SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] કરનાર રાગ છે. આ રાગ અરિહંત દેવમાં ન હોય, એમ ષ અને મેહ પણ ન હોય. આત્મિક શાંતિ રૂપી લાકડાને બાળવામાં દાવાનલની જે દ્રેષ છે. એટલે જ્યાં દ્વેષ હોય, ત્યાં શાંતિ હોય જ નહિ. અને મેહ એ આત્માના ઉત્તમ જ્ઞાન ગુણને ઢાંકનારે અને ખરાબ કાર્યોને કરાવનાર છે. એમ જેમાં રાગાદિ ન હોય અને જેને મહિમા ત્રણે લેકમાં પ્રસિદ્ધ છે તે મહાદેવ અથવા અરિહંત કહેવાય. કંચન કામિનીના ત્યાગી મહાવ્રતધારક શ્રી ગુરૂ મહારાજ તથા વ્રતધારી શ્રીસંઘ વિગેરે ઉત્તમ પુરૂષનાં દર્શન કરવાથી આંખ ઉત્તમ ગણાય. તે પ્રમાણે આ નીચ માણસે કર્યું નથી, માટે આ આંખને ખાવાથી શું લાભ? પંડિતના આ વેણ સાંભળીને શિયાળે કહ્યું કે મને પગ ખાવા દે. આ બાબતમાં પંડિતે કહ્યું કે આના પગ પણ ઉત્તમ નથી. કારણ કે ચાલીને તીર્થયાત્રા કરવાથી પગ પવિત્ર બને. તેમ આણે નથી કર્યું, માટે પગ પણ ખાવા લાયક નથી. એ જ પ્રમાણે અન્યાયથી પેદા કરેલ પૈસાના અનાજથી ભરેલું પેટ છે, અને આનું માથું અભિમાનથી કાયમ અક્કડ રહ્યું છે. માટે તારી કદાચ પેટ કે માથું ખાવાની ઈચ્છા થતી હોય, તે તે પણ ગેરવ્યાજબી છે. હું તે તારા ભલાની ખાતર તને કહું છું કે આ નીચ માણસનું શરીર છોડી દે. તેનું એક પણ અંગ ખાવા લાયક નથી. આમાંથી સમજવાનું એ કે દાનથી હાથની ઉત્તમતા ગણાય. એમ સમજીને ભવ્ય જીવોએ યથાશક્તિ દાન જરૂર દેવું. વિશેષ બીના શ્રીશ્રાવકધર્મ જાગરિકા અને શ્રીદેશવિરતિ જીવનમાંથી જોઈ લેવી. તથા કંજૂસને સેવા કરનાર ભક્તની ઉપર કે અરૂચિભાવ (અણગમો ) હોય છે? તે બાબત જાણવા જેવી બીન એ છે કે–એક ગરીબ માણસ કંઈક ધનની ઈચ્છાથી એક કંજૂસ શેઠની પાસે આવ્યા. પડખે મુનીમ બેઠો છે. આવેલા ગરીબ શેઠને વિનંતિ કરી કે હું ગરીબ છું મને કંઈક આજીવિકા ચલાવવા દ્રવ્ય આપે. આ વિચાર સાંભળતાંની સાથે શેઠને અરૂચિ ગર્ભિત વિચાર આવ્યો કે આ વળી અત્યારે ક્યાંથી આવ્યો? હું જે સૂઈ જઈશ તે આ દીન માણસ એની મેળે વિદાય થઈ જશે. આ વિચાર કરી શેઠ ચોફાળ ઓઢી સૂઈ ગયા. આ ગરીબને વિચાર આવ્યું કે શેઠની પગચંપી કરું, તે કંઈ પામીશ. એમ વિચારી પગચંપી કરવા લાગ્યું. શેઠને ખબર નથી કે આ ગરીબ પગચંપી કરે છે, જેથી થેડે ટાઈમ વીત્યા બાદ શેઠે મુનિમને પૂછ્યું કે “બલા ગઈ?” ચાલાક મુનિએ કહ્યું કે “એ બલા ગઈ નથી, પણ પગે વળગી છે” આ સાંભળી શેઠ સૂઈ ગયા. પેલે ગરીબ થાકીને ચાલ્યો ગયે. કંજૂસને સામા ભક્તની ઉપર કેવી અરૂચિ હોય છે? આ બાબત સમજવાને માટે ઉપરનું દષ્ટાંત યાદ રાખવા જેવું છે. તેમ જ આ ધનને પેદા કરતાં ઘણું દુઃખ સહન કરવું પડે છે. કારણ કે માણસેને પૈસે કમાવાને માટે પૈસાદારની નોકરી વગેરે કરવું પડે છે. તથા ભૂખ તરસ સહન કરવી પડે છે, અનેક પ્રકારની મજુરી કરવી પડે છે ત્યારે પૈસો કમાય છે માટે પૈસો કમાવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy