SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ . શ્રી વિજ્યપરિકૃત નમ ” આ વિચાર કરી કાંઈ પણ જવાબ દેતું નથી. (૨) જ્યારે મડદાને સ્મશાનમાં લઈ જવામાં આવે ત્યારે તેની પાછળ જેમ સગાવ્હાલાં રૂએ છે, તેમ ધનવંત કંજૂસ માણસ વાહનમાં બેસીને બજારમાં નીકળે, ત્યારે તેની પાછળ ગરીબો રૂએ છે. (૩) જેમ મડદાને કાંધીઆ ઉપાડે, તેમ આ કંજૂસને પાલખી આદિમાં બેસાડીને માણસો ઉપાડે છે. (૪) જેમ મડદું અક્કડ હોય છે. કારણ કે જીવ ગયા પછી સર્વ અંગે અક્કડ થાય છે. તેમ કંજૂસ પણું અભિમાનથી અક્કડ હોય છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી કહે તે ખરા કે મડદામાં ને કંજૂસમાં ફરક છે ? આવા કંજૂસને કોઈ ડાહ્યા માણસો કદાચ શીખામણ દે તે પણ સાપને દૂધ પાવાની જેમ તેને કંઈ લાભ થતું નથી. દાન બુદ્ધિ જાગતી નથી. આખરે તે મરણ સમયે ધનની તીવ્ર મૂછીને લઈને હાથ ઘસતે ચાલ્યા જાય છે. સર્ષાતિરૂપે તિર્યંચ ગતિમાં ઉપજે છે. કાં તે નારકી થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રના ચેથા અધ્યયનમાં કહ્યું છે કે " “ વર્દિ હાર્દિ કીયા જેવા ઉમે વિનંતિ. સંગદા (૨) માત્માપ. (૨) મહાવિચાપ. (૨) ફુજિમાદા . (૪) વિવિયવ. | સ્પષ્ટાર્થ–ચાર કારણેને સેવનારા છો નરકમાં ઉપજવાને લાયક કર્મ બાંધે છે, તે ચારે કારણે આ પ્રમાણે જાણવા-(૧) જેમાં ઘણી જ જીવહિંસા થાય છે એવા મીલ-ઇન-ચરખા-પંદર કર્માદાન વિગેરે મહા આરંભ સમારંભ કરવાથી જ નરકે જાય છે. (૨) પરિગ્રહ એટલે મૂછ. આ બાબતમાં જુઓ દશવૈકાલિકને સાક્ષિ પાઠ. “ગુચ્છા વિવાદો કુત્તો ના પુત્તે તાધન સ્ત્રી વિગેરેમાં તીવ્ર મૂછ રાખવાથી–તીવ્ર વિષયાસક્તિ રાખવાથી જી નરકે જાય છે. અહીં દષ્ટાંત જુએ. મમ્મણ શેઠ અને રાવણ નરકગતિને પામ્યા, આ વાક્યથી ભવ્ય છાએ બેધ લેવો જોઈએ કે જુવાનીના મદને લઈને વિષયાદિને માટે જેટલી લાગણી દોડધામ કરીએ છીએ, તેટલી લાગણી ધર્મારાધનમાં રાખીએ તે જરૂર કલ્યાણ થાય. કહ્યું છે કે જૌને વિચ્ચે sૌ, તથા ક્ષત્તિને મા ! तथोत्तिष्ठेत चेन्मुक्त्यै-किं हि न्यून तदा भवेत् ॥ १ ॥ પરંતુ આશ્ચર્ય તો એ છે કે બધાને દુખી થવું ગમતું નથી એટલે દુઃખ જોઈતું નથી, અને દુખના કારણુ નાટક સીનેમા સટ્ટો દુર્વ્યસન વિગેરે છોડવાનું સૂઝતું નથી. તેમજ જે આબાદી ધર્મારાધનથી મળી શકે, તેવી આબાદીની ઈચ્છા સર્વને હોય છે, પણ ધર્મની આરાધના કરવાને ફુરસદ નથી, કહ્યું છે કે-ઘરા મિતિ-ધર્મ નેતિ मानवाः ॥ फलं नेच्छन्ति पापस्य-पापं कुर्वन्ति सादराः ॥ १॥ ૩. માંસને આહાર કરવાથી જીવ નરકે જાય છે. માટે ભગવંતે સાત્વિકાદિ આહારના ભેદ સમજાવીને પરિમિત સાત્ત્વિક આહાર લેવા ફરમાવ્યું છે. ૪. પંચેન્દ્રિય દેહધારી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy