SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિતામણિ 1 ૧૯ આ સાચા સંકલ શેઠે સિપાઈને ઘણી રીતે સમજાવ્યું પણ તેણે માન્યું નહિ. રાક વધી પડી. ઘરમાંથી કૃત્રિમ (નકલ) સંકલ આવ્યું. તેણે કહ્યું કે આ ધૂતારે છે, ધકકો મારી તેને બહાર કાઢે. આ બનાવ જોઈને સાચા સંકલ કેરટમાં ફરિયાદ કરી. તેની પહેલાં આ કૃત્રિમ સંકલે પણ તેમ કર્યું. કારણ કે યક્ષની સહાયથી બધી ખબર પડે છે. કેરટમાં મુદતને દિવસ નક્કી થયો. તે દિવસે બંનેની જુબાની લેવામાં આવી. તેમાં કંઈ પણ ભેદ (ફરક) ન જણાય. ઘણા વરસનું જૂનું દેવું લેણું તેની પાસે કેટલું છે તે પૂછયું, ત્યારે યક્ષની સહાયથી કૃત્રિમ સંકલે સાચા સંકલના કહ્યા મુજબ તે બધું સ્પષ્ટ જણાવ્યું. જેથી આ બાબતમાં ન્યાયાધીશને લગાર પણ ફરક માલમ પડશે નહિ. પછી બંનેના હાથઅક્ષરો લીધા. તે પણ બંનેના સરખા જણાયા. જેથી શું ફેસલો આપ એમાં ન્યાયાધીશને મુંઝવણ પડી, જેથી આ કામ એક બુદ્ધિશાળી મંત્રીને સેપ્યું. તેણે યુક્તિ એવી રચી કેએક સેનાને કળશ મંગાવીને બંનેને કહ્યું કે જે આ કળશના નાળચાથી દાખલ થઈ કળશના મેંઢથી બહાર નીકળશે, તેને અમે સાચે સંકલ માનીશું, બીજાને નહિ. આ મંત્રીના વચન સાંભળીને સાચો સંકલ મુંઝાણે અને મંત્રીના કહેવા મુજબ ન કરી શકો, તેથી રેવા લાગ્યું. કારણ કે તેને દેવની સહાય નથી. આ કૃત્રિમ સંકલ યક્ષના પ્રભાવે કીડીના જેવું રૂપ કરી તરત મંત્રીના કહ્યા પ્રમાણે કરીને મૂળ રૂપે ઊભે રહ્યો. આ બનાવથી મંત્રીએ નિર્ણય કર્યો કે આ કૃત્રિમ સંકલને જરૂર કેઈ દેવની સહાય છે. માટે આને પૂછવાથી ખરી બીના જણાશે. તેથી તેણે અને રાજા વિગેરેએ પણ નિડરપણે તેને સાચી બીના જણાવવા કહ્યું, જેથી કૃત્રિમ સંકલે “પોતાને માર મરાવી ઘરની બહાર દ્ધાવી મૂક્યો” ત્યાંથી માંડીને તમામ બીના રાજા મંત્રી વિગેરેની સમક્ષ કેરટમાં જણાવી દીધી. એટલું જ નહિ પણ છેવટે એમ પણ કહ્યું કે હવે પહેલાના જેવું વર્તન ચાલુ રાખીને જે લક્ષમીને દાનાદિમાં નહિ વાપરે, તો ફરી પણ તારી ખબર લઈશ. અને રાજા વિગેરેને જણાવ્યું કે મેં આ સંક્લશેડની લક્ષમી ઘણી વાપરી છે, બાકીની લમી ભલે એ ભેગવે.”આ નકલી સંકલની બીના જાણીને રાજા વિગેરે બધા લોકે ઘણું જ આશ્ચર્યમાં પડયા. બ્રાહ્મણ પોતાના ઘેર ગયે, અને સાચે સંકલશેઠ પણ સ્વસ્થાને ગયો. અહીં દષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી બંધ એ લે કે દરેક સમજુ જીએ લક્ષ્મીને ચપલ જાણીને શક્તિ અને ભાવ પ્રમાણે સત્કાર્યમાં વાપરવી અને જો એમ કરીએ તે જ વર્તમાન આબાદીને ટકાવી શકાય, અને ભવાંતરમાં પણ તેવી સ્થિતિ અનાયાસે (હેજ) પામી શકાય છે. આ પ્રસંગે યક્ષના ચાર પ્રશ્નોની બીના જરૂર યાદ રાખવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– એક રાજાએ પંડિતની સભા ભરી છે. તેમાં કાવ્યાદિ શાસ્ત્રની વિનેદવાર્તા ચાલી રહી છે. તેમાં એક યક્ષે પંડિતેને પૂછયું કે તમે આ ચાર પ્રશ્નોને જવાબ આપે. તે પ્રશ્નો આ પ્રમાણે જાણવા (૧) હાલ છે અને પછી પણ રહેશે એ શાથી? (૨) હાલ છે ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy