________________
દેશનચિંતામણિ ]
પ્રશ્ન—વિનયને પુત્ર જેવા કહ્યો, તે કઈ અપેક્ષાએ સમજવું ?
ઉત્તર—જેમ પુત્ર જોઇતી વસ્તુ લાવી આપવી, દુ:ખના સમયમાં સ્હાય કરવી વિગેરે પ્રકારે પિતાનું રક્ષણ કરે છે. તેવી રીતે વિનય પણ જ્ઞાનાદિ ગુગૢાને પમાડે છે, વધારે છે, ટકાવે છે, દુ:ખના સમય આવવા દેતા નથી, અને આવે તેા જીવને આશ્વાસન, ધૈર્ય આપે છે. તેવા સમયને લાંખા કાલ ટકવા દેતા નથી, આ અપેક્ષાએ વિનયને પુત્રના જેવા કહ્યો છે.
૧૮૧
પ્રશ્ન—ગુણુ રતિને પુત્રના જેવી કહી, તેનુ શું કારણ ?
ઉત્તર—જેમ દીકરી પિતાનુ ભલુ જ ચાહે, તેમ આ ગુરતિ આત્માનું ભલુ ચાહે છે. વિભાવમાં જવા દેતી નથી. માહનુ જોર ઘટાડે છે. આથી ગુણુતિને પુત્રીના જેવી કહી છે.
પ્રશ્ન—વિવેકને પિતાની ઉપમા આપી તે કઈ અપેક્ષાએ સમજવી ?
ઉત્તર—પિતા પુત્રને અવળે માર્ગે ન જ જવા દે, એમ વિવેક પણ ઉન્માર્ગમાં જતાં અટકાવે છે, વિગેરે અનેક મુદ્દાઓથી વિવેકને પિતાની જેવા જણાવ્યા છે. પ્રશ્ન—સુપરિણતિને માતાની જેવી કહી, તે કઇ અપેક્ષાએ સમજવું ?
ઉત્તર્——જેમ માતા દીકરાની ઉપર અનહદ પ્રેમ રાખે છે. અને તેનુ અધી રીતે લાલન પાલન કરીને દીકરાને સુખી કરવાને અને દુઃખથી ખચાવવાને નિરંતર લાગણી ધરાવે છે, એ પ્રમાણે સુપરિણતિ એટલે નિર્મલ ભાવના પણ ભવ્ય જીવેાની ઉપર પ્રેમ ભાવ રાખીને તેમનું લાલન પાલન કરીને સુખના રસ્તે તેને દોરે છે અને દુઃખથી બચાવે છે. વિગેરે અનેક મુદ્દાઓથી સુપરિણતિને માતાના જેવી કહી છે. ૧૯૨
પ્રેમની વિડંબના જણાવીને સંસારને નીભાડા જેવા જણાવે છે:—
પ્રેમ કરવામાં પ્રચૂર દુઃખ તેમ પ્રેમ ટકાવતાં,
પ્રેમ ભાજન વિસતાં દુઃખ માહી જીવા પામતા; પ્રેમ કેરા બંધને નિત ભાગને દુઃખ બહુ ભવી,
સંસાર નીભાડા સમા તપતા ઘડા જેવા ભવી. ૧૯૩
અર્થ:—પ્રથમ જેમ ધનમાં અને પુત્રાદિ પરિવારમાં દુ:ખ ભોગવવાનુ કહ્યું, તેમ પ્રેમ કરવામાં પણ ઘણું દુ:ખ પડે છે. તેમજ તે પ્રેમને ટકાવતાં એટલે નભાવી રાખવામાં પણ ઘણું દુ:ખ લાગવવું પડે છે. વળી પ્રેમનુ જે ભાજન પુરૂષને સ્ત્રી અગર સ્ત્રીને પુરૂષ હાય તેમાંથી કાઇ પણ નાશ પામે એટલે મરણ પામે તેા તે વખતે મેાહને વશ પડેલા જીવા દુ:ખ પામે છે. તે મરનારની પાછળ રડાપીટ કરે છે અને ઝુર્યો કરે છે. આ પ્રમાણે પ્રેમ રૂપી બંધનને લીધે ભવ્ય જીવે હમેશાં ઘણું દુ:ખ ભાગવે છે. આથી કરીને સંસારને કુંભારના નીભાડાની જેવા કહ્યો છે, કારણ કે જેમ કુંભાર માટીના ઘડાને નીભાડામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org