભદેવની દેશના જણાવી છે. તેમાં શરૂઆતમાં કલિકાલમાં પણ લોકોત્તર કલ્પવૃક્ષના જેવા શ્રી સિદ્ધચક્ર વિગેરે ત્રણ ઈષ્ટ પદાર્થોને નમસ્કાર કરીને દેશના એટલે શું? આ પ્રશ્નના જવાબમાં (૧) તે શબ્દની અન્વર્થ વ્યાખ્યા જણાવવા પૂર્વક અનેક ભેદવાળી દેશનામાંથી કઈ દેશના આત્માને અવ્યાબાધી પદ દઈ શકે છે ? (૨) દેશના પ્રભાવ છે ? (૩) તેને નેળવેલના જેવી કહી, તેનું શું કારણ? (૪) દેશના આત્મિક જીવનની ઉપર જૂદી જૂદી રીતે શી શી અસર કરે છે? (૫) આત્માના ત્રણ ભેદ ક્યા? અને તે દરેક ભેદનું સ્વરૂપ શું ? (૬) સમિતિ અને ગુપ્તિમાં શો ફરક સમજ ? (૭) દરેક ધર્મ કિયા કરવાના પ્રસંગે ચિત્તને સ્વસ્થ જરૂર રાખવું જોઈએ, તે તે પ્રમાણે શી રીતે કરી શકાય? આ પ્રશ્નોના સ્પષ્ટ ખલાસા અહીં જણાવ્યા છે. તથા (૮) ભાવકરૂણાનિધાન પરમ મંગલ નામધેય પ્રભુ શ્રી મહાવીર દેવના લબ્લિનિધાન શ્રી ગૌતમાદિ ગણધર ભગવંતને અને શ્રી આનંદાદિ મહાશ્રાવકને પણ આદર્શ જીવન સધાવીને છેવટે મુક્તિમાં લઈ જનારી પણ શ્રી તીર્થકર પ્રભુની દેશના જ હતી, તે જણાવવાના પ્રસંગે શ્રી ગણુધરાદિની જીવન ચર્ચા પણ યંત્ર સહિત ટુંકામાં જણાવી છે. આ પ્રસંગે શ્રી ગૌતમ ગણધર ચાર જ્ઞાનને ધારણ કરે છે, છતાં પ્રભુને પ્રશ્નો પૂછે, એ વાત કઈ રીતે સંભવે ? વિગેરે જરૂરી પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા જણાવવા ઉપરાંત ૨૮ લબ્ધિ તથા શ્રાવકની ૧૧ પ્રતિમાદિની પણ પ્રાસંગિક બીના જણાવી છે. ત્યાર બાદ પ્રભુ શ્રી આદીશ્વર ભગવંતના યવન કલ્યાણક અને જન્મ કલ્યાણુકની બીના જણાવવાના પ્રસંગે અયોધ્યા નગરીને ઈતિહાસ જણાવ્યું છે. તેમાં વચમાં રાજનગર ( અમદાવાદ ) ની નજીકમાં આવેલા શ્રી સેરીસા તીર્થનું પણું વર્ણન આવે છે, ( ૯ ) આ બીજા ( જન્મ ) કલ્યાણકના અવસરે ઇંદ્ર મહારાજા પ્રભુની કેવી સ્તુતિ કરે છે? તથા (૧૦) કયા કયા ત્રણ કારણથી પ્રભુનું ઋષભદેવ નામ પાડ્યું? (૧૧) અનુક્રમે મોટા થયા બાદ વાર્ષિક દાન દઈને પ્રભુદેવ પરમ પવિત્ર દીક્ષાને અંગીકાર કરે, ત્યારે ઇંદ્ર મહારાજ પ્રભુની કેવી સ્તુતિ કરે છે? (૧૨) વર્ષીતપના પારણા નિમિત્ત પ્રવર્તેલી અક્ષય તૃતિયાને મહિમા છે? (૧૩) પ્રભુદેવને કંઈક અધિક વર્ષ સુધી આહાર ન મળે, તેનું શું કારણ? આ બીનામાંથી આપણે શો સાર લેવો જોઈએ? (૧૪) છદ્મસ્થપણું વીત્યા બાદ પ્રભુને કયે સ્થલે કયી રીતે કેવલજ્ઞાન થાય છે? (૧૫) આ પ્રસંગે ઇદ્ર મહારાજ પ્રભુની કેવી સ્તુતિ કરે છે? (૧૬) દેવ ળ ચેરસ સમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org