________________
|શ્રી વિજ્યપદ્ધરિકા
દુઃખ કહ્યું છે, વળી કમાઈને ભેગા કરેલા પૈસાનું રક્ષણ કરતાં પણ દુખ તથા ચિંતા કરવાં પડે છે, કારણ કે ભેગા કરેલ પૈસો રખે કઈ ચોરી જશે અગર લૂંટી જશે તેની ચિંતા રહે છે. કેઈને ત્યાં મૂકતાં ઘલાઈ જવાનો ભય રહે છે તેથી ચિંતામાં રહેવું પડે છે. વળી જે ધન જતું રહે એટલે કેઈ ચોરી જાય અગર ઘાલી જાય અગર વેપાર વગેરેમાં નુકસાન આવવાથી ચાલ્યું જાય ત્યારે પણ ઘણી ચિંતા થાય છે. કદાચ આમાંનું કાંઈ પણ ન બને તે પણ છેવટે જ્યારે પિતાનું આયુષ્ય પુરૂં થાય અને મરવાનો વખત આવે તે વખતે ધનને મૂકીને જવાનું છે એવું જાણીને પણ તે ધનના લેભી જી ઘણું દુખ પામે છે. માટે પિતાને લીધે કઈ રીતનું ખરું સુખ નથી, એમ નકકી જાણવું. ૧૯૦
પ્રભુછ ભવ્ય ને ચેતતા રહેવાનું કહે છે – એમ પુત્રાદિક વિષે પણ જાણીએ ઝટ ચેતીએ,
ધર્મ જાગરિકા કરી જિનધર્મને આરાધીએ, સ્વાર્થના સહ છે સગા, નિત ભાવ પૂછે સ્વાર્થમાં,
હૃદયમાં વિષ રાખતા મીઠું વદે સંસારમાં. ૧૯૧ ' અર્થ-જેવું દુઃખ ધનમાં કહ્યું તેવું જ દુઃખ પુત્રાદિક એટલે પુત્ર, પુત્રી, સ્ત્રી વગેરે સ્વજન વિષે પણ જાણવું. એટલે પુત્ર, પુત્રીને ઉછેરતાં ઘણું રીતે હેરાન થવું પડે છે, માંદાં થાય ત્યારે કેટલી ચિંતા કરાવે છે. મોટાં થયે ચાલચલગતમાં સારાં નીવડે તે સારું, નહિ તે અનેક રીતે હેરાન કરે છે. આવું જાણીને જલદીથી ચેતવું જોઈએ. વળી ધર્મ જાગરિકા એટલે હું કેણું છું? ક્યાંથી આવ્યું છું? મારું સ્વરૂપ શું છે? વગેરે પોતાના સ્વરૂપની વિચારણા કરીને જૈન ધર્મની આરાધના કરવી. આ જગતમાં સૌ કોઈ સ્વાર્થનાં સગાં છે. સ્વાર્થ હોય ત્યાં સુધી મારાં સગાં મારાં સગાં કરતાં કરતાં તમારી પાસે આવે છે અને સ્વાર્થ હોય ત્યાં સુધી ભાવ પૂછે છે એટલે કાળજી રાખે છે, પરંતુ તે બધું બહારથી દેખાડવાનું હોય છે, કારણ કે સ્વાર્થનાં સગાં લોક હૃદયમાં તો ઝેર રાખે છે એટલે ઈર્ષ્યા (અદેખાઈ) રાખે છે, અને મેઢેથી મીઠું મીઠું બોલે છે.
સંસારમાં સ્વાથી જીવોના હૃદયની ભાવના કંઈ જુદી જ હોય છે અને મોહના વચન મેંઢથી કંઈ જુદા જ બોલાય છે. આ બાબતમાં એક ડેસીની બીને યાદ રાખવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી:
કઈ ગામમાં એક ઘરડી ડોસી હંમેશાં પુરાણુ શાસ્ત્ર સાંભળવા જાય છે, ત્યાં સાંભળ્યું કે જીવ જ્યારે મરણ પામવાને હોય ત્યારે તેને ધર્મરાજાના હત જમ પાડાનું રૂપ કરીને તેડવા આવે છે ને તે જમ જીવને ધર્મરાજા પાસે જમપુરીમાં લઈ જાય છે, તેમજ લેકમાં પણ આ પુરાણની વાત પ્રસિદ્ધ હતી. એક વાર જ્યારે પિતાને દીકરે બહુ માં પ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org