________________
[ શ્રી વિજ્યપદ્યસૂરિકૃત
અર્થ –ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે જ્યારે વૈરાગ્યવંત ભવ્ય જીવો પ્રભુ આગળ પિતાના આનંદનું નિવેદન કરે છે, ત્યારે પ્રભુજી એટલે આદીશ્વર પ્રભુ પણ તેમને કહે છે કે હે ભવ્ય જી! આ ઉત્તમ શીખામણ તમારે અવશ્ય ધારવી એટલે ખ્યાલમાં રાખવી કે અનાદિ કાલથી તમારામાં જે મૂછ વિગેરે એટલે મમત્વ લેભદશા સ્નેહ વગેરે જે સંસ્કાર છે તે જે તમારાથી એકદમ દૂર ન કરી શકાય છે તેને આગળ જણાવવા પ્રમાણે ઉત્તમ આલંબનમાં જલ્દી જેડી દેજે. અહીં આલંબન બે પ્રકારના સમજવાનું છે. ૧ પ્રશસ્ત આલંબન એટલે પ્રભુ પૂજા વિગેરે શુભ કાર્યો (નિમિત્ત). ૨ અપ્રશસ્ત આલંબન એટલે હિંસા વિગેરે અશુભ કાર્યો (સાધન). અત્યાર સુધી તમારે અશુભ આલંબન હતું. તેને ત્યાગ કરીને તમારે પ્રશસ્તાલંબન ગ્રહણ કરવા અને એ રીતે પ્રશસ્ત આલંબનમાં મૂછ વિગેરે જોડવાથી છેવટે સંસાર ઉપરને તુચ્છ મોહ વિગેરે પણ તરત ઉતરી જશે–એ છે થઈને નાશ પામશે અને એવી રીતે મનુષ્ય જન્મને સફલ કરીને નિર્વાણપદ એટલે મોક્ષનાં સુખ મેળવજે. ૨૦૩
મૂછ અને રાગ કયાં કરવું તે જણાવે છે – પ્રભુ કેરા ભવ્ય બિબે તીવ્ર મૂછ રાખજે,
નહિં ભવ તણા અર્થો વિષે તેમાં રહેલી કાઢજો, સ્વાધ્યાય માંહે રાગ કરજો ભવ્ય તપ એ માનજો,
યોગની સ્થિરતા બળે એ થાય ઈમ ના ભૂલજો. ૨૦૪
અર્થ-કયા કયા ઉત્તમ આલંબનમાં મૂછ વિગેરે કરવા તે જણાવે છે–હે ભળે! તમને અત્યાર સુધી ધન, કુટુંબ વગેરે ઉપર તીવ્ર મૂછ એટલે ઘણું આસક્તિ હતી તે તેજ આસક્તિ તમે હવે જિનેશ્વર ભગવંતની ભવ્ય પ્રતિમા ઉપર રાખજે, અને સંસારી પદાર્થો ઉપર રહેલી આસક્તિ કાઢી નાખો. તમારે સ્ત્રી પુત્રાદિક ઉપર જે રાગ તે કાઢી નાખીને સ્વાધ્યાયમાં એટલે ધાર્મિક ગ્રંથોના અભ્યાસ વિગેરેમાં જેજે. અને તે સ્વાધ્યાયને જ સુંદર તપ માનજે. કારણ કે આ શ્રતને અભ્યાસ ગની ચંચળતા છોડીને તેની સ્થિરતા કરવાથી થાય છે, એ વાત તમે ભૂલશો નહિ. સ્વાધ્યાયના પાંચ પ્રકારની બીના શ્રી શ્રાવક ધર્મજાગરિકામાં કહી છે, તે ત્યંથી જોઈ લેવી. ૨૦૪
સ્નેહ કયાં રાખ વિગેરે જણાવે છે – સ્નેહ સાધર્મિક વિષે નિત રાખજે શ્રાવક તણું,
શ્રાવક ગણો સાધર્મિ સાધુ તેમ ગુણિ મહારાજના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org