SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શિનાચિંતામણિ ] આને સ્પષ્ટાથે ઉપર જણાવી દીધું છે. ૨–શંગાર રસના પુસ્તકનું વાંચન જે પુસ્તકમાં માનવજીવન રૂપી સુખડને બાળવામાં અગ્નિના જેવો શૃંગારરસ ભરેલ છે તેવા પુસ્તકો નજ વાંચવા જોઈએ, કારણ કે તે રાગને વધારે છે. આજ મુદ્રાથી આત્મહિતને ચાહનારા ભવ્ય જીવોએ તેવા કાવ્ય વિગેરેનો અભ્યાસ ન જ કરવું જોઈએ. સંસ્કૃત ભાષાનો કે પ્રાકૃત ભાષાને પરિચય કરાવનારા અને વૈરાગ્યાદિ રસને પોષનાર શ્રી જૈનદર્શનમાં કાવ્ય ઘણું છે. તેમાં શ્રી શાંતિનાથ મહાકાવ્ય, શ્રીહીર સૌભાગ્ય કાવ્ય, વિજય પ્રશસ્તિ, કમારવિહારશતક, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, શ્રી સ્તોત્ર ચિંતામણિ વિગેરે કાવ્યાદિના ગ્રંથો ભણવાથી સંસ્કૃતને બેધ સારામાં સાર થઈ શકે છે. તથા શ્રીપભ્રમચરિય, વસુદેવ હિંડી પ્રાકૃત, નાનું ને મોટું શ્રી મહાવીર ચરિત્ર તથા શ્રી પ્રાકૃત સ્તોત્રપ્રકાશ વિગેરે ગ્રંથને અભ્યાસ કરવાથી પ્રાકૃત ભાષાને સારામાં સારો બેધ થઈ શકે છે. એમ શ્રી જૈનદર્શનમાં દરેક ભાષાના પરિચય મેળવવાને અંગે ઓછા વધતા પ્રમાણમાં ઘણાં ગ્રંથ હયાત છે. આવા ગ્રંથને અભ્યાસ કરવાથી ભાષાને બોધ થાય, અને તે ઉપરાંત દ્રવ્યાનુગાદિની બીના પણ જાણી શકાય છે. - ૩–નાટક સીનેમાનું જેવું–નાટક સીનેમા વિગેરેમાં શૃંગારના સાધને વિશેષે કરીને જેવાય છે, અને સંભળાય છે, અને તેથી રાગમય જીવન બને છે. શારીરિક દષ્ટિએ પણ તેમાં ઘણું જાતનું નુકશાન રહેલું છે. પૈસા આપીને ઉજાગરે વેઠ, આરોગ્યને બગાડવું, ધાર્મિક સાધનામાં ભયંકર વિન વિગેરે નુકશાન ધ્યાનમાં લઈને તે તરફ ભવ્ય જીએ લગાર પણ પ્રીતિ ન રાખવી જોઈએ. ૪–તામસી આહાર તથા રાજસી આહાર, માંસ ખાવું, દારૂ પીવે, જેમાં દારૂ વિગેરે પદાર્થ આવે તેવા પદાર્થો ખાવાથી પણ રાગ વધે છે. એમ સમજીને તેવા સાધનને ન સેવવા જોઈએ. ૫–ખરાબ સોબત–સેબતની અસર મનની ઉપર જરૂર પડે છે. ખરાબ દુરાચારી માણસોની સેબત કરવાથી રાગની વૃદ્ધિ થાય છે. કારણ કે આત્મા નિમિત્ત વાસી છે એટલે તે જોવા જેવા નિમિત્તોને પામે તે પ્રમાણે તેને ભાવના જાગે છે. રાગીની સેબતમાં રહેનાર જીને રાગ વધારે પ્રમાણમાં હોય છે. તેમના હૃદયમાં ભાવના પણ તેવી જ હોય છે, વચન પણ તેઓ તેવાજ બેસે છે, અને કાયાથી પણ તેઓ તેવીજ પ્રવૃત્તિ કરે છે. આ વાતને લક્ષ્યમાં રાખીને ભવ્યજીએ ધાર્મિક જીવન ટકાવવા માટે અને પરંપરાએ મુક્તિના સુખ મેળવવા માટે રાગના સાધનેથી જરૂર દૂર રહેવું જોઈએ. ૧૯૪ પ્રભુજી સંસારને લડાઈના મેદાનની જેવો જણાવે છેરણભૂમિ મહતણી જ આ સંસાર તેમાં શર સમા, સ્ત્રી કટાક્ષ ધર્મ લશ્કરને હણે ક્ષણવારમાં, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy