________________
૧૨
[શ્રી વિજ્યપદ્મસૂસ્કૃિત
નાખી પકાવે છે તેમ આ અશુભ કર્મોના ઉદય રૂપી કુંભાર સંસાર રૂપી નીભાડામાં સંસારી જીવા રૂપી ધડાને પકાવે છે. તેથી પાપના ઉદય અથવા મેાહનીય કર્મ એ કુંભાર સરખા છે અને સંસાર નિભાડા સરખા છે, અને સંસારી જીવા નિભાડામાં પાકતા–પકાતા (ગેાઠવેલા) ઘડાની જેવા જાણુવા. ૧૯૩
ભાવ બંધન વિગેરે જણાવે છે:—
સંસાર માંહી ભાવ અંધન બેઉ રાગ દ્વેષને,
દ્વેષ કરતાં રાગ છે અળવંત ના શ્રેણિને;
ક્રોધ માન દ્વેષ વિણસ્યા બાદ માયા લાલને,
મુશ્કેલી વેઠીને ખપાવે રાગ જાણેા બેઉને. ૧૯૪
અર્થ:—સંસારમાં અંધન બે પ્રકારનાં છે-૧ દ્રવ્ય બંધન, ૨ ભાવ ધન. તેમાં સાંકળ, દોરડું, બેડી વગેરે દ્રવ્ય ખંધન જાણવાં. અને રાગ તથા દ્વેષ એ તેને ભાવ બંધન કહ્યા છે. રાગ અને દ્વેષમાં પણુ રાગનું બંધન ઘણું મજબૂત ( સજ્જડ, દૃઢ ) છે. કારણ કે કને ઉપશમાવનાર જીવા ઉપશમ શ્રેણિમાં જ્યારે મેાહનીયને ઉપશમાવે છે. અગર ક્ષપક શ્રેણિમાં કનિ ખપાવનારા જીવા માહનીયને ખપાવે છે ત્યારે ક્રોધ અને માનરૂપી દ્વેષ પ્રથમ નાશ પામે છે એટલે ઉપશમે છે અથવા ક્ષય પામે છે ત્યાર બાદ માયારૂપ રાગ નાશ પામે છે, અને ત્યારખાદ લેાલરૂપી રાગને ઘણી મુશ્કેલી વેઠીને ઉપશમાવે છે અથવા એમાં લેાભ છેલ્લે જાય છે. માટે સૌથી મુશ્કેલ લેાભરૂપ રાગને દૂર કરવાનું કાર્ય છે. અહિં માયા અને લાભને રાગરૂપ જાણવા. ઉપર કહ્યા પ્રમાણે રાગનું સામર્થ્ય વધારે છે. એમ સમજીને સંસારમાં જે જે રાગને વધારનારા કે પ્રકટાવનારા કે ટકાવનારા સાના જણાય, તેનાથી હે ભવ્ય જીવા! તમે બહુજ દૂર રહેજો, એટલે તેને તિસ્કાર કરજો. શાસ્ત્રમાં રાગના અનેક સાધના દર્શાવ્યા છે. તેમાંના કેટલાએક જણાવું છું. (1) સ્રી પરિચય-પુરૂષાએ (૧) “ સ્ત્રીએની સાથે વાતચીત કરવી (૨) ઠઠ્ઠા મશ્કરી કરવી, (૩) તેઓના ગીત સાંભળવા (૪) પ્રશંસા કરવી, (૫) સ્ત્રી કથા આન ંદથી કરવી, વિગેરે સ્વરૂપે આનેા પરિચય ખીલકુલ ન જ કરવા જોઇએ. કારણ કે તે રાગને વધારે છે. એ પ્રમાણે મનમાં પણ તેવા વિચાર લાવવાથી રાગ વધે છે. તેનુ ચિત્ર જોવાથી પણુ રાગ વધે છે. સંયમ મલિન બને છે. માટે જ્યાં સ્ત્રીનુ ચિત્રામણ હાય, ત્યાં પ્રભુએ દૃઢ સંયમી મુનિવરને પણ રહેવાની ના પાડી છે. તેમાં મુદ્દો એ છે કે શીલ ભાવનાને તે શિથિલ બનાવે છે. એમ કરતાં ઘણું દુ:ખ ભાગવવું પડે છે. એમ વિચારીને તેવા રાગના સાધનાથી દૂર રહીએ તેા જ સુખી જીવન ગુજારી શકાય છે. માટે જ શ્રીજીવવિજયજી મહારાજે સજ્ઝાયમાં કહ્યુ છે કે:—
Jain Education International
રાગ તેરીસા ઢાય ખવીસા, એ તુમ દુ:ખકા દીસા; તે કાટન કું કરી અભ્યાસા, લહેા સદા સુખ વાસા.
૨—આપ સ્વભાવમાંરે અવધૂ સદા મગનમાં રહેના.
For Personal & Private Use Only
www.jainelibrary.org