________________
દેશનાચિતામણિ 1
૧છે. માણસોની પાસે જે કે પાછલા ભવની પુણ્યાઈને લઈને હાલ લક્ષ્મી હોય છે પણ મેંઢામાં કડવી ભાષા વિગેરે અવિવેક હોવાથી ભવિષ્યમાં આવી લક્ષમીની સાહિબી વિગેરે રહે જ નહિ. (૨)
ત્રીજા પ્રશ્નનો જવાબ આપવા માટે પંડિતજી યક્ષની સાથે એક ગામમાં એક ગરીબને ત્યાં ગયા. તેણે ઘણા જ વિવેકથી પિતાની હાલત (સ્વરૂપ) જણાવીને બંનેને જમવા માટે આગ્રહભરી વિનંતિ કરી. કંઈક ન્હાનું કાઢી તે બંને ગામની બહાર આવ્યા. ત્યાં પંડિતજીએ યક્ષને કહ્યું કે આવા વિવેકી માણસની પાસે હાલ નથી એટલે પાછલા ભવ વિગેરે સ્થલે બાંધેલા લાભાન્તરાય કર્મના ઉદયથી હાલ ગરીબ સ્થિતિ છે. પણ આ ગરીબ માણસ સંતોષ, વિવેક, નમ્રતા, પ્રભુપૂજાદિ ગુણમય જીવન ગુજારે છે. તેથી ભવિષ્યમાં તેની આબાદી જરૂર થશે (રહેશે). એટલે સુખમય જીવન ગુજારી આત્મહિત કરશે. (૩)
હવે આપ રહ્યો ચેથા પ્રશ્નને જવાબ. આને માટે બંને જણું સારે વેષ ધારણું કરીને જ્યાં એક ગરીબ ભિક્ષુક ભીખ માગી રહ્યો છે, ત્યાં ગયા. તેને ઘણું રૂપિયા વિશેરેનું દાન આપીને વેષ બદલીને તે (ભિક્ષુક) ના જેવો વેષ કરીને બંને જણાએ ભિક્ષુકની પાસે થોડા પૈસાની માગણી કરતાં કહ્યું કે-હે ભિક્ષુક! તારી પાસે ભીખ માગતાં ઘણું રૂપિયા આવ્યા છે, તેથી તેમાંથી અમને કંઈ આપ. અમે પણ તારા જેવા ગરીબ ભિક્ષુક છીએ, અમને આજે કંઈ પણ મળ્યું નથી. બંનેનાં આ વચન સાંભળીને ભિક્ષુકે કહ્યું કે આમાંથી તમને કંઈ પણ મળશે નહિ. હું તમારા માટે ભીખ માંગતા નથી. ઘણી મહેનત રાડ પાડીને પરિશ્રમ વેઠીને આટલા પૈસા પેદા કર્યા છે. આ વચન સાંભળીને બંને જણા ઘણે દર ગયા. ત્યાર બાદ પંડિત યક્ષને કહ્યું કે કેમ ચોથા પ્રશ્નનો જવાબ મળે ને ? સમજવા જેવી બીના એ છે કે આ ભિખારીને જીવ પાછલા ભવમાં કરેલા પાપકર્મના ઉદયથી આ ભવમાં ભીખારીપણું પામે. હાલ પણ કાંઈ સુકૃત કરતો નથી. તેથી ભવિવમાં પણ તેવો જ રહેવાનો. એટલે ચોથા સવાલના જવાબમાં સમજી લેવું કે હાલ સુખી નથી. અને ભવિષ્યમાં પણ સુખમય જીવન ગુજારશે નહિ. અહીં ચાર પ્રશ્નોની બીના પૂરી થાય છે. તેમાંથી બેધ એ લે કે શક્તિ અને ભાવ જાળવીને દાન ધર્મની સાધના કરનારા ભવ્ય જીવો આ ભવમાં અને પરભવમાં પરમ સુખમય જીવન પામી શકે છે. તે
છે કંજૂસ અને મડદાની સરખામણી છે પૂર્વની માફક પ્રાચીન મહર્ષિ ભગવંતે ધનીક કંજૂસની મડદાની સાથે આ પ્રમાણે સરખામણી ઘટાવી છે. (૧) જેમ જીવ ગયા પછી મડદું બેલે નહિ, તેમ કંજૂસ પણ બોલતો નથી એટલે જ્યારે દીન-અનાથ વિગેરે તેની પાસે કંઈ પણ પદાર્થની માગણી કરે, ત્યારે “જે બોલીશ તે કંઈ દેવું પડશે, ન બોલવામાં નવ ગુણ, મૌનં સર્વાર્થ સાધન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org