________________
૧૮૮
[ શ્રી વિજ્યપદ્યસૂરિકૃત–
દીલમાં ઘણે ખેદ એટલે શોક કરાવે છે, અને અત્યાર સુધી સંસારમાં જે બીલ ચેષ્ટાના જેવું આચરણ અમે કર્યું હોય તે ભૂલ કરી છે એમ તેઓ વિચારે છે. દરેક પદાર્થને યથાર્થ સ્વરૂપે જાણુ, તે તત્ત્વદષ્ટિ કહેવાય છે. ૧૯૭-૧૯૯૮
ચાલુ વાતને પૂર્વની જેમ દષ્ટાંત દઈને વિસ્તારથી સમજાવે છે – જિમ પ્રભાતે સ્વપ્ન રચના સર્વ મિથ્યા લાગતી,
નેત્રરોગ ગયા પછી બે ચન્દ્ર ભ્રમણા ના થતી; નિર્વિકલ્પ સ્થિર મતિને તત્વ દૃષ્ટિ જાગતાં,
સવિ બનાવો ભવ તણું મિથ્યા સ્વરૂપે ભાસતા. ૧૯
અર્થ –જેમ રાત્રીએ આવેલી સ્વપ્નની રચના એટલે અનેક પ્રકારનાં સ્વપ્ન ફોગટ હતાં એવું પ્રભાતે અથવા સંપૂર્ણ જાગે ત્યારે જણાય છે. વળી નેત્રરોગ એટલે ચક્ષુનો એક પ્રકારને તિમિર નામને તે રોગ કે જેનાથી બે ચન્દ્ર છે એવી બ્રાતિ થાય છે તે રાગ ગયા પછી જેમ તેવી (બે ચંદ્રની) બ્રાંતિ થતી નથી તેમ નિર્વિકલ્પ બુદ્ધિવાળાને એટલે અનેક પ્રકારના વિષયાદિના વિચારોથી રહિત સ્થિર બુદ્ધિવાળા ભવ્ય જીવોને જ્યારે તત્વષ્ટિ એટલે આત્મા વિગેરે પદાર્થોની ઓળખાણ કરવા રૂપ શેધક દષ્ટિ જાગે છે ત્યારે સંસારમાં બની ગએલા સઘળા બનાવે પણ (તેવા આત્મદશી છોને) મિથ્યા સ્વરૂપે ભાસે છે એટલે સ્વપ્નની પેઠે વિનશ્વર જણાય છે. ૧૯
મનને સ્થિર કરવાનો ઉપાય વિગેરે જણાવે છે – તત્ત્વબોધ અટકશે સંકલ્પ સઘળા હૃદયના,
ઈમ થતાં તે સ્થિર થશે તે સમય આ સંસારના; સઘળા પદાથે ભવ્યને તે સ્વરૂપમાં ઝટ ભાસશે,
તત્વબોધાદથી બુધ ભૂલ સર્વ સુધારશે. ૨૦૦ અર્થ-જ્યારે તત્વબેધ થશે એટલે નવ તત્ત્વના સ્વરૂપને અથવા આત્મા વિગેરે પદાર્થોના સ્વરૂપને બાધ એટલે યથાર્થ જ્ઞાન થશે ત્યારે ભવ્ય જીવોના મનના સઘળા સંકલ (સંસારની ગડમથલના વિચારો) અટકી જશે. તે વખતે તેના (આત્મા) માં સ્થિરતા આવશે એટલે ડામાડોળપણું દૂર થશે. તે વખતે તે ભવ્ય જીને આ સંસારના તે સઘળા પદાર્થો કે જેમાં તેમને મમતા થતી હતી તે ખરા સ્વરૂપમાં એટલે તે પદાર્થો નાશવંત અને અસાર છે એવા સ્વરૂપમાં જણાશે. તે વખતે સમજુ બનેલા તે ભવ્ય છ તત્વબેધાદર્શ વડે એટલે તત્ત્વજ્ઞાન રૂપી આરિસા વડે પિતાની સર્વ ભૂલે સુધારશે. ૨૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org